________________
૨૭૫
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૧૧૫ર - શબ્દાદિદ્રવ્યકરણમાં ભાવશ્રુત જ વિવલિત છે, પ્રકાશપાઠાદિ શબ્દકરણમાં ફક્ત શબ્દની જ વિવફા નથી. પણ તે શબ્દનું જે કારણરૂપ-કાર્યરૂપભાવકૃત છે તે જ શબ્દવિશિષ્ટ અહીં વિવક્ષિત છે એટલે દોષ નથી.
નોડ્યુતકરણ :- નો શબ્દ સર્વનિષેધવચન છે એટલે શ્રુતવ્યતિરિક્ત જે તપસંયમાદિરૂપ જીવભાવનું કરણ તે નોશ્રુતભાવકરણ છે તે ૨ પ્રકારે છે (૧) ગુણકરણ તથા મન વગેરે યોગોનું કરણ તે (૨) યોજનાભિધાનકરણ.
ગુણકરણ :- તપસંયમનું કરણ અથવા મૂલગુણકરણ અને ઉત્તરગુણકરણ.
યોગકરણ :- સત્યાદિ ભેદથી ૪ પ્રકારનાં મન-વચન અને ઔદારિક-મિશ્રાદિભેદથી ૭ પ્રકારે કાય એ રીતે આ ક્રિયા પણ ૧૫ પ્રકારની યોજનાકરણ તરીકે જાણવી.
ષવિધકરણ સમાપ્ત પ્રશ્ન-૧૧૫૩ – આ છએ કરણભેદોમાં સામાયિકકરણ ક્યા ભેદમાં અવતરે?
ઉત્તર-૧૧૫૩ – બધા કરણોમાં યથાસંભવ અવતરે છે ત્યાં સમ્યક્ત-શ્રુત-તપ-સંયમાદિ ગુણો જીવદ્રવ્યપર્યાય હોવાથી અને પર્યાય દ્વવ્યાનન્ય હોવાથી એ દ્રવ્યકરણ થાય જ છે એમ એની નામાદિ કરણતા પણ યથાસંભવ ભાવથી સમ્યક્વાદિસામાયિકો જીવ ભાવ હોઈ એ વિશેષથી ભાવકરણ છે.
પ્રશ્ન-૧૧૫૪– ભાવકરણના પહેલા ઘણા ભેદો છે એમ કહ્યું છે તો શું એ બધા પ્રકારના ભાવકરણોમાં અવતરે છે?
ઉત્તર-૧૧૫૪– ના, શ્રુતકરણ, બદ્ધશ્રુતકરણ અને શબ્દકરણ શ્રુતસામાયિક જ થાય છે તે જ એ રૂપે ઘટે છે. ચારિત્રસામાયિક નથી થતું. તેની આ રૂપતા સંભવતી નથી.
પ્રશ્ન-૧૧૫૫ – તો ચારિત્ર સામાયિક ક્યા ભાવકરણ ભેદમાં અવતરે છે?
ઉત્તર-૧૧૫૫ –નો શ્રુતકરણના પ્રથમભેદ ગુણકરણમાં, કારણ તે તપ-સંયમ ગુણાત્મક છે એટલે યથાસંભવ શ્રુતકરણ પણ એ થાય છે; કારણ કે પ્રશસ્તવાણીરૂપ ચારિત્ર ભેદભૂત વચન સમિતિનો એમાં અવતાર છે. તથા સુપ્રશસ્ત યોજનાકરણ ભેદમાં પણ એ સુપ્રશસ્ત મન-વચન-કાયારૂપ હોવાથી અવતરે છે.
સામાયિક કરણના ૯ અનુયોગ દ્વારો -
પ્રશ્ન-૧૧૫૬ – (૧) કૃતાકૃત:- સામાયિક કૃત કરાય કે અકૃત? બંને પક્ષમાં દોષ છે. જેમકે કૃત કરાય નહિ, સદ્ભાવથી આગળ પણ વિદ્યમાન છે, જેમકે ચિરકૃતઘટ, કૃતના