________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૮૧ પ્રશ્ન-૧૧૬૬– પૂર્વે ઉપક્રમ દ્વારમાં “ભાવે રહેવપ” – વીયેસીયાપુત્વે તયે સાયાળુ વારવિદે સાથે વગેરે ગાથાઓમાં તદાવરણીયકર્મના ક્ષયોપશમથી અને ક્ષયાદિથી સમ્યકત્વાદિ સામાયિકનો લાભ કહ્યો હતો, પછી ઉપોદ્દાત દ્વારમાં જ વિ વગેરે ગાથામાં “સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય?” એમ કહ્યું હતું તો અહીં એ ફરીથી પૂછવાનું શું કારણ છે?
ઉત્તર-૧૧૬૬ – ઉપક્રમ દ્વારમાં ક્ષયોપશમાદિ હેતુથી સામાયિક પ્રાપ્તિ બતાવેલી છે, ઉપોદ્ધાત દ્વારમાં ક્ષયોપશમાદિ હેતુ મનુષ્યાદિ સામગ્રીથી પ્રાપ્ત થાય છે એ કહેલું છે, અને અહીં શેષ ક્ષયોપશમાદિ કયા કર્મના થાય છે? એ વિચાર્યું છે. એટલે વિષય વિભાગથી ત્રણ જુદા-જુદા સ્થળે ઉલ્લેખ કર્યો છે.
બત્ત!' શબ્દની વ્યાખ્યા - પર્ ધાતુ કલ્યાણ અને સુખ અર્થમાં છે, તેનો આ ‘ભદન્ત' શબ્દ બનેલો છે. તેમાં કલ્યાણ શબ્દની વ્યુત્પત્તિ - કલ્ય એટલે નિશ્ચિત આરોગ્ય. તે તથ્ય અને નિરૂપચરિત એવું નિવણ સમજવું. અથવા કારણમાં કાર્યનો ઉપચાર કરીને નિર્વાણના કારણભૂત જ્ઞાનાદિ ત્રણ તે આરોગ્ય સમજવું. “અ” ધાતુ શબ્દાર્થ અથવા ગત્યર્થમાં છે. તેથી આરોગ્ય પોતે “અણતિ પામે અને બીજાને પમાડે. અથવા પોતે જાણે અને બીજાને જણાવે છે કલ્યાણ કહેવાય.
સુખ શબ્દનો અર્થ. સુ શબ્દ પ્રશંસાર્થે છે. રવનિ એટલે ઈન્દ્રિયો. તે જેની શુદ્ધ હોય અથવા વશ હોય તે સુખ મનાયું છે.
મત્ત શબ્દના પર્યાય શબ્દોની વ્યાખ્યા -
(૧) મન્ - સેવાર્થમાં છે. તેનો “ભજન્ત’ શબ્દ બને છે. તેથી મોક્ષ પામેલા અથવા મોક્ષમાર્ગને સેવે તે “ભજન્ત' અથવા મોક્ષમાર્ગના અર્થીઓને જે સેવવા યોગ્ય છે તે સુગુરુ ભજન્સ કહેવાય છે.
(૨) મા તથા અન્ - દીપ્તિ અર્થમા છે. તેનો મન્ત તથા પ્રાન્ત શબ્દ બને છે. એટલે જે જ્ઞાન અને તપ ગુણ વડે પ્રકાશે છે, તે આચાર્ય માન્ત અથવા પ્રાનન્ત કહેવાય છે.
(૩) પ્રમ્ - અનવસ્થાન અર્થમાં છે. તેનો “પ્રાન્ત’ શબ્દ બને છે. એટલે જે મિથ્યાત્વાદિ બંધહેતુથી રહિત છે તે, પ્રાન્ત કહેવાય છે.
(૪) અથવા ઐશ્વર્યાદિ છ પ્રકારનો ‘ભગ’ જેને છે તે ભગવાન ગુરૂ છે. (૫) નરકાદિ ભવના અંતનો હેતુ છે, તેથી “ભવાન્ત' કહેવાય છે.