________________
૨૨૪
પ્રશ્ન-૧૦૫૮ માનોને શું વાંધો છે ?
-
-
ઉત્તર-૧૦૫૮ – પ્રથમ નંદિનું સ્વરૂપ બતાવવાથી આદિ મંગળ તો થયેલું જ છે. તો ફરીથી કરવાની શું જરૂર છે ? અને કરેલા મંગળને ફરી કરીએ તો તેનું અવસ્થાન ક્યાં રહે ? વારંવાર કરવાથી માત્ર અનવસ્થા જ થાય.
નથી ?
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
નમસ્કાર સામાયિકની આદિમાં કહેલ છે તો તેને આદિ મંગળ જ
પ્રશ્ન-૧૦૫૯
ઉત્તર-૧૦૫૯ – ‘‘રેમિ ભંતે સામાયિયં' વગેરે સૂત્રાવયયની જેમ નમસ્કાર સામાયિકની આદિમાં કહેલ હોવાથી વસ્તુતઃ સામાયિક સૂત્ર જ છે. મંગળ નથી. એટલે નમસ્કારનું પ્રથમ વ્યાખ્યાન કરીને પછી સામાયિકના અર્થનું વ્યાખ્યાન કરાશે.
-
જો એમ હોય તો અહીં પ્રથમ નમસ્કાર કહેવાનું શું કારણ છે ?
નમસ્કાર નિર્યુક્તિના દ્વારો ઃ- (૧) ઉત્પત્તિ (૨) નિક્ષેપ (૩) પદ (૪) પદાર્થ (૫) પ્રરૂપણા (૬) વસ્તુ (૭) આક્ષેપ (૮) પ્રસિદ્ધ (૯) ક્રમ (૧૦) પ્રયોજન (૧૧) ફળ.
સાતનયોથી નમસ્કારની ઉત્પત્તિ :- નમસ્કાર નયાનુસાર ઉત્પન્ન-અનુત્પન્ન માનવો. સાતનયો
(૧) નૈગમનય :- સર્વસંગ્રાહી-દેશસંગ્રાહી.
સર્વસંગ્રાહીનૈગમ સામાન્યમાત્ર અવલંબી છે, તેના મતે સર્વ વસ્તુ ઉત્પાદ-વ્યય રહિત છે. અને નમસ્કાર પણ તેના અંતર્ગત હોવાથી અનુત્પન્ન છે. શેષ નયો વિશેષગ્રાહી છે અને ઉત્પાદ-વ્યયવાળા છે. તેનાથી શૂન્ય વન્ધ્યાપુત્રાદિ વત્ અવસ્તુ હોય. નમસ્કાર તો વસ્તુ છે એટલે ઉત્પન્ન છે. તે સત્તામાત્ર ગ્રાહી હોય છે. તેના મતે સર્વદા સત્ છે. જે સર્વદા સત્ છે તે આકાશની જેમ કદી પણ ઉત્પન્ન ન થાય. જો ઉત્પન્ન થતું માનીએ તો તેનો પણ ઉત્પાદ થતો માનવો પડે અને આમ, અનવસ્થા થાય. તથા જે નિત્ય છે તે સદા અવિનાશી છે. એટલે આ નયના મતે નમસ્કાર વસ્તુરૂપ હોવાથી આકાશની જેમ નાશ-ઉત્પત્તિ રહિત હોવાથી નિત્ય વિદ્યમાન છે એટલે અનુત્પન્ન કહેવાય છે.
પ્રશ્ન-૧૦૬૦
-
જો નમસ્કાર સર્વદા વિદ્યમાન્ છે તો મિથ્યાત્વ દશામાં કેમ જણાતો
ઉત્તર-૧૦૬૦ - નમસ્કાર સર્વ અવસ્થાઓમાં વિદ્યમાન છતાં અતિશય જ્ઞાની વિના બીજાઓ આવારક કર્મના સદ્ભાવે આત્મસ્વરૂપની જેમ તેને જાણી શકતા નથી. અર્થાત્ - જેમ આત્મસ્વરૂપ અમૂર્ત હોવાથી વિદ્યમાન છતાં કેવલી સિવાય કોઈ જોઈ શકતું નથી તેમ