________________
ગુજરાતી પ્રશ્નોત્તર
મિથ્યાત્વાદિ જીવમાં સર્વત્ર છે અને તેથી તેના કાર્યભૂત કર્મ પણ સર્વત્ર જ ત્યાં છે. ખાલી બહાર જ નહિ, તેથી અગ્નિ-અયઃપિંડ-ક્ષીર-નીર ન્યાયથી જીવની સાથે અવિભાગથી જ કર્મ રહેલું છે એમ સત્યક્ષ સ્વીકાર અને મિથ્યાભિમાન છોડ.
પ્રશ્ન-૧૦૦૦ – જો જીવ-કર્મનો અવિભાગ છે તો તેમના વિયોગાભાવે મોક્ષાભાવ થાય છે. એ દુષણ તમને પહેલા આપેલું જ છે ને ?
ઉત્તર-૧૦૦૦ – તે કર્મનો જીવ સાથે અવિભાગથી સંબંધ રહેલ હોવા છતાં કાંચનઉપલની જેમ જ્ઞાન-ક્રિયાથી વિયોગ કરાય છે. તથા તે જ કર્મનો મિથ્યાત્વાદિથી ગ્રહણ ક૨વાથી જીવની સાથે સંયોગ થાય છે. ભાવાર્થ-અહીં જીવનું અવિભાગથી અવસ્થાન બે પ્રકારે થાય છે આકાશ અને કર્મ સાથે. ત્યાં આકાશ સાથે અવસ્થાન છે તેનો વિયોગ થતો જ નથી, સર્વકાળ અવસ્થાન હોવાથી. અને કર્મ સાથે અવિભાગ અવસ્થાન છે તે પણ અભવ્યોનું અલગ થતું નથી ભવ્યોનું કર્મ સંયોગ તો તથા વિધ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ સામગ્રીના સદ્ભાવે વિયોગ થાય છે. જેમ, આગમાં કહ્યું છે કે ઔષધિ આદિ સામગ્રી નાંખતા સુવર્ણ-ઉપલનો વિયોગ થાય છે. તેમ તથાવિધજ્ઞાનાદિ સામગ્રી અભાવે તો ભવ્યોને કર્મસંયોગ ક્યારેય તૂટતો નથી. “નો ચેવ ળ મવસિદ્ધિય વિહિપ તોત્ મવિ“ફ ।''
પ્રશ્ન-૧૦૦૧ તો તે ભવ્યો કઈ રીતે કહેવાય ?
-
૧૭૯
ઉત્તર-૧૦૦૧ – મોક્ષ પ્રાપ્તિની યોગ્યતા માત્રથી જ તે ભવ્ય કહેવાય છે, પણ બધા યોગ્ય વિક્ષિતપર્યાયથી જોડાતા નથી, જેમકે, પ્રતિમાદિ પર્યાયયોગ્ય છતાં તેવા પ્રકારના લાકડા-પથ્થરાદિ કેટલાક તેવી સામગ્રીના અભાવે પ્રતિમારૂપ થતા નથી. તેમ અહીં ભવ્યોના સંબંધમાં પણ સમજવું. આગળ ગણધરવાદમાં એ વાત વિસ્તારથી કહી છે. તેથી અન્યોન્ય અવિભાગથી અવસ્થિત હોવાથી કર્મ જીવથી વિખુટું થતું નથી, એમ અનૈકાંતિક છે. ઉપાયથી દશ્યમાન વિયોગવાળા ક્ષીર-નીર, સ્વર્ણ-પથ્થર આદિ સાથે વ્યાભિચાર આવવાથી.
1
· તે પ્રસ્તુત જીવ-કર્મ અવિભાગ કયા ઉપાયથી વિખુટો પડે ?
પ્રશ્ન-૧૦૦૨
ઉત્તર-૧૦૦૨ આગળ કહ્યું તો છે જ્ઞાન-ક્રિયાના ઉપાયથી. મિથ્યાત્વાદિથી જીવકર્મનો સંયોગ થાય છે. અને તેના વિપક્ષ સમ્યગ્નાનાદિથી જીવ-કર્મનો વિયોગ યુક્તિ યુક્ત જ છે. જેમ અન્ન ભોજન આદિના વિપક્ષ લંઘનાદિથી અન્નાદિથી જનિત અજીર્ણનો વિયોગ થાય છે.
—