________________
૧૮૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૦૦૩ – તો અદેવાદિમાં દેવાદિ બુદ્ધિથી અભિગમન-વંદનાદિ કરવું, અને હિંસાદિ ક્રિયાથી જીવનો કર્મસાથે સંયોગ થાય છે એમ માનો પરંતુ દાન-દયા-શીલપાલનસમિતિ-ગુતિ આદિ ક્રિયાઓથી તેમનો વિયોગ થાય છે એમ માનવાની શી જરૂર છે?
ઉત્તર-૧૦૦૩– ભલા કર્મના ગ્રહણમાં હિંસાદિ ક્રિયાઓને તું સફળ કઈ રીતે માને છે? અને દાન-દયાદિ ક્રિયાઓને તેના વિધાનમાં સફળ નથી માનતો તો અહીં શું રાજાની આજ્ઞા છે યુક્તિ નથી ? અને બીજું તને પૂછીએ શું પાપસ્થાનમાં વ્યાપારવાળા પુરુષાર્થથી સાધ્ય એકને કર્મનું આદાન માને છે, અને એક તો જે તેનું નિર્જરણ છે તે સંયમાદિસ્થાનમાં કરેલા પુરુષાર્થથી સાધ્ય માનતો નથી. સ્વેચ્છાપ્રવૃત્તિથી એ પણ પ્રગટ ઈશ્વરની ચેષ્ટાઓ જ થાય છે. તેથી જેમ તીવ્ર-મંદ-મધ્યભેદથી ભિન્ન અશુભ પરિણામ છે. તેના ગ્રહણમાં તે કર્મનું ઉપાદાનગ્રહણ કરે છે કે ત્યાં તમારો હેતુ માન્ય છે. તે જ રીતે તીવ્ર-મંદાદિ ભેદ ભિન્ન શુભપરિણામઅશુભ પરિણામનો વિપક્ષ હોવાથી કમર્જનમાં વિપક્ષ ભૂત કર્મના વિયોગમાં પણ હેતુ કેમ માનતો નથી? યુક્તિ યુક્ત હોવાથી માનવો જ જોઈએ તે રીતે જીવની સાથે અવિભાગથી રહેલા કર્મનો વિયોગ સિદ્ધ છે.
પ્રત્યાખ્યાન વિષય વિપરીતતાનું નિરાકરણ
આગળ તે કહ્યું કે પ્રત્યાખ્યાન અપરિમાણ કરાતું જ શ્રેષ્ઠ છે. તો એ અપરિમાણ શું છે? શું “જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધી હું અમુક સેવીશ નહિ” એ અપરિમાણ? કે સર્વે અનાગત અદ્ધા કે અપરિચ્છેદ ? એમ ત્રણ ગતિ છે.
(૧) અપરિમાણ – ત્યાં જો “શક્તિ છે ત્યાં સુધી હું આ સેવીશ નહિ,” એવું અપરિમાણ માને તો તે શક્તિ જ પરિમાણ છે. એથી જેનો નિષેધ છે તે જ થયું એમ માનવાનું કારણ કે જ્યાં સુધી શક્તિ હશે ત્યાં સુધી એ નહિ એવું, એવી જ શક્તિરૂપ ક્રિયા છે તેનાથી પ્રત્યાખ્યાનનો અવધિભૂત કાળ જ અનુમાન કરાય છે. જેટલો સમય શક્તિ છે તેટલો સમય સેવીશ નહિ, દષ્ટાંત – જેમ સૂર્યાદિ ગતિ ક્રિયાથી સમય-આવલિકાદિ કાળ અનુમાન કરાય છે. તેમ અહીં પણ શક્તિક્રિયાથી પ્રત્યાખ્યાન અવધિકાળ થાય છે.
પ્રશ્ન-૧૦૦૪ – તો એમ જ ભલે હોય?
ઉત્તર-૧૦૦૪- ના, કારણ કે એમ હોવાથી તે પ્રતિજ્ઞાત કરેલ અપરિમાણ પક્ષની હાનિ થાય છે. કેમકે શક્તિક્રિયા અનુમતિ કાલપરિમાણ અત્યારે જાતે જ તે માન્યો છે.
અને જે કહ્યું ને કે આશંસા દુષ્ટ થાય છે ત્યાં-શક્તિરૂપ અપરિમાણ પણ તું માને તો આશંસા દોષ તદવસ્થ જ છે. કેમકે શક્તિના ઉત્તરકાળે આ સેવીશ એવી આશંસા તદવસ્થા