________________
૨૨૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ભાષાલબ્ધિ પ્રાપ્ત નથી કરી એવું નથી. તેઓ સમ્યક્વાદિથી પડેલા કરતાં અનંતગુણા જાણવા.
સમ્યક્ત-દેશવિરતિ બંનેના પ્રતિપદ્યમાનક ક્ષેત્ર પલ્યોપમના અસંખ્ય ભાગમાં રહેલા આકાશ પ્રદેશો જેટલા હોવાથી અસંખ્યત્વ તુલ્ય છતાં એ બંનેમાં દેશવિરતિ પ્રતિપદ્યમાનક અલ્પ છે, તેનાથી અસંખ્ય ગુણા સમ્યગ્દષ્ટિ છે, તેમનાથી સામાન્ય શ્રુતપ્રતિપદ્યમાન - અસંખ્યગુણ છે. આ રીતે સમુદિત સમ્યગ્દષ્ટિ-દેશવિરતિ પૂર્વપ્રતિપન્નથી તે સામાન્યશ્રુત પ્રતિપદ્યમાનકો અસંખ્ય ગુણા છે. તેનાથી શ્રુતપ્રતિપન્ન અસંખ્યગુણા છે.
સ્વસ્થાને પ્રતિપદ્યમાનક ચારિત્રિ-સર્વસ્તોક છે તેનાથી પૂર્વપ્રતિપન્ન સંખેય ગુણ છે. સ્વસ્થાને પ્રતિપદ્યમાનક શ્રુત-સર્વસ્તોક, પૂર્વપ્રતિપન્ન અસંખ્ય ગુણ. સ્વસ્થાને પ્રતિપદ્યમાનક દેશવિરત-સર્વસ્તોક, પૂર્વપ્રતિપન્ન અસંખ્ય ગુણ.
પ્રતિપતિત - ચારિત્ર પ્રાપ્ત કરીને પડેલા સમ્યક્તાદિ પ્રતિપદ્યમાન-પ્રતિપન્ન એ બધાય કરતા અનંતગુણા-દેશવિરત તેમનાથી અસંખ્યગુણા, સમ્યક્ત-અસંખ્યગુણા, શ્રતઅનંતગુણા છે.
સમ્યક્તાદિ પ્રતિપતિતોનું જે જઘન્યપદ છે તેનાથી સ્વસ્થાને જે ઉત્કૃષ્ટ પદ છે તે સર્વત્ર વિશેષાધિક છે.
સમ્યક્તાદિ પૂર્વપ્રતિપન્નનું જે જઘન્યપદ છે તેનાથી સ્વસ્થાને જે ઉત્કૃષ્ટ પદ છે તે સર્વત્ર વિશેષાધિક છે.
સમ્યક્તાદિ પ્રતિપદ્યમાન જઘન્યથી ૧ કે ૨, ઉત્કૃષ્ટથી પ્રથમ ત્રણ સામાયિક પ્રતિપદ્યમાન જીવો અસંખ્યાતા હોય છે.
સમ્યક્તાદિ પ્રતિપદ્યમાન જઘન્યથી ૧ કે ૨, ઉત્કષ્ટથી ચારિત્ર-સંખ્યાતા હોય. એટલે અહીં જઘન્યપદથી ઉત્કૃષ્ટપદ અસંખ્ય ગુણ કે સંખ્યગુણ જાણવું. (૨૦) સાંતર દ્વારઃ- જીવ એકવાર સમ્યક્તાદિ સામાયિક પ્રાપ્ત કરીને તેના પરિત્યાગમાં જેટલા કાળે ફરીથી તે પ્રાપ્ત કરે છે તે અપાન્તરાલ-અંતર કહેવાય છે.
સામાન્ય શ્રુતમાં જઘન્ય-અંતર અંતર્મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ-અનંતકાળ છે. બેઈન્દ્રિયાદિ કોઈ જીવ શ્રુત પ્રાપ્ત કરીને મૃત કે પૃથ્વી આદિમાં જન્મી ત્યાં અંતર્મુહૂર્ત રહી ફરી બેઈન્દ્રિયાદિમાં