________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૩૭
ઋજુસૂત્રનય - એ નમસ્કાર સર્વથા કર્તાથી ભિન્ન માનતો નથી. પણ આધાર કર્તામાં જ નમસ્કાર છે એવો ભાવ છે. “સ્વનિ વક્તરિ નમ :, નાચત્ર, તત્વત્વિત્ પરે નિત્સિતાવ” પત્રમાં નલત્વગુણની જેમ નમસ્કાર તેના કર્તાનો ગુણ હોવાથી તે પોતાના ગુણીની અંદર જ હોય છે. વિપર્યયમાં બાધક-એમ ન માનીએ તો અવગુણના અન્યત્ર ગમનમાં ગુણોના પરસ્પર સાંકર્યથી સર્વે ગુણીનાં પણ સાર્ધ-એકત્વાદિ દોષો થાય.
પ્રશ્ન-૧૦૮૦ – ઋજુસૂત્ર અન્યનો અન્ય આધાર પણ ઈચ્છે જ છે. જેમકે અનુયોગ દ્વારોમાં ઋજુસૂત્ર અને વસતિ દૃષ્ટાંત કહેતાં કહ્યું છે- વતિ ભવાન ? સ્વે મા વસાન તો અહીં ભિન્ન આધારતાનો નિષેધ કેમ કરો છો?
ઉત્તર-૧૦૮૦ – ભાવ-દ્રવ્યની અપેક્ષાએ માને છે. દેવદત્તાદિ દ્રવ્ય દ્રવ્યાંતર આકાશમાં છે એમ ઋજુસૂત્ર માને જ છે, અહીં તો ગુણ-ગુણિના સંબંધની ચિંતા પ્રસ્તુત છે, તેથી અન્ય ગુણ અન્યમાં રહે છે એવું એ અહીં માનતો નથી. એટલે કોઈ વિરોધ નથી.
શબ્દાદિનય - તેમના મતે જ્ઞાન જ નમસ્કાર છે, શબ્દ-ક્રિયા નથી. તેથી વિશેષથી જ તે નમસ્કારને તેને કરનાર જીવથી બાહ્ય વસ્તુમાં તેઓ માનતા નથી.
પ્રશ્ન-૧૦૮૧ – તો ઋજુસૂત્રથી તેમનો કોઈ ભેદ નથી, કારણ બધાય કરનાર જીવમાં જ નમસ્કાર માને છે ને?
ઉત્તર-૧૦૮૧ – તે ઘટતું નથી. કેમકે ઋજુસૂત્ર ક્રિયારૂપ-શબ્દરૂપ ઇચ્છતા છતા તેના મતે નમોડગ્ર: વગેરે શબ્દ ઉચ્ચારતાં અને મસ્તક નમનાદિ ક્રિયા કરતાં, કર્તાનો કાયામાં પણ નમસ્કાર થાય છે. શબ્દનય તો શબ્દ-ક્રિયારૂપ નમસ્કારને માનતા જ નથી. પરંતુ ઉપોગરૂપ જ્ઞાનને જ માને છે. એટલે તેમના મતે નિયમા તેના ઉપયોગવાળા કર્તા જીવમાં જ નમસ્કાર છે. કાયામાં નહિ. એટલો વિશેષ છે.
વિજયવિર દ્વારઃ- ઉપયોગ આશ્રયીને નમસ્કારની જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સ્થિતિ હોય છે અને લબ્ધિ આશ્રયીને તદાવરણ ક્ષયોપશમરૂપ જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ સ્થિતિ હોય છે.
વિવિધ દ્વાર :- નમસ્કાર પાંચ પ્રકારે છે. અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુને અર્થાત્ નમોડર્ણય નમ: સિગ: વગેરે જે પદાર્થ છે તેની ઉપદેશના કહેવી.
પ્રશ્ન-૧૦૮૨ – આગળ વસ્તુતારમાં અરિહંતાદિ પદોનો અર્થ કહેવાશે તો અહીં અહંદાદિપદોની ઉપદેશના એમ કઈ રીતે કહો છો?