________________
૨૪૩
ગુજરાતી પ્રશ્નોત્તર
પ્રશ્ન-૧૦૮૯ – જિનોપદેશથી જ તે માર્ગમાં રૂચિલક્ષણ અર્થિતા છે તે માર્ગનું જે ફળ છે સિદ્ધસુખરૂપ અને તેની પ્રાપ્તિ આ બધું થાય છે તો અવિપ્રણાશ હેતુનો ન્યાસ કરવાનું શું કામ છે?
ઉત્તર-૧૦૮૯ – સાચું છે, તો પણ તે માર્ગનું જે સિદ્ધસુખલક્ષણ ફળ છે તેના અવિપ્રણાશથી વિશેષિતતર રૂચિ માર્ગમાં થાય છે. એટલે સિદ્ધોનો અપ્રવિણાશરૂપ હેતુ કહેવો જ જોઈએ.
પ્રશ્ન-૧૦૯૦ – તો પછી તુસ્થિો મમિત્ત ગણા સુપત્નિો હવ મિત્ત એ વાક્યથી નિશ્ચયનય મતે આત્મા જ મોક્ષમાર્ગ છે અને રૂચિ-સમ્યક્ત આત્મા જ છે. તો પછી આ અહીં બહારના અવિપ્રણાશ હેતુના ઉપન્યાસનું શું કામ છે?
ઉત્તર-૧૦૯૦ – સાચું છે, છતાં વ્યવહારનય મતે જેમ માર્ગોપદેશક હોવાથી તીર્થકરો માર્ગોપકારી કહેવાય છે. તેમ ક્ષણસંસારી સિદ્ધો અવિપ્રણાશથી માર્ગોપકાર કહેવાય છે. એટલે દોષ નથી.
અન્ય પ્રકારે નમસ્કારની યોગ્યતામાં અરિહંતોના ગુણો -
राग-दोस-कसाए य इंदियाणि य पंचवि । परिसहे उवसग्गे नामयंता नमोरिहा । ॥२९६०॥
રાગ :- જેનાથી કે જેમાં ક્લિષ્ટસત્ત્વવાળા પ્રાણીઓ સ્ત્રી વગેરેમાં રંગાય તે રાગ. તે નામાદિ ૪ પ્રકારનો છે. તેમાં નામ-સ્થાપના અને જ્ઞ-ભવ્ય શરીર, દ્રવ્યરાગ સમજી શકાય એવો છે પરંતુ જ્ઞ-ભચવ્યતિરિક્ત દ્રવ્ય વિચારમાં રાગ શું છે? (૧) કર્મ દ્રવ્યરાગ (૨) નોકર્મ દ્રવ્યરાગ.
(૧) કર્મદ્રવ્ય રાગઃ - ૪ પ્રકારના પુગલો હોય છે (૧) યોગ્ય બંધપરિણામાભિમુખ (૨) બધ્યમાન-પ્રારબ્ધબંધક્રિયાવાળા (૩) બદ્ધ ઉપરતબંધક્રિયા (૪) ઉદીરણાકરણથી ખેંચીને ઉદીરણાવલિકામાં પ્રાપ્ત થયેલા પણ હજુ સુધી ઉદયમાં ન આવેલા.
(૨) નોકર્મદ્રવ્ય રાગ - ૨ પ્રકારે પ્રયોગથી, વિગ્નસાથી પ્રયોગથી-કુસુંભરાગાદિ, વિગ્નસાથી સભ્યોશ્વરાગાદિ.
ભાવરાગ:- રાગથી વેદાય તે માયા-લોભરૂપ કર્મ ઉદયને પ્રાપ્ત થયેલું વિપાકથી વેદાય છે અને તેનાથી જનિત જીવપરિણામરૂપ જે અભિવ્વલ તે ભાવરાગ. તે ત્રણ પ્રકારના રાગરૂપ છે (૧) દષ્ટયનુરાગ (૨) વિષયાનુરાગ (૩) સ્નેહાનુરાગ.