________________
૨૪૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
છે, ગૃહસ્થો નહિ, તેમને આપેલા વસ્ત્રપાત્રાદિ સાધનો પણ નહિ. તેઓ માત્ર અરિહંતાદિ પાસેથી પ્રાપ્ત કરેલ જ્ઞાનાદિત્રયના જ ઉપકારી છે. અને અરિહંતો સ્વયં પણ મોક્ષનો માર્ગ છે. કારણ કે તેમના દર્શન માત્રથી જ ભવ્યજીવોને તેની પ્રાપ્તિમાં તેઓ કારણભૂત થાય છે. એટલે જ્ઞાનાદિ માર્ગના દાતા હોવાથી અને સ્વયં માર્ગ હોવાથી અરિહંતો જ પૂજય છે ગૃહસ્થાદિ નહિ એટલે અતિવ્યાપ્તિ નહિ રહે.
સિદ્ધો જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ માર્ગથી મોક્ષમાં ગયા છે. તે પણ અવિપ્રણાશથીઅનુચ્છિન્ન પરંપરાથી, એટલે કે કૃતાર્થ હોવાથી તેઓ પૂજ્ય છે. પૂજ્યા સિદ્ધા, વિUશવૃદ્ધિનનāન માપારિવાત, જિનેન્દ્રવત્ ા અને આ કારણથી અહીં તેઓ પૂજ્ય છે જ્ઞાનાદિગુણ સમૂહાત્મકત્વાતુ, જિનાચાર્યદિવત્ જ્ઞાનાદિ ગુણમય હોવાથી જિનેશ્વરાદિકની જેમ તેઓ પૂજ્ય છે.
પ્રશ્ન-૧૦૮૮ – સમ્યજ્ઞાનાદિ ગુણોની પૂજામાત્રથી પણ સ્વર્ગ-મોક્ષાદિ વિશિષ્ટ ફળ થાય છે. એમ તે ગુણવાળા સિદ્ધોની પૂજા અમે માનીએ છીએ પણ નિરવ તે સિદ્ધ કપિ માપરિપઃ એવું જે કહો છો તે સિદ્ધો ને માર્ગોપકારીપણું ક્યાંથી?
ઉત્તર-૧૦૮૮- જો ગુણવાળા સિદ્ધના ગુણની પૂજાથી ફળ છે એવું તું માને છે, તો આ ઉપકાર પણ તે સિદ્ધો થકી તું માન. નહિતો સિદ્ધાભાવે તેમની પૂજા વળી કેવી ? અને તેનું ફળ કેવું? એટલે નિવૃતિ છતાં સિદ્ધાભાવથી અવિપ્રણાશબુદ્ધિ પણ થતી નથી. એમ આ ઉપકાર તેમના થકી કેમ ન થાય? અથવા વિપ્રવુદ્ધિહેતુત્વાન્ માપારિ: સિદ્ધ: આ વાત અન્યરીતે પણ સિદ્ધ થાય છે-આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ઇચ્છિતનગર એવા મોક્ષનગરનો માર્ગ છે એમ સિદ્ધોથી જ સિદ્ધ-નિશ્ચિત છે. અન્યથી નહિ. કેમકે એમાં મુમુક્ષુના નાશનો અભાવ છે. અને સિદ્ધના અનાશે આ સન્માર્ગ છે એવો મુમુક્ષુને પ્રત્યય થાય છે. સિદ્ધાભાવે આ પ્રત્યય ક્યાંથી થાય ? ભાવાર્થ-જેમ પાટલિપુત્રાદિનગરનો માર્ગ કોઈ ઇચ્છિતનગરે જ્વાવાળા સાર્થવાહના નિરપાયગમન દ્વારા અવિપ્રણાશથી આ સન્માર્ગ છે એવો નિર્ણય થાય છે એમ, સમ્યગ્દર્શનાદિક મોક્ષમાર્ગ પણ ઇચ્છિત એવા મોક્ષપુરમાં જનારા ભવ્યજીવરૂપી સાર્થના નિરપાયગમનથી અવિછિન્નથી આ સન્માર્ગ છે એવો નિર્ણય થાય છે. આવા માર્ગરૂપ નિશ્ચયના જનક હોવાથી સિદ્ધો માર્ગપકારી છે એટલે પૂજ્ય છે.
વળી, સિદ્ધોના અવિનાશીભાવથી તથા અનુપમ સુખરૂપ ફળને જાણવાથી સમ્યગદર્શનાદિરૂપ મોક્ષ માર્ગમાં જે પ્રીતિ થાય છે, તે સિદ્ધોથી જ થાય છે, બીજાથી નથી થતી. માટે મોક્ષમાર્ગમાં રૂચિ ઉત્પન્ન કરવારૂપ ઉપકાર સિદ્ધોનો જ છે.