________________
૨૫૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
તે હ્રસ્વઆયુષ્યને દીર્ઘ કરવાથી થાય. તેથી તે મુમુક્ષનો વેદનીયાદિનો ક્રમક્ષય જ ઘટે છે. અર્થાત્ પ્રથમ આયુ પછી શેષ કર્મોનો ક્ષય થાય છે એમ જ માનવું જોઈએ ને?
ઉત્તર-૧૦૯૮- કર્મક્ષયકાળે અથવા ક્રમક્ષયે જો આયુ પહેલાં જ સમાપ્ત થઈ જાય અને શેષ કર્મો ક્રમશઃ પાછળથી ક્ષય થાય તો એ ક્ષણાયુષ્ક શેષ કર્મ ખપાવવા સંસારમાં કઈ રીતે રહે, આયુષ્યનો જ અભાવ છે.
પ્રશ્ન-૧૦૯૯ - તેના અભાવે જ એ સિદ્ધ થાય એ કોણ રોકે છે?
ઉત્તર-૧૦૯૯ – બરાબર નથી, કેમકે આયુષ્ય ક્ષય થતાં વેદનીયાદિ કર્માશવાળો કઈ રીતે સિદ્ધ થાય? સકલકર્મોના ક્ષયથી મોક્ષ થાય છે. એ તો પાઠ સિદ્ધ છે. તેથી શેષકર્મત્રિકને અપર્વતનાથી તોડીને આયુષ્યના સમાન કરે છે. (ગ્રં-૨૫૦૦૦) પ્રશ્ન-૧૧૦૦ – આ રીતે કરેલા કૃતનાશાદિ દોષને કઈ રીતે દૂર કરશો?
ઉત્તર-૧૧૦૦ – એ દોષનો પરિહાર પહેલાં અમે ઉપક્રમકાલ વિચારમાં 7 હિં તીહતિયક્ષ વિનાનો તરૂાનુકૂફો વિM | વહIનાહારસ્ત વ ડુપિયરબિળો મોળો | જેમ બહુકાળ ભોગવવા યોગ્ય આહારનો ભસ્મક રોગવાળો જલ્દી ભોગ કરી નાંખે છે તેમ દીર્ઘકાળ ભોગવવા યોગ્ય કર્મનો જલ્દી અનુભવ કરીને નાશ કરે છે. (૨૦૪૮) ઈત્યાદિ ગ્રન્થથી કહ્યું છે. જેમ જ્ઞાન-ક્રિયાદ્વારા ચિરકાલસ્થિતિક પણ કર્મનો જલ્દીથી ક્ષય કરાય છે, તથા પહેલાં પણ સફ઼મુવામિન્ન તો વિય સક્રોનો ત્ર (૨૦૧૬) ઇત્યાદિથી અનેકવાર કહ્યું છે. જો ઉપક્રમ ન માનો તો અમોક્ષાદિ દોષો પ્રાપ્ત થાય. ન તાજુભૂફ વિય વિMા મૂત્રહી મય (ગા. ૨૦૫૨) ઇત્યાદિથી પહેલા કહેલું જ છે એટલે નાડી વેગિન્ન (૩૦૩૦)ની વ્યાખ્યા કરી છે.
પ્રશ્ન-૧૧૦૧ – સમસ્થિતિક કર્મોમાં આયુષ્ય જ અલ્પ છે વેદનીયાદિક અતિ બહુ છે એવો નિયમ શા માટે? કે જેથી નાડ વેલ્યનિષ્ણ કહેવાય છે એવું કેમ ન કહેવાય કે “નાઝUT આયુષ્ય તુ વદુર્થ થવયં વેબ” ?
ઉત્તર-૧૧૦૧ – આયુષ્યનો બંધપરિણામ સ્વાભાવથી એવા પ્રકારનો છે કે જેથી છેવટે વેદનીયાદિ અપેક્ષાએ સમાન કે અલ્પ હોય છે. દષ્ટાંત-જેમ બંધપરિણામ સ્વાભાવ્યથી તે આયુષ્યનો અદ્યુવબંધ થાય છે. કારણ તેનો બંધકાળ અંતર્મુહૂર્ત માત્ર છે. વેદનીયાદિ ધ્રુવબંધિ હોવાથી બંધ પરિણામ થતો નથી. એટલે અહીં પણ આયુષ જ અલ્પ છે વેદનીયાદિ નહિ.
પ્રશ્ન-૧૧૦૨ – સમુદ્યાતગત જીવ વેદનીયાદિ કર્મનું શું કરે છે?