Book Title: Visheshavashyak Bhashya Part 02
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 299
________________ ૨૮૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૨) વિનય દ્વાર - આલોચન શુદ્ધ એવા વિનિત ને અપાય છે. (૩) ક્ષેત્ર દ્વાર - ઇક્ષુવનાદિ સુપ્રશસ્ત ક્ષેત્રોમાં અપાય. બળેલા-તૂટેલા ઘર કે સ્મશાનાદિમાં નહિ. (૪) દિશાધાર - પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ અપાય કે ગ્રહણ કરાય અથવા જે દિશામાં જિન કે જિનચૈત્યો હોય તે દિશામાં અપાય. (૫) કાળ દ્વાર (૬) નક્ષત્રકાર :- પ્રશસ્ત તિથિ-નક્ષત્રાદિ કાળમાં અપાય. ચૌદશ, પૂર્ણિમા, આઠમ, નોમ, છ, ચોથ અને બારશ એ તિથિઓના દિવસોમાં સામાયિક ન આપવું. તથા મૃગશિર, આદ્ર, પુષ્ય, ત્રણ પૂર્વ મૂળ, અશ્લેષા, હસ્ત તથા ચિત્રા નક્ષત્રોમાં સામાયિક આપવું, કેમકે એ દસ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિ કરનારા છે. (૭) ગુણ સંપદ દ્વાર :- સામાયિક દાતાના ગુણો-પ્રવજ્યા દાતા ગુરુના ગુણો જેમ જાણવા. (૮) અભિવ્યવહાર નય :- ઉદ્દેશ-સમુદેશ-અનુજ્ઞાકરણ જાણવો. (૬) કરણ તિવિ :- ૪ પ્રકારે (૧) ગુરુપ્રતિજ્ઞારૂપ-ઉદ્દેશ (૨) પ્રદત્તસૂત્રની જ પરિપાટિરૂપ વાચના (૩) સમુદેશ અને (૪) અનુજ્ઞા. પ્રશ્ન-૧૧૬૫ – પૂનામાદિ ભેદથી અનેકવિધ કરણ કહ્યું છે તો અહીં ફરીથી ભેદકથનગર્ભ કરણ શું છે? ઉત્તર-૧૧૬૫ – પૂર્વેકહેલું તે પૂર્વગ્રહણ કરેલ-દાનગ્રહણકાળથી ઉત્તીર્ણ સામાયિકનું સિદ્ધકરણ કહેલું. અત્યારે ગુરુ-શિષ્યના દાન-ગ્રહણકાળે ઉદેશાદિ વિધિથી સાધ્ય કરણ કહેવાય છે. એટલો વિશેષ છે અથવા પૂર્વે અવિશેષિત કરણ કહ્યું હતું અત્યારે તે જ ગુરુશિષ્ય ઉક્તિ-પ્રયુક્તિ ક્રિયા વિશેષથી વિશેષિત કહેવાય છે. (૭) કર્થદ્વાર - નમસ્કારના લાભની જેમ સામાયિકનો લાભ જાણવો. અહીં નમસ્કાર સમ્યગ્દર્શીને જ થાય છે. ફક્ત એટલાથી જ દર્શનમોહનીયનો ક્ષયોપશમ કહ્યો છે. મુખ્યતયા તો નમસ્કાર શ્રુતરૂપ છે તેના આવરણના ક્ષયોપશમથી જ એ પ્રાપ્ત થાય છે એમ જાણવું એમ શ્રુત સામાયિક પણ મતિ-શ્રુત ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે અને શેષ સમ્યક્ત-દેશવિરતિસર્વવિરતિ સામાયિકો તદાવરણના ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમથી થાય છે.

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304