________________
૨૬૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ અને કેટલાકનો આચાર્યાદિ ક્રમ તમારા અભિપ્રાયથી અનિયત થાઓ અથવા તે ગણધરોના આચારપ્રવર્તકત્વને આશ્રયીને ભગવાન આચાર્ય જ છે એટલે તમારે આચાર્યાદિ જ સર્વસાધુ ગણધરોનો ક્રમ પ્રાપ્ત થાય છે?
ઉત્તર-૧૧૩૭ – જોકે આચાર્યાદિઓ અરિહંતાદિને ઉપદેશ છે છતાં જે પ્રથમ ઉપદેશગ્રાહણ ગણધરોનું તેમને આશ્રયીને કહેવાય છે તે અરિહંત પાસેથી જ છે. અન્ય આચાર્યાદિ પાસેથી નથી. જે આચાર્યો અરિહંતાદિને ઉપદેશે છે તેઓ પણ અહંદુપદિષ્ટના જ ફક્ત અનુભાષકો છે. સ્વતંત્ર દેશકો નથી. અથવા આચાર્યોપદેશાદિથી પણ અરિહંતો જણાય છે એમ મનાય તે રીતે પણ અહંદાદિ જ ક્રમ છે. તે અરિહંત જ અહંદ આચાર્ય-ઉપાધ્યાય ભાવરૂપ છે. તે મહાવીરાદિ ભગવાન અષ્ટ મહાપ્રાતિહાર્યાતિશયયોગથી અહનું તે જ તત્ત્વોપદેશાદિથી ગુરુ-આચાર્ય, તે જ ઇન્દ્રિય-કષાય-યોગાદિના વિનયનથી ઉપાધ્યાય. તેથી આચાર્યાદિ ક્રમ પર કહેતા છતાં સામર્થ્યથી અહંદાદિ ક્રમ આવે છે. એ આચાર્ય છે એટલે જિન ન હોય એવું નથી, પણ હોય જ.
જો દીલાસમયે ભગવાન છા ગુણાધિક સિદ્ધોને નમસ્કાર કરે છે. તો ભલે કરે, કોઈ દોષ નથી. કારણ કે ત્યારે છદ્મસ્થ તીર્થકર છે. એ તત્કાલ અરિહંત નથી કેવલોત્પત્તિમાં જ થાય છે.
પ્રશ્ન-૧૧૩૮ - જો છઘસ્થતીર્થકરની અપેક્ષાએ સિદ્ધો ગુણાધિક તમે માનો તો છદ્મસ્થતીર્થકરને પ્રથમ નમસ્કાર કેમ ?
ઉત્તર-૧૧૩૮ – બરાબર નથી, ત્યારે અમે છદ્મસ્થતીર્થકરાદિ નમસ્કાર માનતા નથી પરંતુ ઉત્પન્ન કેવલજ્ઞાનવાળા અહંદાદિ જ માનીએ છીએ. તે કેવલિ ભગવાન સિદ્ધાદિવસ્તુ સમૂહસ્વરૂપના ઉપદેશદાનથી સિદ્ધો કરતાં ગુણાધિક છે. એમ જણાવેલું જ છે. એટલે અહંદાદિ જ નમસ્કાર છે.
પ્રશ્ન-૧૧૩૯ – જો છઘસ્થ તીર્થકરાપેક્ષા સિદ્ધો ગુણાધિક છે તો અકૃતાર્થ છવસ્થ તીર્થકરકાળે સિદ્ધાદિ નમસ્કાર થાય એ ન્યાયી છે?
ઉત્તર-૧૧૩૯- જ્યારે અહીં ભરતાદિમાં છદ્મસ્થ તીર્થકર છે. ત્યારે પણ મહાવિદેહોમાં અન્ય કેવલિ અહંન્ત છે. તેથી અહંદાદિ નમસ્કાર નિત્ય છે. એમ માનવું જ યોગ્ય છે.
પ્રયોજન-ફળદ્વાર :- પ્રયોજન-કરણકાળે જ અક્ષેપથી જ્ઞાનાવરણાદિકર્મક્ષય અનંતકર્મપુગલના નાશ વિના ભાવથી નમસ્કારની પણ અપ્રાપ્તિ છે. તથા મંગલાગમ જે કરણકાળભાવિ છે અને કાલાન્તરભાવિ આલોક-પરલોક ભેદથી ભિન્ન બે પ્રકારનું ફલ છે.