________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૩૩
નમસ્કાર પરિણામથી પરિણત જ જ્યારે જીવ થાય છે ત્યારે એ શબ્દાદિ ત્રણ નયોના મતે નમસ્કાર કહેવાય છે. શેષ નયો તો અનુપયુક્ત નમસ્કારવાળો હોય તો પણ જો લબ્ધિયુકક્ત હોય અથવા નમસ્કારને યોગ્ય હોય તેવો જીવ પણ નમસ્કાર કહે છે.
પ્રશ્ન-૧૦૭૩ – નયમતે નમસ્કાર એક અને અનેક કઈ રીતે જાણવો?
ઉત્તર-૧૦૭૩ – વ્યવહારનય એક નમસ્કારવાળા જીવને એક નમસ્કાર માને છે. અને ઘણા હોય તો ઘણા નમસ્કાર માને છે. ઋજુસૂત્રાદિ-બહુત્વ માનતા નથી વર્તમાનકાળવર્તી એક પોતાની વસ્તુને જ વસ્તુ માને છે તેથી જ પ્રત્યેક-પ્રત્યેક નમસ્કાર માને છે.
વચ્ચે દ્વાર - નમસ્કારના પ્રતિપદ્યમાનક એક કે અનેક જીવો હોય છે એમ સંગ્રહ સિવાયના સર્વ નયો માને છે. પૂર્વ પ્રતિતપન્ના નિયમો અનેક તેમને ઈષ્ટ છે. કારણ કે ચારેય ગતિમાં અસંખ્ય સમ્યગ્દષ્ટિઓને તે પૂર્વપ્રતિપન્ન સદા મળે છે. સંગ્રહનય તો સામાન્યવાદી હોવાથી ઉભયપક્ષમાં બહુત સર્વત્ર માનતો નથી.
પ્રશ્ન-૧૦૭૪ - જીવસ્વામિક છતે શું નમસ્કાર્ય જીવસ્વામિક નમસ્કાર છે કે નમસ્કÚજીવ સ્વામિક નમસ્કાર છે?
ઉત્તર-૧૦૭૪ – નૈગમ-વ્યવહારનયો-પૂજ્ય એવા નમસ્કાર યોગ્ય ને નમસ્કાર છે એવું માને છે તેના કર્તાનો નથી; કારણ કે તે પૂજ્યને જ સમ્યફ રીતે અપાય છે. લોકમાં પણ કહેવાય છે કે કોની ભિક્ષા? યતિની, નહિ કે દાતાની. એમ અહીં પણ સમજવું.
અથવા નમસ્કાર પૂજ્યના વિષયમાં આ પૂજ્ય છે એવો પ્રત્યય ઉત્પન્ન કરે છે એટલે પૂજયનો પર્યાય નમસ્કાર છે, જેમકે ઘટમાં ઘટપ્રત્યયજનક હોવાથી તેના પર્યાયો-તરૂપ વગેરે ઘટના હેતુ હોવાથી ઘટના પર્યાયો છે.
અથવા બીજો હેતુ તહેતુમવાન્ નમસ્કારની ઉત્પત્તિનો હેતુ હોવાથી. જેમકે, ઘટવિજ્ઞાનઅભિધાન અર્થાત્ નમસ્કાર્ય એવા અહેદ્ આદિ દેખાતાં ભવ્યજીવને વિશિષ્ટ ઉલ્લાસથી નમસ્કાર કરણ અભિપ્રાય ઉત્પન્ન થાય છે. તેથી નમસ્કાર્ય નમસ્કારનો હેતુ છે. એટલે નમસ્કાર્યનો જ પર્યાય નમસ્કાર છે, જેમ ઘટ વિજ્ઞાન-અભિધાન ઘટના પર્યાય હોવાથી ઘટ હેતુઓ છે.
અથવા - જે કારણથી તે નમસ્કારકર્તા જ તે નમસ્કાર્ય અહંદાદિના સેવકભાવને પ્રાપ્ત થયેલો છે. તેથી નમસ્કારક્તની નમસ્કારમાં શું ચિંતા-મમત્વ? નમસ્કાર તો દૂરની વાત છે. તેનો આત્મા પણ પોતાનો નથી. સમર્પણથી જેમકે દાસ-ગધેડો, દાસ ખરીદયો એટલે તેને