________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૩૯ (૭) ભાવ:- લાયોપથમિક ભાવમાં નમસ્કાર હોય છે, એમ પ્રચુરતા આશ્રયીને કહ્યું છે. નહિ તો કેટલાક ક્ષાયિક-ઔપથમિકમાં પણ કહે છે. ક્ષાયિકમાં શ્રેણિકાદિ અને ઔપથમિકમાં ઉપશમ શ્રેણીમાં રહેલાને.
(૮) ભાગ - જીવોનો અનંતમો ભાગ જ નમસ્કારનો પ્રતિપન્ન પ્રાપ્ત થાય છે. બીજા તેને પ્રાપ્ત ન કરેલા મિથ્યાષ્ટિઓ અનંત ગુણા છે.
(૯) અલ્પબહુવૈદ્વાર - પીઠીકામાં દર્શાવેલ મતિજ્ઞાનની જેમ જ વિચારવું.
૩. પંચવિધ પ્રરૂપણાઃ- (૧) આરોપણા:- જીવ જ નમસ્કાર હોય કે નમસ્કાર જ જીવ એવું કે પરસ્પર અવધારણથી અધ્યારોપણ-ગોઠવણ કરવો તે આરોપણા.
(૨) ભજના:- સમ્યગ્દષ્ટિ જીવ નમસ્કાર હોય, અને મિથ્યાષ્ટિ ન હોય તેથી જીવ નમસ્કાર થાય કે ન થાય પરંતુ નમો નમસ્કાર અવધારિત નિયમા જીવ જ હોય છે. જેમકે, આંબો વૃક્ષ જ હોય છે. વૃક્ષ તો આંબો કે ખદિરાદિ પણ હોય. એ ભજના જાણવી.
(૩) પૃચ્છા - જો સર્વજીવ નમસ્કાર નથી તો શું કોઈક જ છે? તેથી પૃચ્છા કરીએ છીએ જે જીવ નમસ્કાર છે તે શું વિશિષ્ટ છે તે કહો? અથવા કોણ જીવ નમસ્કાર છે? એ પણ જણાવો? આ પૃચ્છા છે.
(૪-૫) દાપના-નિર્યાપના :- આગળ કહેલા પ્રશ્નના ઉત્તરરૂપ દાપના કહેવાય છે. તે જવાબ-જે નમસ્કાર પરિણત જીવ છે એ નમસ્કાર જે અપરિણત તે અનમસ્કાર અને નિયંપનામાં તે નમસ્કાર પરિણત જ જીવ નમસ્કાર અને નમસ્કાર પણ જીવ પરિણામ જ છે. અજીવ પરિણામ નથી.
પ્રશ્ન-૧૦૮૪ – દાપના-નિયંપનામાં ફરક શું છે?
ઉત્તર-૧૦૮૪ – દાપના-ઉક્ત પૃચ્છાદ્વારા પૂછાયેલા નમસ્કારનો અર્થ કહેવાય છે. જેમકે-નમસ્કાર પરિણત જે તે નમસ્કાર અને નિયના-દાપના દ્વારા બતાવેલ અર્થનું પ્રતિઉચ્ચારણ-નિગમન છે. જેમકે-તે જ નમસ્કાર પરિણત જ જે એ જીવ તે જ નમસ્કાર. નમસ્કાર પણ જીવપરિણામ જ હોય નહિ કે અજીવપરિણામ. એવો નિગમન કરવો. દાપનાનિર્યાપનામાં નિગમન કૃત ભેદ જ છે. અત્યંત ભેદ નથી. અથવા જેમ દાપનામાં જીવ અવધૂત-નિયમિત છે. જેમકે નમસ્કાર પરિણત જ જીવ નમસ્કાર છે અન્ય નહિ. તે રીતે જે નિર્યાપનામાં ફરીથી અન્ય પ્રકારે અવધારણ કરાય છે. જેમ દાપનામાં નમસ્કાર પરિણત જીવ નમસ્કાર એવું નિયમન છે તેમ નહીં નમસ્કાર પરિણત જીવ તે જ નમસ્કાર એવું અવધારણ