________________
૨૩૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
कर्तुरेवाधीनत्वात्, तदधीनत्वं च (१) तेनैव क्रियमाणत्वात् । तथा (२) तद्गुणत्वात्, જ્ઞાન-શબ્દ ક્રિયારૂપે નમસ્કાર કર્તાનો ગુણ હોવાથી તથા નમસ્કારના ફલ સ્વર્ગાદિના (૩) ૩૫મીકાત્ તે નમસ્કારનો કારણભૂત કર્મક્ષયોપશમ તેના કર્તામાં જ (૪) સતાવત્ અને કારણના ત્યાગે કાર્યનો અન્યત્ર યોગ નથી. તથા તોપતિ (પ) તત્પરિણામરૂપત્તાત્
શબ્દાદિનયો:- શબ્દનય મતે નમસ્કાર ઉપયોગરૂપ જ્ઞાન જ છે. શબ્દ-ક્રિયા નહિ. તેથી વિશેષથી જ નમસ્કારને તેઓ બાહ્ય-પૂજ્ય જીનેન્દ્રાદિ કે તેમની પ્રતિમાદિનો તે નમસ્કાર ઇચ્છતા નથી. પણ તેના ઉપયોગવાળા અંતરંગ પૂજકજીવનો જ ઈચ્છે છે.
ન દ્વાર - મતિ-શ્રુત જ્ઞાનાવરણ અને દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમથી નમસ્કાર પ્રાપ્ત થાય છે. તે આવરણના નમસ્કારને ઉપઘાતક ૨ પ્રકારના સ્પર્ધકો હોય છે. સર્વોપઘાતિદેશોપઘાતિ, ત્યાં સર્વ સર્વઘાતિ સ્પર્ધકો નષ્ટ થતા અને દેશોપઘાતિ પ્રતિસમય અનંત ભાગોથી છોડાતા ક્રમે નમસ્કારનો પ્રથમ ન કાર રૂપ અક્ષર પ્રાપ્ત થાય છે. એમ એક-એક વર્ણની પ્રાપ્તિથી આખો નવકાર પ્રાપ્ત થાય છે.
વનિ દ્વાર - નૈગમ વ્યવહારના મતે પૂર્વે કહેલા જીવાદિ આઠ ભંગમાં નમસ્કર્તા જીવના આધારભૂત જીવાદિ બાહ્યવસ્તુમાં નમસ્કાર થાય છે. કારણ કે નમસ્કાર નમસ્કતંજીવથી અભિન્ન છે. તેથી એ જીવ જે જીવમાં, અજીવમાં કે ઉભયમાં અનેક જીવઅજીવ-ઉભયોમાં હોય છે તે નમસ્કાર પણ ત્યાં જ હોય નહિ તો અભેદ ન ઘટી શકે. પ્રશ્ન-૧૦૭૯ – આ નમસ્કાર પૂજ્ય સંબંધિ છે તો તે પૂજ્યમાં જ કેમ ન થાય?
ઉત્તર-૧૦૭૯ – સાચું. નૈગમાદિમતથી તે પૂજયનો જ નમસ્કાર અમે માનીએ છીએ. એ કાંઈ અમે ભૂલી ગયા નથી. ફક્ત તે પૂજ્યમાં જ એ નમસ્કાર હોય એવો નિયમ નથી. જે જેનો સંબંધી હોય તે જ તેનો આધાર હોય એવું નથી. અન્ય પ્રકારે પણ હોઈ શકે. જેમકે, ધાન્ય દેવદત્તાદિ નર સંબંધિ હોય છે તે ત્યાં તેની અંદર જ નથી હોતું પણ આધારભૂત ક્ષેત્રમાં છે.
સંગ્રહનય :- નમસ્કારને સામાન્ય આધારમાં માને છે. આધારનું જીવાદિ વિશેષણ કરવા યોગ્ય છતે સામાન્યવાદિ હોવાથી એ અભેદ તત્પર છે. તેથી અવિશિષ્ટ આધારમાં નમસ્કારને માને છે. આધારિત ભેદથી નમસ્કાર સામાન્યમાત્રના પણ સદા ભેદને એ ઇચ્છતો નથી પરંતુ અભેદ જ ઈચ્છે છે અથવા અન્ય અન્યત્ર છે નમસ્કાર જીવમાં છે એવા વ્યધિકરણને એ મૂળથી જ ઈચ્છતો નથી. અથવા કોઈ અશુદ્ધતર સંગ્રહ નમસ્કારને જીવમાં જ ઇરછે છે અજીવમાં નહિ.