________________
૨૨૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
જાણવા. શ્રુત-દેશવિરતિ શ્રુતમાં ૭/૪ ભાગો સ્પર્શનીય. દેશવિરતિમાં પ/૧૪ અર્થાત-કોઈ મુની શ્રુતજ્ઞાની અનુત્તરમાં ઇલિકાગતિથી ઉત્પન્ન થતો લોકના ૭/૧૪ ભાગ સ્પર્શે છે ૧ રાજ - લોકનો ૧૪ મો ભાગ તેથી ૭ રાજ સ્પર્શે છે એમ કહેવાય છે. કોઈ સમ્યગ્દષ્ટિ શ્રુતજ્ઞાની પહેલાં નરક બદ્ધાયુ હોય પછી વિરાધિત અત્યક્ત સમ્યક્તવાળો થઈને ૬ઠ્ઠી નારકીમાં ઈલિકાગતિથી ઉત્પન્ન થતો લોકના પ/૧૪ ભાગોને સ્પર્શે છે. દેશવિરત અશ્રુતદેવમાં ઇલિકાગતિથી ઉત્પન્ન થતો પ/૧૪ ભાગ સ્પર્શે છે. શેષદેવલોકોમાં ઉત્પન્ન થતો લોકના ૨૩-૪/૧૪ ભાગોને સ્પર્શે છે.
પ્રશ્ન-૧૦૫૬ – અન્યત્ર છનવુ કહેવાય છે તો અહીં અશ્રુતમાં ઉત્પન્ન થતો ૫ રાજ જ સ્પર્શે છે એમ શા માટે કહેવાય છે?
ઉત્તર-૧૦૫૬ – સાચી વાત છે. પરંતુ અશ્રુત-ચૈવયેકના અપાંતરાલને અપેક્ષીને અન્યત્ર ૬ રાજ કહેવાય છે, અહીં તો અય્યત દેવલોકની અપેક્ષાએ પ રાજ છે એવો વૃદ્ધ સંપ્રદાય છે.
ભાવસ્પર્શના:- જીવો ૨ પ્રકારે સંસારી અને સિદ્ધ. સંસારી ૨ પ્રકારે-સંવ્યવહારરાશિગત અસંવ્યવહાર રાશિગત. સંવ્યવહાર રાશિગત સર્વ જીવો સામાન્યશ્રુતને સ્પર્શેલા છે. કીન્દ્રિયાદિ ભાવને આશ્રીને તે સર્વે સ્પર્શેલા છે. સમ્યક્ત-ચારિત્રને સર્વ સિદ્ધો પૂર્વે સ્પર્શેલા છે, તેની સ્પર્શના વિના સિદ્ધત્વ ન જ ઘટે. દેશવિરતિ-સર્વિસિદ્ધો દ્વારા બુદ્ધિ કલ્પિત અસંખ્ય ભાગો દ્વારા સ્પર્શાવેલી છે. એક મરૂદેવી દ્વારા તેના અસંખ્ય ભાગથી પૂર્વે સ્પશયેલી નથી. સમ્યક્તાદિ જીવપર્યાય હોવાથી ભાવો છે એટલે તેમની સ્પર્શના ભાવસ્પર્શના કહેવાય છે.
(૨૫) નિરુક્તિ દ્વાર :- સમ્યક્ત સામયિક :- સમ્યગ્દષ્ટિ-અવિપરિત અર્થોની દૃષ્ટિ, અમોહ-અવિતથગ્રાહ, શોધન-શુદ્ધિ મિથ્યાત્વમલના અપગમથી સમ્યક્ત શુદ્ધિ કહેવાય છે. સદ્ભાવ દર્શન-જિન અભિહિત પ્રવચનનું દર્શન. બોધન-બોધિ-પરમાર્થબોધ, અવિપર્યયતત્ત્વાધ્યવસાય, સદષ્ટિ-પ્રશંસનીય શોભન દષ્ટિ.
શ્રત સામાયિક :- અક્ષર-સંજ્ઞી-સમ્યફ-આદિ-સપર્યવસિત ગમિક-અંગપ્રવિષ્ટ શ્રુત એ સાતના પ્રતિપક્ષી સાત મળી ચૌદ પ્રકારના શ્રુતના પર્યાય જાણવા.
દેશવિરતિ સામાયિક:- વિરતિ-અવિરતિ, સંવત-સ્થગિત-પરિત્યક્ત સાવદ્યયોગો જેમાં તે સંવૃત-અસંવૃત, આમ ઉભય વ્યવહારનુગત હોવાથી બાલ-પંડિત, દેશ-પ્રાણાતિપાતાદિ એક દેશ–વૃક્ષ છેદનાદિ તે બંનેનું વિરમણ જેમાં તે દેશ-એક દેશ વિરતિ મોટા સાધુધર્મની અપેક્ષા અણુ-અલ્પધર્મ-અણુધર્મ, અગ-વૃક્ષ તેનાથી કરેલું અગાર-ગૃહ તેના યોગથી ગૃહસ્થનો ધર્મ-અગાર ધર્મ એ દેશવિરતિ સામાયિકના પર્યાયો છે.