________________
૨૪૭
ગુજરાતી પ્રશ્નોત્તર અપાયેલા સુંદર મદિરાના ઘૂંટડાથી, ચંપકને અતિસુરભિજલના સિંચનથી, તિલકને કામિનિકટાક્ષના વિક્ષેપથી, વિરહકને પંચમસ્વરના શ્રવણથી પુષ્પપલ્લવાદિ સંભવ ન ઘટે. ૩OOol
પ્રશ્ન-૧૦૯૩– બકુલને રસનેન્દ્રિયનો ઉપલભજ ઘટે છે તો કેમ એને સર્વવિષયોપલંભ સંભવ કહો છો?
ઉત્તર-૧૦૯૩ – સાચી વાત છે, મુખ્યતયા તે જ સંભવે છે. પણ ગૌરવૃત્તિથી શેષ ઇન્દ્રિયોના વિષયોના ઉપલંભ પણ એને સંભવે છે. તે તરુણીના શરીરનો સ્પર્શ, હોઠનો રસચંદનાદિગંધ-સુંદરરૂપ-મધુર અવાજ રૂપ પાંચે ઈન્દ્રિયોના વિષયો સંભવે છે.
પ્રશ્ન-૧૦૯૪ – તો પછી એને પંચેન્દ્રિય જ કહો ને એકેન્દ્રિય કેમ કહો છો?
ઉત્તર-૧૦૯૪ – તો પણ તે પંચેન્દ્રિય કહેવાતો નથી કારણ એને બાહ્ય નિવૃત્તિઆદિ ઇન્દ્રિયો નથી. જેમ ઘટ બનાવવાની શક્તિવાળો કુંભાર સુતેલો હોય તો પણ કુંભાર કહેવાય છે, તેમ બાહ્ય-ઈન્દ્રિય રહિત હોવા છતાં પણ બકુલાદિ વૃક્ષો લબ્ધિ ઈન્દ્રિય વડે પંચેન્દ્રિય કહેવાય છે.
ઇન્દ્રિયોનો લાભક્રમ - પ્રથમ ભાવેન્દ્રિયલાભ-પછી દ્રવ્યન્દ્રિય લાભ. વિશેષ પ્રકારથી – (૧) ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમરૂપ લબ્ધિ ઈન્દ્રિય પ્રાપ્ત થાય. પછી (૨) બાહ્યાન્તરભેદ ભિન્ન નિવૃત્તિ પ્રાપ્ત થાય. પછી (૩) અન્તર્નિવૃત્તિની શક્તિરૂપ ઉપકરણ ઈન્દ્રિય પ્રાપ્ત થયા પછી (૪) ઈન્દ્રિયાર્થોપયોગ થાય છે. આ ચારે ક્રમસર થાય છે.
પરિષહો :- માર્ગની અમ્બલના અને નિર્જરા માટે સહન કરવા યોગ્ય જે તે પરિષહોસુધાદિ બાવીસ છે.
ઉપસર્ગો :- (૧) પીંડાદિથી જીવ ઉપસર્જે-જોડાય તે ઉપસર્ગ-કરણસાધન. (૨) અથવા જીવની સાથે જે જોડાય તે ઉપસર્ગ-કર્મસાધન (૩) અથવા ઉપસર્ગના લીધે જીવ પીડાદિ સાથે જોડાય તે-અપાદાન સાધન
(૪) તે દિવ્ય, માનુષ, તૈર્યગ્યોનિ તથા આત્મા દ્વારા સંવેદાય તે-આત્મ સંવેદનીય એમ ચાર પ્રકારે છે. હાસ્યથી, પૂર્વભવના દ્વેષથી, વિમર્શથી અને વિમાત્રાથી દેવો ઉપસર્ગ કરે છે, એ પ્રમાણે મનુષ્ય પણ ચાર પ્રકારે ઉપસર્ગ કરે છે એમાં ચોથો પ્રકાર કુશીલ પ્રતિસેવનાથી જાણવો. તિર્યંચો ભયથી, દ્વેષથી, આહાર માટે, રક્ષણ માટે ઉપસર્ગ કરે છે. અને આંખમાં