________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૬૭ છે. અપૂર્વ નિવૃત્તિ એ કરણ નથી, અને ધર્માસ્તિકાયાદિ પ્રદેશ રાશિના સંહતિ-અવસ્થાનનું અનાદિત્વ કાંઈપણ વિરોધવાળું નથી. એ અનાદિ છે. અથવા ઉપચારથી ધર્માસ્તિકાયાદિનું કરણ સાદિ જાણવું. ઘટાદિવસ્તુઓને આશ્રયીને સંયોગ-વિભાગાદિ કરણ અર્થાત્ આકાશાદિનાં ઘટાદિસંયોગાદિ સાદિ અને સાંત છે, તેથી જે તેમનો ઘટાદિ સાથે સંયોગાદિકરણ છે તે સાદિ જ હોય છે અથવા પર્યાય રૂપે જૈનોને સર્વ વસ્તુ આદિ-સાત જ હોય છે. એટલે પર્યાયોને આશ્રયીને આકાશવગેરેનું પણ કરણ સાદિક જાણવું. એ પ્રમાણે અરૂપી અજીવ દ્રવ્યોનું વિગ્નસાકરણ આદિ-અનાદિરૂપે સમજવું.
રૂપીઅજીવદ્રવ્યાશ્રયી - વાદળ-ઈન્દ્રધનુ-પરમાણુ વગેરે રૂપીઅજીવદ્રવ્યોનું વિગ્નસાકરણ ચક્ષુથી દેખાય છે. એટલે ચાક્ષુષ છે. અને પરમાણું કયણુંકાદિનું ચક્ષુગોચરાતીત છે એટલે અચક્ષુષ છે. આ બંને સંઘાત-ભેદકૃત ઘણા ભેદવાળું સાદિક છે. વાદળાદિના કેટલાક પુદ્ગલોનો સંઘાત અને કેટલાકનો ભેદ થાય છે એટલે તે નાનારૂપ છે. તણુંકાદિમાં પરમાણુનું તો સ્કંધથી ભેદકૃત કરણ જ છે. કારણ-કૃતિ-સ્વભાવથી જ નિવૃત્તિ, નહિ કે ક્રિયતે ઈતિ કરણ. એ પ્રમાણે બંને પ્રકારના વિગ્નસાકરણ જણાવ્યા.
પ્રયોગકરણ - પ્રયોગ-જીવવ્યાપાર તેનાથી જે કરવું તે પ્રયોગકરણ-તે સજીવ-અજીવ એમ ઘણા પ્રકારે છે. સજીવ-પાંચે શરીરોનું-મૂલકરણ-ઉત્તરકરણરૂપ. મૂળકરણ-પાંચે શરીરોનું આદ્ય પુદ્ગલ સંઘાતકરણ તે, ઉત્તરકરણ-પ્રથમ ત્રણ શરીરોનું હોય છે, તેજ-કાશ્મણનું નહિ.
પ્રશ્ન-૧૧૪૫– પ્રથમ ત્રણ શરીરોનાં શિર-ઉર વગેરે અંગો કર-ચરણાદિથી આંગળીઓ વગેરે ઉપાંગો હોય છે ત્યાં કેટલું મૂળકરણને કેટલું ઉત્તરકરણ છે?
ઉત્તર-૧૧૪૫ – શિર, ઉર, પીઠ, બે બાહુ, ઉદર, બે જંઘા આ આઠ અંગોનું નિર્માણ તે મૂળકરણ. બીજું બધું ઉત્તર કરણ છે. તથા ઔદારિક-વૈક્રિયનું કેશ-નખ-દાંતાદિ સંસ્કારરૂપ જે કેશાદિકર્મ છે તે પણ તેમનું ઉત્તરકરણ છે. તથા તુટેલા કાનાદિ અવયવના સંઘાનાદિરૂપ ઔદારિકમાં અને કેશાદિ સંસ્થાપનરૂપ વૈક્રિયમાં આમ બંને શરીરોમાં સંસ્થાપન-અનેક પ્રકારનું હોય છે. પ્રથમ શરીરમાં લક્ષપાક તલાદિથી વર્ણાદિનું વિશેષાપાદન તે તેનું ઉત્તરકરણ અને કેશાદિના ઉપચયનરૂપ સંસ્કરણ તે વૈક્રિય શરીરનું ઉત્તરકરણ છે.
અન્યરીતે ત્રિવિધ જીવપ્રયોગકરણ - અથવા ઔદારિકનું સંઘાત-પરિશાટન અને ઉભય ત્રણ પ્રકારે કરણ જાણવું. પૂર્વભવિક ઔદારિકશરીરને છોડીને આગળના ભાવમાં ફરીથી તે ગતિમાં જે પુદ્ગલોનું સંઘાતન-ગ્રહણ અને તે જ ઔદારિકશરીર છોડીને સર્વથા તેના પુદ્ગલોનો ત્યાગ તે પરિશાટ કહેવાય છે. અને બધા સંઘાત-પરિશાટના અપાંતરાલ સમયોમાં