________________
૨૭૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
સંઘાતનો જઘન્યઅંતરકાળ :- (દારિક) એકવાર ઔદારિક શરીરનો સંઘાત કરીને ફરી સંઘાત કરતા ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવગ્રહણ જ અંતરકાલ આવે છે. તે જ્યારે કોઈ એકેન્દ્રિય જીવ મરી ૨ સમયવિગ્રહમાં ફરી ક્ષુલ્લકભવ આયુમાં (પૃથ્વી આદિમાં) ઉત્પન્ન થઈ ત્રીજા સમયે ઔદારિકનો સંઘાત કરી યથોક્ત ત્રણ સમય ન્યૂન સુલ્લકભવ સંઘાત-પરિશીટ ઉભય કરી, મરેલો વિગ્રહ વિના જ ઋજુશ્રેણીથી આગલા પૃથ્વી આદિભવોમાં ઉત્પન્ન થયેલો ઔદારિક શરીરનો સંઘાત કરે છે ત્યારે તે જીવનો અને ઔદારિક શરીર સંઘાતનો ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવ લક્ષણ જઘન્ય અંતર કાળ જાણવો.
ઉત્કૃષ્ટ સંઘાતાંતરકાળ - સમયાધિક પૂર્વકોટયધિક ૩૩ સાગરોપમ આ કાળ ૩જા સમયે સંઘાત કરતા આવે છે. કોઈક પૂર્વભવથી વિગ્રહવિના જ મનુષ્યમાં આવી પ્રથમ સમયે સંઘાત કરી પૂર્વકોટિ રહી પછી. જયેષ્ટાયુરૂપ ૩૩ સાગરોપમ અનુત્તરમાં અનુભવી ત્યાંથી ચ્યવી ર સમય વિગ્રહમાં કરીને કરે છે. અહીં વિગ્રહ સંબંધિ ૨ સમયમાંથી ૧ પૂર્વની પૂર્વકોટિમાં નંખાય છે એટલે સમયાધિક પૂર્વકોટયાધિક ૩૩ સાગરોપમ ઔદારિકનું ઉત્કૃષ્ટ સંઘાતાંતર સિદ્ધ થાય છે. તથા ઉપલક્ષણથી પૂર્વકોટિ આયુ મલ્યને ૭મી નરકે ઉત્પન્ન થઈ ફરી મત્સ્યમાં ઉત્પન્નનું આ અંતર જાણવું.
ઉભયનું જઘન્ય-ઉત્કૃષ્ટ અંતરકાળઃ- નિર્વિગ્રહ સંઘાત હોય તો ઉભયનો ૧ સમય જઘન્ય અંતર અર્થાત્ ઔદારિક શરીરી આયુષ્ય સુધી જેટલા સંઘાત-પરિશીટ ઉભય કરીને આગળના શરીરમાં અવિગ્રહથી ઉત્પન્ન થઈ ઔદારિકનો જ સંઘાત કરી, ફરી તે ઉભયને આરંભે છે. તેનો તે જ એક સંઘાત સમય જઘન્ય ઉભયાન્તર થાય છે. ઉત્કૃષ્ટાંતર-ત્રણ સમય+૩૩ સાગરોપમ તે દેવાદિમાં કે અપ્રતિષ્ઠાનમાં ૩૩ સાગરોપમ આયુ અનુભવી અહીં આવેલાને ત્રીજા સમયે સંઘાત કરતા પ્રાપ્ત થાય છે. અહીં કોઈ મનુષ્યાદિ સ્વભવના ચરમ સમયે સંઘાત પરિશાટ ઉભય કરીને અનુત્તર/અપ્રતિષ્ઠાનમાં જ્યારે ૩૩ સાગરોપમ અનુભવી, ૨ સમય વિગ્રહથી ફરી અહીં આવી, ૩જા સમયે ઔદારિક સંઘાત કરી ઉભય આરંભે છે ત્યારે ૨ વિગ્રહ સમયો અને ૧ સંઘાત સમય અને દેવાદિભવસંબંધિ ઉભયાન્તર ૩૩ સાગરોપમ અધિક ત્રણ સમય ઉત્કૃષ્ટ અંતર પ્રાપ્ત થાય છે.
ઔદારિક પરિશાટ જઘન્ય-ઉત્કૃષ્ટ અંતરો - જઘન્ય-ક્ષુલ્લકભવ ગ્રહણ, ઉત્કૃષ્ટ પૂર્વકોટયધિક ૩૩ સાગરોપમ.
પ્રશ્ન-૧૧૪૮ – અમને એ ખબર નથી કે જઘન્ય પક્ષમાં સમયોન ક્ષુલ્લકભવ ગ્રહણની પ્રાપ્તિ અને ઉત્કૃષ્ટ પક્ષમાં પણ સમયાન પૂર્વકોટયાધિક ૩૩ સાગરોપમ પ્રાપ્ત થાય છે. જેમકે જે ક્ષુલ્લકભવ એવા વનસ્પત્યાદિમાં ઉત્પન્ન થાય છે, તે ભવના પ્રથમ સમયમાં પૂર્વ ઔદારિક