________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૧૦૪૧
જ
વિશિષ્ટ દ્રવ્યપરિણામ જ પર્યાય છે. તે દ્રવ્યથી ભિન્ન નથી. એ ખરશૃંગનો પણ નથી. પર્યાય દ્રવ્યનું પરિણામ છે અને ખરશૃંગ એ દ્રવ્ય નથી. એટલે જ તે ખરશૃંગ અદ્રવ્ય હોવાથી અપર્યાય છે. એટલે કેવલી જાણી શકતા નથી. કારણ કે જ્ઞેયવિષય જ્ઞાન જ્ઞેયગ્રાહિત્યેન પ્રવર્તે છે. અહીં જ્ઞેય નથી, કારણ કે અભાવરૂપ છે એવપ્નને બાળના નલ્થિ ।
૨૦૩
(૧૪) તિવિયં દ્વાર :- · સામાયિક ત્રણ પ્રકારનું છે. સમ્યક્ત્વ-શ્રુત-ચારિત્રના ભેદથી.
↓
સમ્યક્ત્વ સામાયિક
↓
નિસર્ગથી-અધિગમથી
↓
ઔપમિક
શ્રુત સામાયિક
↓
સૂત્ર-અર્થ-તદ્રુભય ↓
ક્ષાયિક
ચારિત્ર સામાયિક
↓
દેશવિરતિ-સવિરતિ
↓
ક્ષાયોપશમિક
(૧) સમ્યક્ત્વ સામાયિક :- (૧) નિસર્ગ (૨) અધિગમ બે પ્રકારે
નિસર્ગ :- સ્વભાવથી સમ્યક્ત્વ થાય છે જેમ, નારકાદિને સ્વભાવથી જ કોઈના પણ ઉપદેશ વિના જે સમ્યક્ત્વ થાય તે.
અધિગમ ઃ- તીર્થંકરાદિ સમીપે ધર્મશ્રવણ કરનારને તેનાથી સમ્યક્ત્વ થાય છે,
જેમકે
સ્કંદકાદિ.
પ્રભેદો ઃ- ઔપશમિક, સાસ્વાદન, ભાયોપશમિક, વેદક, ક્ષાયિક આ પાંચે પ્રકારને ઉક્ત બે પ્રકારે ગુણતાં ૫×૨ = કુલ ૧૦ પ્રકારે સમ્યક્ત્વ થાય છે.
અથવા બીજી રીતે - (૧) કારક (૨) રોચક (૩) દિપક અથવા ક્ષાયિક-ક્ષાયોપશમિકઔપશમિક ૩ પ્રકારે પણ સમ્યક્ત્વ થાય છે.
કારક સમ્યક્ત્વ ઃ- જે સમ્યક્ત્વ હોતે છતે સદનુષ્ઠાનની શ્રદ્ધા કરે અને સમ્યક્ કરે, તે સદનુષ્ઠાન કરાવે તે કારક સમ્યક્ત્વ કહેવાય છે એ સાધુઓનું જાણવું.
રોચક સમ્યક્ત્વ ઃ- જેને ફક્ત સદનુષ્ઠાન ગમે-રૂચે પણ કરાવે નહિ તે રોચક, શ્રેણિકાદિ.