________________
૨૦૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૦૩૯ – જો પર્યાયો ન હોય તો જે ને મારે પરમ એવું કેમ કહેવાય છે?
ઉત્તર-૧૦૩૯ – પર્યાય રહિત વસ્તુમાં કેવલી આદિની પરિજ્ઞા નથી એમ અમે માનીએ છીએ. ફક્ત ઉન્મેલા માત્રથી જ તે પર્યાયો છે પણ વાસ્તવિક તે દ્રવ્યથી ભિન્ન કોઈ હોતા નથી. એટલે દ્રવ્ય જ વાસ્તવિક સત્ છે.
પ્રશ્ન-૧૦૪૦– જો પર્યાયો વસ્તુસતુ નથી તો સામાન્ય પણ સુવર્ણાદિદ્રવ્યમાં કુંડલ-વીંટીનૂપુરઆદિનો વ્યવહાર કરાય છે. એ કાંઈ નિષ્કારણ નથી. વ્યપદેશ સત્ વસ્તુનો જ થઈ શકે. જો આ પર્યાયો અસતુ માનશું તો તેમાં પણ વ્યપદેશ થઈ શકતો હોવાથી એમાં અતિવ્યાપ્તિ આવશે?
ઉત્તર-૧૦૪૦ – સુવર્ણથી અન્ય કંડલાદિ અર્થ નથી કે જેથી તેનાથી વ્યતિરેક એવા કુંડલાદિપર્યાયો થાય. પરંતુ તે જ સુવર્ણાદિ દ્રવ્ય તે તે કુંડલ-કંકણાદિ આકારને પ્રાપ્ત થતું છતું તે તે કુંડલાદિ આકારના વ્યપદેશને પ્રાપ્ત કરે છે. તે પૂર્વાવસ્થાસ્વરૂપથી ઉત્તરાવસ્થામાં અભિન્ન છે તેથી આ સુવર્ણઆદિ દ્રવ્યના કુંડલાદિ વ્યપદેશો નિષ્કારણ નથી. તે તે વિશિષ્ટાકારનું કારણ તો છે તે આકાર દ્રવ્યથી ભિન્ન નથી ભિન્ન માનો તો દ્રવ્યમાં નિરાકારતાની આપત્તિ આવે. તેથી ગુણો દ્રવ્યથી અનન્ય છે.
ગુણોની સપ્રદેશતાની આપત્તિ
જો દ્રવ્યથી રૂપાદિ ગુણો અન્ય માનો તો તમારે ગુણો નિયમા સપ્રદેશ માનવા પડે. અર્થાત્ ગુણાદિ દ્રવ્યના પ્રદેશો છે તે જો તેનાથી ભિન્ન માનો તો અનન્યશરણવાળા પોતાના જ પ્રદેશો થાય. એ ક્યાંય જોયું નથી, કારણ કે ગુણો હંમેશા પરતંત્રતાથી પરપ્રદેશ તરીકે જ પ્રચલિત છે. કારણ વસ્તુ પોતાનામાં જ અવયવ થાય એવું દેખાતું નથી કે ઘટતું નથી. જો ગુણો દ્રવ્યથી ભિન્ન માનો તો દ્રવ્યથી ભિન્ન દેશમાં પણ ઉપલબ્ધ થાય. જેમકે જે જેનાથી ભિન્ન તે તેનાથી ભિન્ન દેશે પ્રાપ્ત થાય છે. જેમકે ઘટથી પટ. રૂપાદિ આ રીતે થતા નથી તે ઘટાદિ દ્રવ્યથી અભિન્ન જ છે. એટલે દ્રવ્ય જ છે, પર્યાયો નથી, ઉપચારથી પણ તે માનો તો સિદ્ધસાધ્યતા આવે છે
લય-તિરોભાવ, પ્રકાશ-આવિર્ભાવ. તેના દ્વારા પરિણામ માત્રનો તે તે વિશેષબુદ્ધિ અભિધાન કારણ તરીકે પર્યાયોપચાર કરાય તો માનીએ છીએ. ફક્ત એ પર્યાય વાસ્તવિક કોઈ પણ દ્રવ્યથી ભિન્ન નથી હોતો એટલું હાથ ઊંચો કરીને એમ કહીએ છીએ.
પ્રશ્ન-૧૦૪૧ – જો વાસ્તવ પર્યાય નથી પરંતુ કલ્પિત છે તો ખરવિષણનો પણ એ કેમ ન હોય, કલ્પના માત્રતો ત્યાંય સુકર જ છે ને?