________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
-
(૩) વેષુ યિતે :- નૈગમનય :- મનોજ્ઞ શયન-આસનાદિમાં રહેલાને તે કરાય છે, કેમકે તે મનોજ્ઞપરિણામમાં કારણ છે, સંગ્રહાદિનયો-એકાન્તે મનોજ્ઞ દ્રવ્ય જ મનોજ્ઞપરિણામકારણ થતું નથી. વ્યભિચાર છે. મનોજ્ઞમાં પણ કોઈને સ્વાભિપ્રાયથી અમનોજ્ઞપરિણામ હોઈ શકે અને અમનોજ્ઞમાં પણ કોઈને મનોજ્ઞ પરિણામ સંભવે છે. એટલે સર્વદ્રવ્યોમાં રહેલો સામાયિક કરે છે.
૨૭૮
પ્રશ્ન-૧ ૧૫૯ – ઉપોદ્ઘાતમાં વિઘ્ન વિન્હેં ગાથામાં વેજુ સામાયિન્ત મવતિ એમ કહેલું જ છે તો અહીં ફરીથી પૃચ્છા અવસર ક્યાંથી ?
ઉત્તર-૧૧૫૯ – ના, ત્યાં કયા દ્રવ્ય-પર્યાયો સામાયિકના વિષયરૂપ હોય છે એમ કહ્યું છે, ત્યાં જવાબ છે. ‘સર્વગત સંમત’ અહીં તો ક્યા દ્રવ્યોમાં રહેલાનો સામાયિકલાભ થાય છે એમ કહેવાય છે આટલો મોટો ફરક છે.
પ્રશ્ન-૧૧૬૦ – તો સર્વદ્રવ્યોમાં અવસ્થાન કઈ રીતે સંભવે કે જેથી શેષ સર્વદ્રવ્યોમાં એમ કહે છે. (૩૩૮૬) કારણ કે સર્વાકાશાદિદ્રવ્યોમાં કોઈ રહેલું નથી ?
ઉત્તર-૧૧૬૦ – જાતિમાત્રવચનથી સર્વદ્રવ્યમાત્રની અહીં વિવક્ષા છે અને જાતિમાત્ર સર્વદ્રવ્યના એક દેશમાં પણ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન-૧૧૬૧ – શું દેશથી પણ સર્વદ્રવ્યાધાર કોઈ પ્રાપ્ત કરી શકે છે ?
ઉત્તર-૧૧૬૧ – હા, કારણ કે ધર્મા-ડધર્મા-ડડકાશાસ્તિકાય-જીવ-પુદ્ગલાધાર સર્વે પણ અવશ્ય જીવલોક છે. એટલે પ્રાસંગિક દૂષણનો પરિહાર થાય છે. અથવા ઉપોદ્ઘાતમાં સર્વદ્રવ્યો સામાયિકના વિષયમાં થાય છે એમ કહ્યું છે અહીં તો તે સામાયિકલાભ જ હેતુભૂત સર્વદ્રવ્યોમાં થાય છે એમ કહ્યું છે.
પ્રશ્ન-૧૧૬૨
સર્વદ્રવ્યો સામાયિકનો હેતુ કઈ રીતે થાય ?
ઉત્તર-૧૧૬૨ – શ્રદ્ધેય-જ્ઞેય અને ચારિત્ર ક્રિયા હેતુભૂત જે દ્રવ્યો છે તેના હેતુરૂપ સામાયિક છે અને શ્રદ્ધેયથી અન્ય સર્વદ્રવ્યો નથી કે વિષય-હેતુને એક પણ ન જાણવા. કારણ વિષય એ ગોચરરૂપ છે. હેતુ એ સર્વજીવની જેમ જીવથાત નિવૃત્તિનો આધારરૂપ છે, અથવા કૃતાકૃતાદિ દ્વારોમાં પ્રથમ દ્વારમાં કર્તાદ્વારા જે કરાય તે કાર્ય સામાયિક કહ્યું છે બીજાદ્વારમાં સમાયિકનો કર્તા બતાવ્યો છે, ત્રીજાદ્વા૨માં તૃતીયાર્થે સાતમી કરીને બતાવ્યું છે. કરણભૂત ક્યા દ્રવ્યો દ્વારા સામાયિક કરાય છે, આમ, ઉપોદ્ઘાતની સાથે પુનરુક્તિ નથી.
-