SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૧) કુપ્રવચનોમાં આસક્તિ તે પહેલો દૃષ્ટિરાગ. (૨) શબ્દાદિવિષયોમાં જે રાગ થાય તે વિષયરાગ. (૩) વિષયાદિનિમિત્ત સિવાય અવિનિત એવા પણ પુત્ર-બંધુ આદિમાં જે રાગ થાય તે સ્નેહાનુરાગ. દોષઃ- જેનાથી, જેમાં પ્રાણીઓ વિકૃતિ પામે છે તે દોષ-નામાદિ ૪ પ્રકારે છે. તેમાં વ્યતિરિક્તદ્રવ્ય વિચારના બે ભેદ છે. (૧) કર્મદ્રવ્યદોષ (૨) નોકર્પદ્રવ્ય દોષ. (૧) ૪ પ્રકારના પુદ્ગલો કે જે બંધનયોગ્ય, બંધાતા, બંધાયેલા તથા ઉદયાવલિકા પામેલા કર્મપુદ્ગલો એ કર્મદ્રવ્ય દોષ છે. (૨) દુષ્ટવર્ણ વગેરે ભાવદોષ - દોષવેદનીય કે ષવેદનીય જે કર્મ ઉદયમાં આવેલું તે ભાવદોષ કે ભાવષ કહેવાય છે. અને આ સ્વભાવસ્થ વસ્તુ શરીરાદિની વિકૃતિસ્વભાવવાળો કાર્યમાં કારણના ઉપચારથી પ્રકૃતિ અન્યથાભાવ રૂપ છે. ત્યાં ભાવદોષ-અનિચ્છિતલિંગવાળો અનિષ્ટ દુષ્ટ પ્રણાદિકાર્યગમ્ય છે. ભાવષ અપ્રીતિલિંગ છે. અહીં ક્રોધ-માનનો કોઈપણ મિશ્રપરિણામ અપ્રીતિજાતિ સામાન્યથી સંગ્રહમતે દ્વેષ છે. અને માયા-લોભ પ્રીતિજાતિ સામાન્યથી તે રાગ માને છે. વ્યવહારનય તો ક્રોધ-માન અને માયા ને પણ દ્વેષ માને છે, કારણ કે એ પણ પરોપઘાત-પરવંચના માટે જ કરાય છે. ન્યાય-નીતિથી માયાવિના ઉપાર્જિત દ્રવ્યમાં પણ જેનાથી મૂચ્છ થાય તે લોભ રાગ છે. અન્યાયોપાર્જિત દ્રવ્યમાં તો માયાદિષાયના સંભવથી દ્વેષ જ હોય, એટલે ન્યાયપાદાન વિશેષણ છે. ઋજુસૂત્ર-ક્રોધ-અપ્રીતિરૂપ હોવાથી ષ માને છે અને શેષ ત્રણના વિષયમાં તે અનેકાન્ત માને છે. તેના મતે અહંકારના ઉપયોગકાળે માન એ રાગ છે. એ રીતે પરોપઘાત માટે વપરાતા માયા-લોભ ષ છે. અને સ્વશરીર-સ્વઘન-સ્વજનાદિમાં મૂચ્છુપયોગકાળે તે બંને રાગ છે. શબ્દાદિ ત્રણ મત-માન અને માયા સ્વગુણ ઉપકાર માટે વપરાતા જે ઉપયોગ છે તે લોભ જ છે કારણ કે, બે સ્વગુણ ઉપકારનો ઉપયોગ પોતાનામાં મૂચ્છરૂપ હોવાથી લોભ તેમાં જ અંતર્ભત છે. એટલે એ પણ બંને લોભની જેમ રાગ છે. અને પરોપઘાત ઉપયોગ રૂપ જે માન-માયાના અંશો છે તે બધું ક્રોધ છે. એ બધા પરોપઘાતમય હોવાથી દ્વેષ છે. એટલું જ નહિ લાભ પણ દ્વેષ છે. તે પણ પરોપઘાત પ્રયોગરૂપ હોય તો; ભાવાર્થ એટલો જ કે-ક્રોધ સિવાયના બીજા ત્રણે કષાયોમાં જે મૂચ્છરૂપ અનુરંજન છે તે રાગ માનવો. કષાયઃ- જેનાથી જીવો પીડા પામે તે કષ-કર્મ અથવા ભવ તેનો જેનાથી લાભ થાય તે કષાય' કહેવાય. અથવા જેનાથી જીવ કહ્યા મુજબનો કષ પામે તે “કષાય' અથવા પૂર્વોક્ત
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy