________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૮૧
જ છે. અને આ શક્તિરૂપ અપરિમાણ માનવામાં તારા પક્ષની હાનિ સિવાય બીજા પણ દોષો છે. – જેમ મરેલાનો દેવલોકાદિમાં સુરાંગનાસંભોગાદિ ભોગોને ભોગવનારનો અમારા પક્ષમાં દોષ નથી. તથા શક્તિ-અપરિમાણ માનતા તારા મતે જીવતા પણ ભોગોપસેવામાં દોષ નથી. એટલી જ મારી શક્તિ છે. એટલે મારું પ્રત્યાખ્યાન પૂરુ થવાથી ભોગ ભોગવું એવા અભિપ્રાયવાળાને તારા મતથી જીવતાં છતાં યોગ ભોગવતા દોષ નથી. આ જિનશાસનમાં દૃષ્ટ કે ઇષ્ટ નથી. અને એમ માનવામાં એટલી મારી શક્તિ છે એવા આધારવાળો નિર્ભય હોવાથી પ્રત્યાખ્યાનની અનવસ્થા જ થાય, ભોગ સેવો, પ્રત્યાખ્યાન કરો પાછા ભાગ ભોગવો, પાછા પ્રત્યાખ્યાન કરો એમ વારંવાર પ્રત્યાખ્યાન ચાલુ જ રહે એટલે અનવસ્થા પ્રાપ્ત થશે. અને વ્રતોનો અતિચાર તેને આચરવામાં પ્રાયશ્ચિત, એકવ્રતભંગમાં સર્વવ્રતનો ભંગ, નિયમથી સર્વે વ્રતો પાળવા એવું જે આગમરૂઢ છે તે બધું તારા મતથી થતું નથી, જેમકે-એટલી જ મારી શક્તિ છે અધિક નથી એવા ભાવથી પ્રતિસેવા કરતા છતા સાધુનો શક્તિ-અપરિમાણવાદી તારા મતથી અતિચાર નથી કે વ્રતભંગ પણ નથી કે પ્રાયશ્ચિત પણ નથી, તે રીતે સર્વ વ્રત પાલનનો નિયમ ન થાય, શક્તિના આધારથી તારા મતે તો એકવ્રતપાલનથી પણ સંયત છે.
(૨) સર્વાનાગતાદ્ધા – અપરિમાણ–તો મરેલો પણ દેવલોકાદિમાં ભોગો સેવતો સાધુ પણ પ્રતિજ્ઞા અપૂર્ણ હોવાથી ભગ્નવ્રતી જ છે. અને સિદ્ધ પણ સર્વ અનાગતકાળ પર્યંત સંવરધારી હોવાથી સંયમી કહેવાશે. કારણ કે આ સમય પણ સર્વદ્ધા ગૃહીત પ્રત્યાખ્યાન કાળના અંતર્ગત છે. જેમકે, યાવજજીવ ગૃહીત વિરતિ કાળાસ્યંતરવર્તિ સાધુ-દૃષ્ટાંત.
પ્રશ્ન-૧૦૦૫
ઉત્તર-૧૦૦૫ - ! – ના, સિદ્ધે નો સંગ", નો અસંગ, નો સંનયાસંગÇ એ વચનથી બીજો પણ દોષ છે-ઉત્તરગુણ-પૌરુષી-પુરિમાર્ક-એકાસણું-ઉપવાસાદિ તપરૂપ, સંવરણ-ઘણા આગારોથી ગૃહીત એકાસણાદિ પ્રત્યાખ્યાનનો ભોજન પછી આકાર સંક્ષેપણ રૂપ –આ બંને ઉત્તરગુણ-સંવરણનો આ રીતે અનાગતાા પ્રત્યાખ્યાન પક્ષ માનતાં સર્વથા અભાવ જ થશે. કારણ કે પૌરુષી આદિમાં અનાગતાદ્વા પ્રત્યાખ્યાન અસંગત છે. અને એકાસણાદિમાં તારા મતથી સંવરણ ક્યારેય ન ઘટે.
ન
-
તો સિદ્ધને પણ સંયત માનો શું દોષ છે ?
(૩) અપરિચ્છેદ-અપરિમાણ – તેમાં પણ અનાગતાદ્વા પ્રત્યાખ્યાન દોષ સરખો જ છે. તે આ રીતે કાલપરિચ્છેદ વિના પણ પ્રત્યાખ્યાન કરતે છતે શું ઘડીમાત્ર કોઈ કાળ પ્રતીક્ષા કરીને પ્રતિસેવા કરે કે સર્વ અનાગતાદ્ધા પ્રત્યાખ્યાન પાળે ? જો પ્રથમ પક્ષમાનો-તો અનવસ્થા થશે કારણ કે જ્યાં સુધી ઘડી પ્રતીક્ષા કરે તો બે ઘડી કેમ ન કરે ? એમ ત્રણ ઘડી