________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૯૯
યથાર્થ છે- ત વિવાદ: જો પર્યાય નય જ દ્રવ્ય-પર્યાય બંને ને માને છે તો દ્રવ્યાર્થિક ! શા માટે તું દ્રવ્યપરિકલ્પના માને છે? કારણ પર્યાયનય માનતાં જ દ્રવ્ય પણ સિદ્ધ જ છે.
પ્રશ્ન-૧૦૩૪ – જે દ્રવ્ય-પર્યાય બંનેને પરસ્પર અભિન્ન માને છે તે દ્રવ્યાર્થિક નય. તેથી દ્રવ્ય-પર્યાયાર્થિક નય બંને નો ગ્રહણ થતાં પ્રત્યેક દ્રવ્ય-પર્યાય માનતે છતે દ્રવ્યાર્થિકથી પર્યાયાર્થિક ભિન્ન છે તેથી તે દ્રવ્યાર્થિક ભેદવાનું છે. એ બંને એક નથી. કારણ કે એકનો દ્રવ્યપર્યાયનો અત્યંત અભેદ માન્યો છે અને અન્યનો તે બંનેનો ભેદ માનેલો છે. પ્રત્યેક દ્રવ્ય-પર્યાય માનતા એ બંનેની સમગ્રરૂપતા નથી પરંતુ મિથ્યાત્વ છે એટલે એમ કહેવાથી બંને મિથ્યાષ્ટિ કઈ રીતે થાય?
ઉત્તર-૧૦૩૪ – અહીં એકાન્ત એકત્વના અને અન્યત્વના ગ્રહણથી મિથ્યાત્વ કહ્યું છે. ભાવાર્થ-દ્રવ્યાર્થિક નયદ્રવ્ય-પર્યાય બંનેને પરસ્પર અભિન્ન ઇચ્છે છે. દ્રવ્યથી અવ્યતિરિક્ત જ પર્યાય માને છે. આ વિશેષની પ્રાપ્તિ છતે પર્યાયાર્થિકથી દ્રવ્યાર્થિક ભિન્ન માને છે અને પર્યાયાસ્તિક દ્રવ્ય-પર્યાય એ બંનેને ભિન્ન જ માને છે. એથી એ દ્રવ્યાર્થિકથી ભિન્ન મનાય છે. એ બંને પ્રત્યેક મિથ્યાદષ્ટિ છે કારણ કે દ્રવ્યાર્થિક દ્રવ્ય-પર્યાયને એક માને છે અને પર્યાયાસ્તિક બંનેને ભિન્ન માને છે.
પ્રશ્ન-૧૦૩૫ – જો તારા અભિપ્રાયથી દ્રવ્ય-પર્યાય દ્વવ્યાર્થિક દ્વારા એક મનાતે છતે દ્રવ્ય ગુણ એમ આ બે શબ્દ એકાર્થક વાચક હોવાથી ઇન્દ્ર-પુરંદરાદિની જેમ પર્યાયવચન માત્ર જ થાય. તેથી તે સામાયિક દ્રવ્યરૂપ કે ગુણરૂપ છે એવો દ્રવ્યાર્થિક નય ગ્રહણ થાય. પણ તે દ્રવ્ય જ છે એમ મનાય નહિ. કારણ કે દ્રવ્યાર્થિકનયમતે તે દ્રવ્ય રૂપે જ પ્રસિદ્ધ છે. તથા જો પરસ્પર અત્યંત ભિન્ન એવા દ્રવ્ય-પર્યાય ઉભયનો ગ્રાહક તું પર્યાય ન માને તો એક દ્રવ્યપક્ષમાં તે સામાયિક દ્રવ્યતરીકે અવિરુદ્ધ જ છે. “દ્રવ્ય સામાયિક એમ દ્રવ્યપક્ષમાં પર્યાયનયમને પણ અવિરોધથી સિદ્ધ જ છે. તો દ્રવ્યાર્થિકનયના ઉપન્યાસનો શું ફાયદો?
ઉત્તર-૧૦૩૫ – “સામાયિક દ્રવ્ય છે કે ગુણ છે?” એ વિચારણા અહીં પ્રસ્તુત છે. તેમાં દ્રવ્યાર્થિકનય મતે દ્રવ્ય અને પર્યાયાર્થિકનાં મતે તે ગુણ છે. નહિ તો, દ્રવ્યાર્થિકને સામાયિક જીવથી અભિન્ન છે અને પર્યાયાસ્તિકને જીવથી તે ભિન્ન છે. એટલે એક-એક નય માનતા છતાં નવું પળાયાન્વિય (ગા.૨૬૫૪) વગેરે પૂર્વોક્ત યુક્તિઓથી ઘટતું નથી. પણ ઉભયનયથી મળેલા દ્રવ્ય-ગુણ રૂપ ઉભયલક્ષણ સામાયિકનો સ્વીકાર કરવામાં બધું ઘટે છે. અર્થાત-જો દ્રવ્યનય દ્રવ્યરૂપ અને પર્યાયનય પર્યાયરૂપ સામાયિક માને છે તો આમ બંને નયો સમુદિત છતે યથોક્ત ઉભયગ્રહમાં સર્વ સારું થાય છે. એક-એક નયના ઉભયગ્રહમાં નહિ. કારણ કે એમાં પૂર્વે કહેલા દોષો આવે છે.