________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૧૯ શેયભાવથી કહ્યું છે. કેન્ક દ્વારમાં વિષય-વિષયિનો ભેદ વિવક્ષિત છે એટલે નિરાકરણ કરીને વિષય જ શેયભાવથી કહ્યો છે. ત્યાં તો કિં દ્વારમાં બંનેના અભેદ ઉપચારથી વિષયિભૂત સામાયિકને જ જોયભાવથી મુખ્ય તયા નિર્દેશ કર્યું છે.
(૧૮) વિર દ્વાર - સમ્યક્ત અને શ્રતની લબ્ધિ આશ્રયીને ૬૬ સાગરોપમ પૂર્વક્રોડપૃથકત્વાધિક સ્થિતિ હોય છે. શેષ બેની (દેશવિરતિ-સર્વવિરતિ) દેશોન પૂર્વક્રોડ વર્ષની છે. આ સામાયિક લબ્ધિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
જઘન્ય સ્થિતિ-લબ્ધિ આશ્રયીને પ્રથમ ત્રણ સામાયિકની અંતર્મુહૂર્ત તથા સર્વવિરતિની ૧ સમય માત્ર છે. ચારિત્ર પરિણામના આરંભ સમય પછી તરત જ આયુ-ક્ષય સંભવે છે. દેશવિરતિ-અંતર્મુહૂર્ત-કારણ કે તે પ્રતિનિયત પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ હોવાથી અને તેના આલોચનની પરિણતિ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત હોવાથી આટલો સ્થિતિકાળ છે. ઉપયોગથી બધાની અંતર્મુહૂર્ત સ્થિતિ સર્વજીવાશ્રયી તો બધાની સ્થિતિ સર્વકાળની છે.
(૧૯) કૃતિ દ્વાર - ક્ષેત્રપલ્યોપમના અસંખ્યય ભાગમાં જેટલા પ્રદેશો હોય તેટલા જ જીવો ઉત્કૃષ્ટથી સમ્યક્ત-દેશવિરતિ સામાયિકના પામનારા હોય છે. પરંતુ એમાં વિશેષ-દેશવિરતિ કરતાં સમ્યક્ત પ્રાપ્ત કરનારા અસંખ્યગુણા હોય છે અને જઘન્યથી એક કે બે પામનારા હોય છે. સંવર્તિત ચોરસ કરેલા લોકની એકપ્રદેશી ૭ રાજ પ્રમાણ શ્રેણીના અસંખ્ય ભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલા વિવક્ષિતકાળે સામાન્યશ્રુતના ઉત્કૃષ્ટથી પ્રાપ્તકર્તા મળે. જઘન્યથી એક-બે હોય છે. તથા ક્યારેક વિવક્ષિત કાળે ઉત્કૃષ્ટથી સહગ્નપરિગણનાથી સહસ્રપૃથક્વ વિરતિના પ્રતિપત્તા હોય છે તથા જઘન્યથી એક-બે હોય છે.
પ્રતિપન્ન-સમ્યક્ત-દેશવિરત વર્તમાન કાળે જઘન્ય-ઉત્કૃષ્ટથી અસંખ્ય મળે, પરંતુ જઘન્યપદથી ઉત્કૃષ્ટપદમાં વિશેષાધિક હોય છે. આ બધા પ્રતિપદ્યમાનકથી અસંખ્યગુણા છે. ચારિત્રમાં-સંખેયા સ્વસ્થાને પ્રતિપદ્યમાનથી સંખ્યગુણા હોય છે. આ ત્રણેય કરતાં જે ચરણાદિગુણો પ્રાપ્ત કરીને પડેલા છે, તે અનંતગુણા છે. સમ્યગ્દષ્ટિ આદિ પ્રતિપદ્યમાનકથી અને પૂર્વપ્રતિપન્નથી ચરણથી પ્રતિપતિત જીવો અનંતગુણા છે. દેશવિરતિથી પતિત-તેમનાથી અસંખ્યગુણા છે સમ્યત્વથી પતિત તેમનાથી અસંખ્યગુણા છે.
સમ્ય-મિથ્થારૂપ સામાન્યથી અક્ષરાત્મક શ્રુતના જે પૂર્વપ્રતિપન્ન છે તે સાંપ્રત સમયે ચોરસ ઘન કરેલી પ્રતરના અસંખ્યભાગ માત્ર છે. શ્રુતપ્રતિપન્ન, પ્રતિપદ્યમાનકોથી જે શેષ સંસારી જીવો ભાવલબ્ધિ રહિત પૃથ્યાદિ છે. તે બધાય ભાષાલબ્ધિ પ્રાપ્ત કરીને પડેલા હોવાથી સામાન્ય શ્રુતથી પડેલા માનવા. કારણ અનાદિ સંસારમાં ભમતા તેમણે પૂર્વે