________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૧૫
વર્તમાન મનુષ્યો ચારે સામાયિકો પ્રાપ્ત કરે છે. જઘન્યાવગાહનાવાળા ગર્ભજ મનુષ્યમાં ૧રનો પૂર્વપ્રતિપન્ન સંભવે છે પ્રતિપદ્યમાનક નહિ. ઉત્કૃષ્ટાવગાહના ત્રણગાઉવાળાને ૧-૨ સામાયિક બંને પ્રકારે છે. નારક-દેવો પણ જઘન્યઅવગાહનાવાળા સમ્યક્ત-શ્રુતના પૂર્વપ્રતિપન્ન સંભવે છે પ્રતિપદ્યમાનકો નહિ. મધ્યમોત્કૃષ્ટ અવગાહનાવાળા એ બંનેના પ્રતિપદ્યમાનકો સંભવે છે. પૂર્વપ્રતિપન્ન તો છે જ. જઘન્ય અવગાહનાવાળા તે બંને બે પ્રકારે કરે છે, મધ્યમ અવગાહનાવાળા સર્વવિરતિ વિના ૨ કે ૩ સામાયિકના પ્રતિપદ્યમાન સંભવે છે પૂર્વપ્રતિપન્ન તો ત્રણેયનાં છે જ.
લેશ્યા દ્વાર :- છએ વેશ્યાઓમાં નારકાદિ પ્રથમ બે સામાયિકને પ્રાપ્ત કરે છે. તેજ-પદ્યશુક્લ લેગ્યામાં દેશ-સર્વવિરતિ ચારિત્ર પૂર્વપ્રતિપન્ન છમાંથી અન્યતર લેગ્યામાં ચારિત્રી અને સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન-૧૦પર – પહેલાં જ્ઞાનપંચકાધિકારમાં મતિધૃતાદિજ્ઞાનલાભ શુદ્ધ એવી તેજસ્ વગેરે ત્રણ વેશ્યાઓમાં કહ્યું હતું અને અહીં શુદ્ધ અને અશુદ્ધ છએ વેશ્યાઓમાં સમ્યક્ત અને શ્રુતલાભ કહેવાતો કેમ ન વિરોધ થાય?
ઉત્તર-૧૦૫ર – દેવ-નારકોમાં પણ પ્રથમ બે સામાયિક પ્રાપ્ત થાય છે. તે બધા દેવનારકો અવસ્થિત લેશ્યાવાળા હોય છે. યથાસંભવ છએ વેશ્યાઓમાં અવસ્થિત શ્રુતમાં બતાવાય છે. તેઓમાં ભાવલેશ્યા પરાવૃત્તિથી કોઈને કોઈક હોય છે. તિર્યચ-મનુષ્યોમાં અવસ્થિત દ્રવ્ય લેશ્યા હોતી નથી. પરંતુ, બધાને દ્રવ્યલેશ્યા-ભાવલેશ્યા પરાવર્તન થાય છે. દેવ-નારકો પણ જ્યારે સમ્યક્તાદિક પ્રાપ્ત કરે છે ત્યારે ભાવલેશ્યા તેજો આદિ અન્યતર શુદ્ધ જ હોય છે. અશુદ્ધ નિત્ય અવસ્થિત હોવાથી તેમની દ્રવ્યલેશ્યા જ જાણવી ભાવલેશ્યા નહિ. એટલે મતિ આદિ જ્ઞાનોમાં પૂર્વે લાભ ચિંતામાં ભાવલેશ્યા જ અધિકૃત છે. અહીં તો ૧-૨ સામાયિકલાભ ચિંતમાં દેવ-નારક આશ્રયીને દ્રવ્યલેશ્યા અધિકૃત છે. તેથી શુદ્ધ-અશુદ્ધ સર્વ લેશ્યાઓમાં તેનો લાભ કહ્યો છે. ભાવલેશ્યા આશ્રીને અહીં પણ ત્રણ શુદ્ધમાં જ તેનો લાભ જાણવો એટલે કોઈ વિરોધ નથી.
પ્રશ્ન-૧૦૫૩ – જો દેવનારકોની કૃષ્ણાદિક અશુભદ્રવ્યલેશ્યા સદાવસ્થિત હોય તો સમ્યકત્વાદિલાભ કાળે તેમને શુભલેશ્યાઓને સંભવ કઈ રીતે? દ્રવ્યલેશ્યાઓ જ ભાવલેશ્યા ઉત્પન્ન કરે છે. તેથી કૃષ્ણાદિલેશ્યા દ્રવ્યો અશુભ હોવાથી કઈ રીતે શુભભાવલેશ્યા ઉત્પન્ન કરે કારણ અશુભ છે તેથી કાર્ય પણ શુભ થઈ શકે નહિ?
ઉત્તર-૧૦૫૩ – સત્ય, પરંતુ નારકાદીનો પણ સમ્યક્ત લાભ કાળે કોઈપણ રીતે યથાપ્રવૃત્તિકરણથી શુભ તેજો આદિ દ્રવ્યલેશ્યાનાં શુભ દ્રવ્યો અશુભ લેશ્યાના દ્રવ્યમાં ખેંચાય