________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૦૧ ગુણો સંતાનમાં જ ઉત્પન્ન થયેલા હોવાથી સંતાન પ્રભવા છે. પણ એ સંતાન ગુણપ્રભવ નથી. તે ગુણ સાદગ્ધનું કારણ છે. તેથી સંતાન એ કારણ છે કાર્ય નથી અને ગુણો કાર્ય જ છે કારણ નથી. આ રીતે પણ ગુણ-સંતાનના ધર્મભેદથી જીવાદિદ્રવ્ય ઘટે છે. કારણ કે ગુણ સંતાનમાં સમાનબુદ્ધિ અભિધાનકારણ તરીકે દ્રવ્યકલ્પનાનો ઉપચાર છે.
ભાવ:- સામાયિક દ્રવ્ય કે ગુણ છે? એ વિચારણામાં “વ્યદિયસ બૅ” (૨૬૫૮) અથવા દ્રવ્યગુણચિંતામાં એ કહ્યું નથી પરંતુ વુિં સામયિમ્ ? એ દ્વારા પ્રસ્તુત છતે આ ઉદાસીનમત છે. દ્રવ્ય-પર્યાયાસ્તિકમાંથી કોઈ એકના મતે ઉદાસવૃત્તિથી આચાર્ય શિષ્યોને કહ્યું ને યુક્તિઓથી સમર્થન કર્યું છે. દ્રવ્યનયમતે જીવથી સામાયિક ભિન્ન નથી પરંતુ જીવ જ સામાયિક છે. પર્યાયાસ્તિક નયના મતે સામાયિક જીવદ્રવ્યથી ભિન્ન છે. એટલે પૂર્વોક્ત યુક્તિઓથી સામાયિકાદિ ગુણોથી ભિન્ન જીવ નથી, તેના મતે જીવાદિદ્રવ્ય કલ્પનામાત્રથી જ છે. પર્યાયાર્થિકનય મત બતાવ્યો.
(દ્રવ્યાસ્તિક) તેને સર્વ સુવર્ણરજતાદિ દ્રવ્ય માત્ર જ છે. ગુણ તો રક્તત્વ-શ્વેતત્વાદિ તેનાથી ભિન્ન નથી. તેનું સામાન્યરૂપે અવસ્થાનાભાવ હોવાથી કુંડલાદરૂપે આવિર્ભાવ, મુદ્રિકાદિરૂપે તિરોભાવ થાય છે. તે બંને ભાવમાત્રથી પરિણામી એ સુવર્ણાદિક દ્રવ્ય જ છે. તેનાથી અતિરિક્ત ગુણો નથી. તે દ્રવ્ય-નિત્ય-અવિચલિત સ્વભાવવાળું અને બહુરૂપ-કુંડલકંકણ-મુદ્રિકાદિ બહુપરિણામવાળું છે. જેમકે કોઈ નટ રાજા-રાવણ-અર્જુનાદિ સંબંધી વેશો પલટે છે. જેમ ઘણા વેશો કરતો પણ નટ પોતાના દેવદત્તાદિ સ્વભાવને છોડતો નથી કારણ કે, સર્વઅવસ્થાઓમાં તે એકસ્વરૂપ છે. એમ સુવર્ણાદિ દ્રવ્ય પણ કંકણાદિ બહુરૂપોને પ્રાપ્ત છતાં સુર્વણાદિ રૂપતા છોડતું નથી. એટલે તેનાથી ભિન્ન કોઈ ગુણો નથી. (પ્રયોગ-વિગ્નસા દ્વારા દ્રવ્ય જ પરિણમે છે). નિર્યુક્તિકાર દ્વારા સમર્થન :
યોગ :- તનાવતો વ્યાપારડ, વિસ્તા-સ્વભાવઃ આ બંનેથી નિષ્પન્નદ્રવ્ય પ્રયોગ વિશ્રસાદ્રવ્ય કહેવાય છે. પ્રયોગનિષ્પન્ન-ઘટ-પટાદિ, વિસસાનિષ્પન્ન-વાદળ, ઇન્દ્ર ધનુષાદિ. જે જે પ્રયોગ-વિશ્રસાદ્રવ્ય કર્તા જે જે કૃષ્ણ-રક્ત-પીત-શુક્લત્વાદિ ભાવોમાં પરિણમે છે તે (૨) દ્રવ્ય તે (૨) રૂપથી પરિણમતું કેવળ દ્રવ્ય જ છે પરંતુ કોઈ ભિન્ન પર્યાયો નથી. તેનાથી અતિરિક્ત પર્યાયો નથી તેઓ ઉપેક્ષામાત્રથી જ છે. એવું જિન-કેવલી જણાવે છે. ઉત્કણવિફણ કે કુંડલાદિ અવસ્થામાં પણ સપદિદ્રવ્યના સ્વસ્વરૂપથી ભિન્ન કોઈપણ પર્યાયો દેખાતા નથી કારણ કે, સર્વઅવસ્થામાં અવિચલિત સ્વરૂપ સંપદિદ્રવ્ય જ દેખાય છે. માટે પર્યાયો તેનાથી ભિન્ન નથી.