________________
૨૩૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૦૬૯ – વાચના કારણરૂપ એવા યથોક્તક્ષયોપશમની ઉપકારક છે એટલે કારણનું કારણ હોવાથી એને નમસ્કારનું કારણ માનો?
ઉત્તર-૧૦૬૯ – તો પ્રાયઃ સર્વ ક્ષિતિ-શયા-અસન-આહાર-વસ્ત્ર-પાત્રાદિ બાહ્ય વસ્તુ નમસ્કારના કારણ એવા યથોક્ત ક્ષયોપશમનું ઉપકારી હોવાથી પરંપરાથી નમસ્કારનું કારણ થાય છે. એટલે વાચના લક્ષણ શબ્દ માત્રમાં તેના કારણત્વનો નિયમ કેવો? એટલે પરંપરાથી સર્વ બાહ્ય વસ્તુ નમસ્કારના કારણમાં ઉપકારી છતાં જે અત્યંત નજીકની વાચના લક્ષણ વસ્તુ છે તે જ આસન્ન ઉપકારી હોઈ તેનું કારણ માન. જો એમ ન માને તો વાચના માત્ર નમસ્કાર છે એવો તારો નિયમ અસિદ્ધ થાય છે. કારણ કે ક્ષિતિ આદિ પણ પૂર્વોક્ત નીતિથી તેનું કારણ બને છે.
આ રીતે પ્રથમ ત્રણ નયોનું ત્રિવિધ કારણ, ઋજુસૂત્રનું બે પ્રકારનું કારણ અને શબ્દનો તો એક લબ્ધિને જ નમસ્કારનું કારણ માને છે.
નિક્ષેપ દ્વાર - નમસ્કારનો નિક્ષેપ ચાર પ્રકારે થાય છે. (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) ભાવનમસ્કાર.
નમસ્કાર-નમસ્કારવાનું ના અભેદ ઉપચારથી નિતવાદિ દ્રવ્ય નમસ્કાર છે. આદિ શબ્દથી દ્રવ્ય માટે જે વિદ્યા-મંત્ર દેવાતાદિનો નમસ્કાર કરાય છે તે પણ દ્રવ્ય નમસ્કાર. અપ્રાધાન્યથી નિદ્વવાદિનમસ્કાર દ્રવ્ય છે. કારણ કે તેઓ મિથ્યાત્વાદિથી કલુષિત છે. ભાવ નમસ્કાર સમ્યગ્દષ્ટિ જીવો જે ઉપયોગવાળા અરિહંતાદિને કરે છે તે.
પદદ્વારઃ- જેના વડે અર્થ જણાય તેને પદ કહેવાય છે. તે પદ પાંચ પ્રકારે છે (૧) નામિક (અશ્વ) (૨) નૈપાતિક (ખલ) (૩) ઔપસર્ગિક (પરિ) (૪) આખ્યાતિક (ધાવતિ) (૫) મિશ્ર (સંયત). એમાંથી અહીં નૈપાતિકનો અધિકાર છે.
નિપતિ-અહંદાદિ પદોનાં આદિ-પર્યત-નિપાત. તેથી બનેલું નૈપાતિક નમઃ પદ
પદાર્થ ધાર - દ્રવ્ય-ભાવ સંકોચન પદાર્થ નમોડર્દઃ ઉત્પાદિમાં જે નમઃ પદ છે તેનો અર્થ તે પૂજાલક્ષણ દ્રવ્યસંકોચન-હાથ-મસ્તક-પગાદિ સંકોચન, ભાવ સંકોચન-વિશુદ્ધમનનું અહંદાદિગુણોમાં પ્રવેશ, એમાં ૪ ભાંગા થાય છે (૧) દ્રવ્ય સંકોચ-ન ભાવ સંકોચ, પાલકાદિ, (૨) ભાવસંકોચ-ન દ્રવ્ય સંકોચ, અનુતરદેવાદિ (૩) દ્રવ્યસંકોચ-ભાવસંકોચશાંબકમારાદિ (૪) નદ્રવ્યસંકોચ-ન ભાવસંકોચ-શૂન્ય. ગ્રં.૨૪૦૦oll