________________
૨00
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ
પ્રશ્ન-૧૦૩૬ – સો વેવ પબ્લવ (ગા.૨૬૪૩)માં નિયુક્તિકારે પર્યાયાસ્તિક નયમતે જીવનો સામાયિકલક્ષણ ગુણ છે એવું કહેલું છે. તેથી “જીવનો જ ગુણ છે.” એમ ષષ્ઠિથી જણાય છે. તે જીવ દ્રવ્ય છે અને તે સામાયિક ગુણ છે, સામાયિકગુણ જીવદ્રવ્યથી ભિન્ન છે. નહિ તો ષષ્ઠિનું નિર્દેશ અસંગત કરે, તેથી પર્યાયનયમતે ભિન્ન દ્રવ્ય-પર્યાય ઉભયસદ્ભાવે મારૂં જ વ્યાખ્યાન યોગ્ય છે ને? - ઉત્તર-૧૦૩૬ – અમે તમને પૂછીએ તમે પર્યાયાર્થિક મતે પારમાર્થિક દ્રવ્ય માનો છો કે કલ્પનાશિલ્પથી નિર્મિત માનો છો ? પ્રથમ પક્ષ-બરાબર નથી “ ક્લાયન્વય" (૨૬૫૪)માં પ્રતિહિત હોવાથી, બીજો પક્ષ-પ્રતિક્ષણ ઉત્પાદભંગુર ગુણોની જે સભાગસંતતિમાં અનવરત પ્રવૃત્તિ છે તેમાં જો સમાન બુદ્ધિ અને અભિધાન કારણથી દ્રવ્યોપચારમાત્ર ષષ્ઠિવાદિ તમે કરો છો તો અમે માનીએ છીએ. કારણ કે કલ્પિત દ્રવ્યના સદ્ભાવના ગ્રહણમાં અમને કાંઈ વાંધો નથી. તેથી તે કલ્પિતદ્રવ્ય સાથેના ભેદની કલ્પનાથી તે સામાયિક તે કલ્પિત જીવદ્રવ્યનો ગુણ થાય તેને કોણ રોકે છે? જેમકે ગુણસમુદાય વ્યતિરિક્ત કલ્પિત દ્રવ્યનો નીલતા ગુણ. એ નીલતા તે જ પત્ર સંતાનમાં સમુત્પન્ન અને વિનષ્ટ હોય છે. તેથી જેમ-કલ્પિતપત્રાદિદ્રવ્યના નીલાદિ ગુણો ભિન્ન કહેવાય છે તેમ અહીં પણ જે પરિકલ્પિત જીવ દ્રવ્યનો સામાયિક ગુણ કહેવાય છે તે જીવદ્રવ્યથી ભિન્ન છે ત્યારે સિદ્ધ સાધ્યતા જ છે.
પ્રશ્ન-૧૦૩૭ – વાસ્તવિક બે વસ્તુઓમાં જ ષષ્ઠી દેખાય છે જેમ દેવદત્તની ગાયો એમ અહીં પણ વાસ્તવિક રીતે જ દ્રવ્ય-ગુણના સંબંધમાં ષષ્ઠી ઘટે છે દ્રવ્યની કલ્પનામાં ક્યાં ઘટે છે?
ઉત્તર-૧૦૩૭ – જો એમ માનશો તો તમારે રાહુનું મસ્તક, પૂતળીનું શરીર વગેરે અવાસ્તવિક સંબંધોમાં જે ષષ્ટિ નિર્દેશ થાય છે ત્યાં વ્યભિચાર આવશે.
પ્રશ્ન-૧૦૭૮- ગુણ-સંતાનનો અભેદ જ તભેદનિબંધન ધર્મના ભેદના અભાવથી ઘટે છે. દા.ત. ગુણ સંતાનનો અભેદ-ભેદભાવ, ગુણસંતાનના ભેદમાં કારણભૂત ધર્મનો ભેદભાવ. એ બંને તસ્વરૂપ છે. તેથી કલ્પિત એવા ગુણથી વ્યતિરેક દ્રવ્યનો સદ્ભાવ કઈ રીતે ઘટે?
ઉત્તર-૧૦૩૮ – તમે આપેલો ધર્મભેદાભાવ હેતુ જ અસિદ્ધ છે. કારણ કે ગુણો ક્ષણભંગુર છે. તેમનો ઉત્પાદ-વ્યય થાય છે અને સંતાન ક્ષણભંગુર નથી તેનો પ્રવાહ નિત્ય છે. એટલે સ્થિત છે. આ ગુણસંતાનનો ૧લો ધર્મભેદ. તેમજ તે સામાયિકાદિ, નીલતાદિ