________________
૨૪૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
કરાય છે. કારણ કે બંન્ને અભિન્ન છે. જેમ-અગ્નિ ઉપયુકત માણવક તદુપયોગાન વાત્ અગ્નિ જ થાય છે. તેમ, નમસ્કાર પરિણત જીવ તદુપયોગાન વાત્ નમસ્કાર જ નિયંપનામાં થાય છે. આટલો આ બંનેમાં વિશેષ છે.
૪. ચતુર્વિધ પ્રરૂપણા - (૧) પ્રકૃતિ (૨) નિષેધ :- નમસ્કાર-નમસ્કાર પરિણત સમ્યગ્દષ્ટિ જીવ નમસ્કાર, અનમસ્કાર-નમસ્કારની પરિણતિ રહિત-અનુપયુક્ત સમ્યગ્દષ્ટિ જીવ અથવા તલ્લબ્ધિ રહિત કે નમસ્કાર કારણ ક્ષયોપશમ રહિત મિથ્યાષ્ટિ જીવ તે.
(૨) નો નમસ્કારઃ- નોશબ્દ દેશ-પ્રતિષેધ વચન છે. તેનાથી પરિણત સમ્યગ્દષ્ટિ જીવનો દેશ એક દેશ કહેવાય છે. સર્વનિષેધવચનમાં તે નોનમસ્કાર અનમસ્કાર જ જણાય છે.
(૩) નોઅનમસ્કાર - નોશબ્દના સર્વનિષેધપક્ષમાં નમસ્કાર જ થાય છે બંને નિષેધ સ્વાભાવિઅર્થ ગમક છે. તો નગૌ પ્રત્યર્થ મયતઃ દેશનિષેધવચન નો શબ્દમાં તો પૂર્વોક્તરૂપ નમસ્કારનો એકદેશ તે નો અનમસ્કાર જણાય છે.
નમસ્કાર-અનમસ્કારની ચતુર્ભગીમાં ઉપચરિત-વાસ્તવિક રૂપ
ત્રીજા ભાંગામાં જે નમસ્કારનો એક દેશ નોનમસ્કાર કહ્યો અને ચોથા ભાંગામાં અનમસ્કારનો એક દેશ નોઅનમસ્કાર કહ્યો છે. તે ઉપચાર દેશનાથી છે. અહીં ઔપચારિકતા-નોનમસ્કાર અને નોઅનમસ્કારરૂપના દેશ-પ્રતિષેધ વચન-નોશબ્દમાં સંપૂર્ણવસ્તુના અભાવથી છે. પ્રથમભંગ-પ્રકૃતિ અને બીજો-નિષેધ એ બંને ભાંગા સભૂતનિરૂપચરિત છે. આ ભંગવાચ્ય નમસ્કારવસ્તુનો અને અનમસ્કારરૂપ વસ્તુનો સર્વથાભાવ છે.
આ ચારે ભાંગાને નયોથી વિચાર કરવામાં આવે, તો પણ શબ્દનયો-શુદ્ધહોવાથી અખંડસંપૂર્ણ વસ્તુ ઇચ્છે છે, અને નૈગમાદિ અવિશુદ્ધ હોવાથી દેશ-પ્રદેશરૂપ પણ માને છે. એટલે ત્રણે વ્યંજનનયોની ભંગ પ્રરૂપણામાત્રથી પ્રકૃતિ-અકાર-નોકાર-ઉભયયોગથી ચારરૂપવાળો પણ નમસ્કાર થઈને બધો નમસ્કાર નમસ્કારને અનમસ્કાર એમ બે રૂપનો જ બચે છે. અને પ્રથમ-બીજા ભાંગાથી વાચ્ય જ રહે છે કેમકે તેમના મતે નો નમસ્કાર અને નો અનમસ્કારરૂપ ૩-૪ ભાંગો શૂન્ય જ છે, અને શેષ નૈગમાદિ નયના તો બધાય ભાંગા વાસ્તવિક જ છે તેમના મતે દેશ-પ્રદેશ પણ વિદ્યમાન છે.
વધાર- વસ્તુ-દલિક, “નમો અભિધાનને યોગ્ય પાંચ ગુણરાશિઓ અહંદુ આદિઅહંત-સિદ્ધ-આચાર્ય ઉપાધ્યાય-સાધુઓ આરીતે અહિંદાદિ પાંચ વસ્તુ ગુણરાશિઓ છે. આ રીતે ગુણ-ગુણીનો અભેદ કહ્યો. ગુણ-ગુણીનો ભેદ ઉપચાર-જ્યાં જ્ઞાનાદિ ગુણો રહે છે તે