________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૬૯
નિશ્ચયવ્યવહારની આ વિષયમાં વિચારણા :
વ્યવહારનય :- જે પરભવના પ્રથમ સમયે જો તુ શાટ માને અને નિર્વિગ્રહથી ઋજુશ્રેણીથી જ ઉત્પન્ન થનાર ને તે જ સમયે સંઘાત માને તો સર્વ શાસંઘાત યુગપતું એક જ સમયમાં વિરુદ્ધ તે બંને પ્રાપ્ત થાય છે. સર્વશાટ પૂર્વભવશરીર સંબંધિ અને સર્વસંઘાત આગામી ભવશરીરસંબંધિ છે અને બે ભવના શરીર એક સાથે હોય એ તો અત્યંત વિરુદ્ધ છે.
નિશ્ચયનયઃ- જે કારણથી ક્રિયા-નિષ્ટકાળના અભેદથી પરભવના આદ્ય સમયે જતું એવું પૂર્વભવનું શરીર નષ્ટ થયું અને ઉત્પન્ન થતું આગળનું શરીર ઉત્પન્ન થયું. તે કારણે ત્યાં મોક્ષગ્રહણ મનાતાં કોઈ વિરોધ નથી. મુચ્યમાન મુક્ત તરીકે એક જ આગળના ભવનું શરીર ત્યાં છે પરંતુ મરણસમય પરભવના પ્રથમ સમય તરીકે જ માનવો. નહિતો દોષ સંભવે, ચ્યવન સમયે આભવ નથી કેમકે આભવદેહ અને આયુ. મુચ્યમાન છે મુચ્યમાનો સર્વથા વિમોક્ષ છે. ક્રિયાનિષ્ઠાકાળ અભેદ છે. જેમ અતીત જન્મમાં આ ભવ નથી તેમ મ્યુતિ સમયે પણ તે નથી જ. એટલે જો તે સ્મૃતિસમયે પણ પરભવ તું ન માને તો એ સંસારી જીવ કોણ થાય. આ ભવનું તો એનું નિષેધ જ છે અને પરભવત્વ હજુ ઉત્પન્ન થયું નથી ? અને સંસારીત્વથી મુક્તનો વ્યપદેશ ન હોઈ એ નિર્ચપદેશ જ થાય.
વ્યવવહાર નય :- જેમ વિગ્રહકાળે વિગ્રહગતિ દ્વારા પરભવમાં જતી વખતે પરભકિદેહાભાવે પણ જીવનું પરભવગ્રહણ-નારકાદિપારભવિકવ્યપદેશ છે. તેમ મ્યુતિ સમયે પણ આ ભવશરીરભાવે પણ આભવ પણ જો હોય તો શું દોષ? કોઈ નહિ. ન્યાય સમાન છે.
નિશ્ચય નય :- જે કારણથી અપાંતરાલગતિમાં જીવનો વિગ્રહકાળ છે પૂર્વભવકાળ નહિ તેથી જ દેહાભાવે પણ એ પરભવસંબંધિત્વથી વ્યવપદેશ્ય છે. પરભવાયુ ઉદીર્ણ હોવાથી અને પૂર્વભવાયુ પહેલાં જ ક્ષીણ હોવાથી અને નિરાયુષ જીવનો સંસારમાં અભાવ હોવાથી. શ્રુતિ સમયે પૂર્વભવદેહ નથી કેમકે તે છોડેલો છે. અને વિગ્રહ નથી વક્રીભાવ છે. જો એમ હોય તો તે શ્રુતિસમય આભવ-પરભવિક ભવસમયોમાંથી કયો સમય હોય? વ્યવહાર નય :- એ તો મેં કહ્યું છે જેમકે વિગ્રહકાળે પરભવદેહાભાવે પણ પરભવ છે તેમ મ્યુતિસમયે આ ભવ દેહાભાવે પણ આભવ હોય શું દોષ છે ? નિશ્ચય નય :- તે આ સાચું બોલ્યું પણ બરાબર નથી. દષ્ટાંત-દષ્ટાંતિકની વિષમતા છે. કેમકે જેમ સ્મૃતિસમયે આભવ દેહાભાવ તેમ આભવાયુષ્યનો પણ અભાવ જ છે. તે પણ નિજીર્ણમાન નિજિર્ણ છે. તેથી શ્રુતિસમયે એ આભવ કઈ રીતે થાય, આભવાયુ ઉદયનો અભાવ હોવાથી? વિગ્રહકાળે પરભવાયુ ઉદયથી પરભવત્વ ઘટે છે, એટલે પરભવ મ્યુતિસમય પરભવાયુષ્કોદયાત્ વિગ્રહકાળવત્ એમ માનવું યોગ્ય છે નહિતો, તેના નિર્ચપદેશ થવાની આપત્તિ આવે.
ભા -૨/૨૦