________________
૨૫૩
ગુજરાતી પ્રશ્નોત્તર
યોગનિરોધ બાદ શૈલેષીમાં એ કાયયોગના નિરોધારંભ સમયથી માંડીને સૂક્ષ્મક્રિયાનિવૃત્તિરૂપ શુક્લધ્યાન ધ્યાવે છે. તેથી, સર્વયોગનિરોધથી ઉપર શૈલેષીકાળે સમુચ્છિન્નક્રિય અપ્રતિપાતિ શુક્લધ્યાન ધ્યાવે છે.
પ્રશ્ન-૧૧૦૮ – “થે ચિત્તાથ” એ વચનથી મનોવિશેષ મનથી કોઈ નિશ્ચલ ચિન્તાવસ્થા જ ધ્યાન કહેવાય છે. અને મન: વનિનઃ એ સૂત્રથી તેને મન નથી એટલે મન વિના કેવલીને ધ્યાનનો સંભવ ક્યાંથી હોય? એટલે કાયયોગ નિરોધારંભ ઘટતો જ નથી?
ઉત્તર-૧૧૦૮– “ભાંગિકસૂત્ર ગણતો ત્રણે પ્રકારના ધ્યાનમાં વર્તે છે.” એ સૂત્રથી ત્રણે પ્રકારના યોગમાં સિદ્ધાંતમાં ધ્યાન કહેલુ જ છે. તેથી મનોવિશેષ જ ધ્યાન માનવું અનૈકાન્તિક છે, વાફ-કાયના વ્યાપારમાં પણ ધ્યાન કહેલું જ છે. મનના અભાવે કેવલિને મનોમય તથા મનપૂર્વક હોવાથી વિશિષ્ટ વાચિક ધ્યાન ન હોય તો ભલે ના હોય પણ જે કાયનિરોધ પ્રયત્નસ્વભાવ ધ્યાન અહીં છે તેને કોણ રોકે છે? જો છબસ્થને મનોનિરોધ માત્ર પ્રયત્નરૂપ ધ્યાન છે તો કેવલીને કાયયોગ નિરોધ પ્રયત્નવાળું ધ્યાન કેમ ન હોય? તેને મનના અભાવે છબસ્થની જેમ સૂક્ષ્મક્રિયા નિવૃજ્યાદિ ધ્યાન સંભવતું નથી.
પ્રશ્ન-૧૧૦૯- તો સૂતેલા જીવને પણ તે ધ્યાન કેમ નથી માનતા?
ઉત્તર-૧૧૦૯ - સુતેલા જીવને કાયનિરોધરૂપ પ્રયત્ન નથી તેથી તેને ધ્યાન નથી અને કેવલીને તો એવો પ્રયત્ન છે તેથી તેમને તે ધ્યાન છે.
પ્રશ્ન-૧૧૧૦ - તો કેવલીને પણ મનના અભાવે કાયનિરોધનો પ્રયત્ન ક્યાંથી હોય? અથવા સુતેલાને તો કાંઈક માત્ર મન હોય છે કેવલીને તો તેટલું પણ નથી. તેથી તેમના ધ્યાનની તો વાત જ ક્યાં રહી?
ઉત્તર-૧૧૧૦ – એ બરાબર છે કે મનરૂપ યોગ માત્રને અનુસરનારા જ્ઞાનવાળા છદ્મસ્થને સુપ્તાવસ્થામાં મનોયોગાભાવે કાયનિરોધનો પ્રયત્ન ન હોય પણ કેવલીને તે યોગ્ય નથી, મનના અભાવે પણ તેમને કેવલજ્ઞાન છે.
પ્રશ્ન-૧૧૧૧ – જો અમનસ્ક કેવલીનું ધ્યાન માનો તો સિદ્ધનું કેમ નથી માનતા?
ઉત્તર-૧૧૧૧ – સિદ્ધને કરણાભાવે પ્રયત્ન નથી અને યોગલક્ષણ નિરોધ કરવા યોગ્ય કશું નથી, એટલે પ્રયત્ન અને પ્રયોજનના અભાવે સિદ્ધને ધ્યાન નથી.
પ્રશ્ન-૧૧૧૨ – શૈલેશી અવસ્થામાં કેવલી શું કરે છે?
ઉત્તર-૧૧૧૨– અસંખ્યાતગુણ ગુણશ્રેણિમાં પૂર્વે રચેલું કર્મ આ આવસ્થામાં પ્રતિસમય ખપાવે છે. મનુષ્યગતિ-પંચેન્દ્રિય જાતિ-ત્રસ-બાદર-પર્યાપ્ત સુભગ-આય-અન્યતર