________________
૨૪૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૧) કુપ્રવચનોમાં આસક્તિ તે પહેલો દૃષ્ટિરાગ. (૨) શબ્દાદિવિષયોમાં જે રાગ થાય તે વિષયરાગ. (૩) વિષયાદિનિમિત્ત સિવાય અવિનિત એવા પણ પુત્ર-બંધુ આદિમાં જે રાગ થાય તે સ્નેહાનુરાગ.
દોષઃ- જેનાથી, જેમાં પ્રાણીઓ વિકૃતિ પામે છે તે દોષ-નામાદિ ૪ પ્રકારે છે. તેમાં વ્યતિરિક્તદ્રવ્ય વિચારના બે ભેદ છે. (૧) કર્મદ્રવ્યદોષ (૨) નોકર્પદ્રવ્ય દોષ.
(૧) ૪ પ્રકારના પુદ્ગલો કે જે બંધનયોગ્ય, બંધાતા, બંધાયેલા તથા ઉદયાવલિકા પામેલા કર્મપુદ્ગલો એ કર્મદ્રવ્ય દોષ છે. (૨) દુષ્ટવર્ણ વગેરે
ભાવદોષ - દોષવેદનીય કે ષવેદનીય જે કર્મ ઉદયમાં આવેલું તે ભાવદોષ કે ભાવષ કહેવાય છે. અને આ સ્વભાવસ્થ વસ્તુ શરીરાદિની વિકૃતિસ્વભાવવાળો કાર્યમાં કારણના ઉપચારથી પ્રકૃતિ અન્યથાભાવ રૂપ છે. ત્યાં ભાવદોષ-અનિચ્છિતલિંગવાળો અનિષ્ટ દુષ્ટ પ્રણાદિકાર્યગમ્ય છે. ભાવષ અપ્રીતિલિંગ છે. અહીં ક્રોધ-માનનો કોઈપણ મિશ્રપરિણામ અપ્રીતિજાતિ સામાન્યથી સંગ્રહમતે દ્વેષ છે. અને માયા-લોભ પ્રીતિજાતિ સામાન્યથી તે રાગ માને છે. વ્યવહારનય તો ક્રોધ-માન અને માયા ને પણ દ્વેષ માને છે, કારણ કે એ પણ પરોપઘાત-પરવંચના માટે જ કરાય છે. ન્યાય-નીતિથી માયાવિના ઉપાર્જિત દ્રવ્યમાં પણ જેનાથી મૂચ્છ થાય તે લોભ રાગ છે. અન્યાયોપાર્જિત દ્રવ્યમાં તો માયાદિષાયના સંભવથી દ્વેષ જ હોય, એટલે ન્યાયપાદાન વિશેષણ છે.
ઋજુસૂત્ર-ક્રોધ-અપ્રીતિરૂપ હોવાથી ષ માને છે અને શેષ ત્રણના વિષયમાં તે અનેકાન્ત માને છે. તેના મતે અહંકારના ઉપયોગકાળે માન એ રાગ છે. એ રીતે પરોપઘાત માટે વપરાતા માયા-લોભ ષ છે. અને સ્વશરીર-સ્વઘન-સ્વજનાદિમાં મૂચ્છુપયોગકાળે તે બંને રાગ છે.
શબ્દાદિ ત્રણ મત-માન અને માયા સ્વગુણ ઉપકાર માટે વપરાતા જે ઉપયોગ છે તે લોભ જ છે કારણ કે, બે સ્વગુણ ઉપકારનો ઉપયોગ પોતાનામાં મૂચ્છરૂપ હોવાથી લોભ તેમાં જ અંતર્ભત છે. એટલે એ પણ બંને લોભની જેમ રાગ છે. અને પરોપઘાત ઉપયોગ રૂપ જે માન-માયાના અંશો છે તે બધું ક્રોધ છે. એ બધા પરોપઘાતમય હોવાથી દ્વેષ છે. એટલું જ નહિ લાભ પણ દ્વેષ છે. તે પણ પરોપઘાત પ્રયોગરૂપ હોય તો; ભાવાર્થ એટલો જ કે-ક્રોધ સિવાયના બીજા ત્રણે કષાયોમાં જે મૂચ્છરૂપ અનુરંજન છે તે રાગ માનવો.
કષાયઃ- જેનાથી જીવો પીડા પામે તે કષ-કર્મ અથવા ભવ તેનો જેનાથી લાભ થાય તે કષાય' કહેવાય. અથવા જેનાથી જીવ કહ્યા મુજબનો કષ પામે તે “કષાય' અથવા પૂર્વોક્ત