Book Title: Visheshavashyak Bhashya Part 02
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 246
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૨૭ નિત્ય અનાવૃત્ત સૂત્રમાં કહ્યો છે તે સમ્યજ્ઞાનરૂપ અવિશિષ્ટ ભાગ કહ્યો છે. તેનો અહીં અધિકાર નથી. વળી અવગાહનાદિ ગુણો હોવાથી પત્રના નીલ-રક્તાદિ ગુણોની જેમ નમસ્કારાદિ જીવના ગુણો પણ ઉત્પાદાદિ ધર્મવાળા છે તથા અવગાહક વિના અવગાહ ન હોય. આકાશની સાથે જીવાદિનો જે સંયોગ તેને અવગાહ કહેવાય છે તે સંયોગ બે આંગળીના સંયોગથી જેમ અવશ્ય ઉત્પાદાદિ સ્વભાવવાળો છે. એ જ રીતે ગતિ ઉપકારાદિ ધર્માસ્તિકાયાદિના ગુણો પણ ઉત્પાદાદિ સ્વભાવવાળા જાણવા. વળી ઘટાદિનો સંયોગ વર્ણગંધ વગેરે પર્યાયોથી આકાશ-પરમાણુ આદિ દ્રવ્ય એકાંતે ભિન્ન નથી. અભિન્ન છે. કેમકે પર્યાય નાશે તે દ્રવ્યનો પણ નાશ થાય છે માટે આકાશાદિ સર્વથા નિત્ય ન કહી શકાય. માટે શબ્દ નિત્ય નથી. કેમકે ઘટની જેમ તે ઈન્દ્રિયથી ગ્રાહ્ય છે. પ્રયત્નથી ઉત્પન્ન થાય છે તે જ રીતે જ્ઞાન પણ ઘટની જેમ નિમિત્ત મળતાં ઉત્પન્ન થાય છે. તથા શબ્દ-શિરોનમનાદિ કાયક્રિયા અને તેનો જે દ્વિકાદિ સંયોગ નિત્યપણે કહેલો છે તે પણ સ્વસ્વનિમિત્તથી થાય છે. આ રીતે જ્ઞાનાઘાત્મક નમસ્કાર ઉત્પન્ન થાય છે. જે વસ્તુ ઉત્પત્તિમાન હોય છે તે અવશ્ય નિમિત્તવાળી હોય છે એ નિયમ મુજબ અશુદ્ધ નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણે નયો નમસ્કારને ઉત્પત્તિમાન માનતા હોવાથી તેનાં ત્રણ કારણો છે (૧) સમુત્થાનથી એટલે કે નમસ્કારના આધારરૂપ દેહથી. (૨) વાચનાથી એટલે ગુરૂ સમીપે સાંભળવાથી. (૩) લબ્ધિથી એટલે તદાવરણીય કર્મના ક્ષયોપમથી એમ ત્રણ કારણથી વિશેષગ્રાહી નૈગમ-સંગ્રહ અને વ્યવહારનયની અપેક્ષાએ નમસ્કાર ઉત્પન્ન થાય છે. (૧) સમુત્થાન :- “સમ્યક્ સંગત વોત્તિષ્ઠતિ ખાયતેઽસ્માવિતિ સમુત્થાનમ્' શરીર જ સમુત્થાન છે તે જ નમસ્કારનું નિમિત્ત છે. પ્રશ્ન-૧૦૬૪ – જ્યારે એ અન્ય ભવમાં જ સ્વાવરણનાક્ષયથી ઉત્પન્ન થાય ત્યારે એના આ દેહ હેતુ કઈ રીતે ? = ઉત્તર-૧૦૬૪ – પૂર્વભવમાં ઉત્પન્ન નમસ્કારનો પણ આભવશરીર સમુત્થાન કારણ બને છે. તે એના ભાવથી ભાવિત હોવાથી. જેમકે, ભવપ્રત્યય અવધિ તીર્થંકરાદિ સંબંધિ પૂર્વે ઉત્પન્ન થયેલો પણ આ ભવના શરીર વિના નથી થતો. તેથી આ ભવનું શરીર તેનું સમુત્થાન જ છે. એમ નમસ્કારનું પણ સમજવું. જેમ પૂર્વોત્પન્ન ઘટાદિનું દિપ દ્વારા અભિવ્યંજન થાય છે. એમ પૂર્વોત્પન્ન નમસ્કાર આ ભવના દેહથી અભિવ્યંજન થાય છે. એટલે એ તેનું નિમિત્ત ગણાય છે. પ્રશ્ન-૧૦૬૫ અપાન્તરાલવર્તી કારણાન્તરથી કરેલા ઉપકારથી વિમુખ-નિરપેક્ષ હોવાથી એટલે કે અનંતર કારણ હોવાથી સ્વવીર્ય નમસ્કારનું સમુત્થાન કારણ કેમ નહિ ?

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304