Book Title: Visheshavashyak Bhashya Part 02
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 255
________________ ૨૩૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ कर्तुरेवाधीनत्वात्, तदधीनत्वं च (१) तेनैव क्रियमाणत्वात् । तथा (२) तद्गुणत्वात्, જ્ઞાન-શબ્દ ક્રિયારૂપે નમસ્કાર કર્તાનો ગુણ હોવાથી તથા નમસ્કારના ફલ સ્વર્ગાદિના (૩) ૩૫મીકાત્ તે નમસ્કારનો કારણભૂત કર્મક્ષયોપશમ તેના કર્તામાં જ (૪) સતાવત્ અને કારણના ત્યાગે કાર્યનો અન્યત્ર યોગ નથી. તથા તોપતિ (પ) તત્પરિણામરૂપત્તાત્ શબ્દાદિનયો:- શબ્દનય મતે નમસ્કાર ઉપયોગરૂપ જ્ઞાન જ છે. શબ્દ-ક્રિયા નહિ. તેથી વિશેષથી જ નમસ્કારને તેઓ બાહ્ય-પૂજ્ય જીનેન્દ્રાદિ કે તેમની પ્રતિમાદિનો તે નમસ્કાર ઇચ્છતા નથી. પણ તેના ઉપયોગવાળા અંતરંગ પૂજકજીવનો જ ઈચ્છે છે. ન દ્વાર - મતિ-શ્રુત જ્ઞાનાવરણ અને દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમથી નમસ્કાર પ્રાપ્ત થાય છે. તે આવરણના નમસ્કારને ઉપઘાતક ૨ પ્રકારના સ્પર્ધકો હોય છે. સર્વોપઘાતિદેશોપઘાતિ, ત્યાં સર્વ સર્વઘાતિ સ્પર્ધકો નષ્ટ થતા અને દેશોપઘાતિ પ્રતિસમય અનંત ભાગોથી છોડાતા ક્રમે નમસ્કારનો પ્રથમ ન કાર રૂપ અક્ષર પ્રાપ્ત થાય છે. એમ એક-એક વર્ણની પ્રાપ્તિથી આખો નવકાર પ્રાપ્ત થાય છે. વનિ દ્વાર - નૈગમ વ્યવહારના મતે પૂર્વે કહેલા જીવાદિ આઠ ભંગમાં નમસ્કર્તા જીવના આધારભૂત જીવાદિ બાહ્યવસ્તુમાં નમસ્કાર થાય છે. કારણ કે નમસ્કાર નમસ્કતંજીવથી અભિન્ન છે. તેથી એ જીવ જે જીવમાં, અજીવમાં કે ઉભયમાં અનેક જીવઅજીવ-ઉભયોમાં હોય છે તે નમસ્કાર પણ ત્યાં જ હોય નહિ તો અભેદ ન ઘટી શકે. પ્રશ્ન-૧૦૭૯ – આ નમસ્કાર પૂજ્ય સંબંધિ છે તો તે પૂજ્યમાં જ કેમ ન થાય? ઉત્તર-૧૦૭૯ – સાચું. નૈગમાદિમતથી તે પૂજયનો જ નમસ્કાર અમે માનીએ છીએ. એ કાંઈ અમે ભૂલી ગયા નથી. ફક્ત તે પૂજ્યમાં જ એ નમસ્કાર હોય એવો નિયમ નથી. જે જેનો સંબંધી હોય તે જ તેનો આધાર હોય એવું નથી. અન્ય પ્રકારે પણ હોઈ શકે. જેમકે, ધાન્ય દેવદત્તાદિ નર સંબંધિ હોય છે તે ત્યાં તેની અંદર જ નથી હોતું પણ આધારભૂત ક્ષેત્રમાં છે. સંગ્રહનય :- નમસ્કારને સામાન્ય આધારમાં માને છે. આધારનું જીવાદિ વિશેષણ કરવા યોગ્ય છતે સામાન્યવાદિ હોવાથી એ અભેદ તત્પર છે. તેથી અવિશિષ્ટ આધારમાં નમસ્કારને માને છે. આધારિત ભેદથી નમસ્કાર સામાન્યમાત્રના પણ સદા ભેદને એ ઇચ્છતો નથી પરંતુ અભેદ જ ઈચ્છે છે અથવા અન્ય અન્યત્ર છે નમસ્કાર જીવમાં છે એવા વ્યધિકરણને એ મૂળથી જ ઈચ્છતો નથી. અથવા કોઈ અશુદ્ધતર સંગ્રહ નમસ્કારને જીવમાં જ ઇરછે છે અજીવમાં નહિ.

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304