________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૫૫
પ્રશ્ન-૧૧૧૫ – અપૃથભાવમાં પણ કેવલજ્ઞાન-દર્શનમાં દોષો નથી. કારણ કે અરીરા નીવયા એવું અહીં દર્શન અને જ્ઞાનમાં યુગપત્ ઉપયુક્ત એમ કહ્યું છે તેથી એકસાથે બંનેનો ઉપયોગ સિદ્ધ છે ?
ઉત્તર-૧૧૧૫ – જો એ રીતે કહેવાથી તારી અર્થસિદ્ધિ થાય છે તો આ પણ કહેલું છે, સાંભળ - નાળમિ વંશમ્મિ ય હ્તો ગયયમ્મિ વત્તો ! સવ્વક્સ વનિસ્સા ખુશવં લે નસ્થિ વોTT IIરૂ૦૮૬ા આ ગાથામાં ભદ્રબાહુસ્વામિએ પ્રગટ યુગપત્ ઉપયોગનો નિષેધ કર્યો છે તો યુગપત્ નું અભિમાન કેમ છોડતો નથી ?
પ્રશ્ન-૧૧૧૬ – ભલે બધા કેવલીનો યુગપત્ ઉપયોગ ન હોય કોઈના બે હોય, કોઈનો એક હોય તે ભવસ્થ કેવલી હોય કે સિદ્ધ કેવલી, તેથી ભવસ્થ કેવલીને હજુ સકર્મક હોવાથી ૧ ઉપયોગ અને સિદ્ધ કેવલીનો તો સર્વથા કર્મકલંકરહિત હોવાથી યુગપત્ બે ઉપયોગ હોય એમ માનવામાં શું વાંધો છે ?
ઉત્તર-૧૧૧૬ બરાબર નથી. સવ્વસ હિસ્સા ઇત્યાદિથી સિદ્ધાધિકારમાં ભદ્રબાહુસ્વામીએ સિદ્ધના જ યુગપત્ બે ઉપયોગનો નિષેધ કર્યો છે, એટલે તારી કરેલી વ્યાખ્યાન્તરકલ્પના ફળતી નથી. અથવા નામિ...(૩૦૯૬) ના પૂર્વાર્ધથી એકવારમાં એક ઉપયોગ સિદ્ધ છે. તો બીજા અર્થને કહેવાનું શું કામ છે ? જેમકે-સર્વવલિના પણ યુગપત્ બે ઉપયોગ નથી તો અકેવલીની વાત જ ક્યાં રહી ?
-
પ્રશ્ન-૧૧૧૭
આચાર્ય ! જો યુગપત્ ઉપયોગ ન માનો તો અહીં આગળ-વત્તા વંસળે ય નાળે ય ત્તિ દર્શન અને જ્ઞાનમાં યુગપત્ ઉપયુક્ત છે એમ શા માટે કહ્યું છે ?
-
ઉત્તર-૧૧૧૭ – આ સમુદાય વિષયક જ છે. નહિ કે યુગપત્ ઉપયોગ પ્રતિપાદન રૂપ. કારણ કે સિદ્ધો અનંતા છે. તેના સમુદાયમાં કેટલાક જ્ઞાનોપયોક્ત છે કેટલાક દર્શનોપયોક્ત છે. પરંતુ પ્રત્યેક સિદ્ધની વિવક્ષામાં તો એકસાથે બે ઉપયોગનો નિષેધ છે.
પ્રશ્ન-૧૧ ૧૮ – કેવલજ્ઞાન-કેવલદર્શન સદા અવસ્થિત હોવાથી તેનો ઉપયોગ યુગપદ્ છે જ ને ? કેમકે જે બોધરૂપ અને સદા અવસ્થિત હોય છે તેનો ઉપયોગ હંમેશા હોય છે. નહિ તો બોધસ્વભાવ ન ઘટે. એટલે સદા ઉપયોગ હોવાથી બંને ઉપયોગ એક સાથે સિદ્ધ થાય એવું કેમ માનતા નથી ?
ઉત્તર-૧૧૧૮ – કેવી રીતે માનીએ ? એવો કોઈ નિયમ નથી કે જે લબ્ધિની અપેક્ષાએ કેવલજ્ઞાન-કેવલદર્શન સદા વિદ્યમાન છે. તેથી બંનેનો ઉપયોગ સદા હોવો જોઈએ. કારણ કે, જેમ કેવલજ્ઞાન-દર્શન વિનાના શેષ જ્ઞાન-દર્શનોનો ઉપયોગ સ્વસ્વસ્થિતિકાળ સુધી ન હોવા