________________
૧૯૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૧૩) દ્વાર :
પ્રશ્ન-૧૦૨૮– શું સામાયિક જીવ છે કે અજીવ? જીવાજીવત્વમાં પણ શું દ્રવ્ય છે કે ગુણ છે? અથવા જીવાજીવ ઉભય અથવા જીવાજીવોભયથી ભિન્ન ખરશૃંગ-વંધ્યાપુત્ર જેવું કોઈપણ તે હોય છે?
ઉત્તર-૧૦૨૮- સામાયિક આત્મા-જીવ જ છે, અજીવાદિ નહિ. તે આત્મા સાવદ્યયોગનું પચ્ચખ્ખાણ કરતો પ્રત્યાખ્યાન ક્રિયા કાળે સામાયિક થાય છે, નિશ્ચયનય મતે ક્રિયમાણ કૃત એમ ક્રિયાકાળ-નિષ્ઠાકાલનો અભેદ હોવાથી ફક્ત પ્રત્યાખ્યાન કરતો એ અત્યારે સામાયિક થતો નથી પરંતુ, ઉપલક્ષણથી કરેલા પ્રત્યાખ્યાનવાળો પણ સામાયિક થાય છે.
પ્રશ્ન-૧૦૨૯- “વવEાર્થ તો હવફ માયા” (ગા.૨૬૩૪) એમાં બીજા આત્માનું ગ્રહણ શા માટે ?
ઉત્તર-૧૦૨૯- તે જ સાવદ્યયોગ પ્રત્યાખ્યાન યુક્ત પરમાર્થથી આત્મા છે, શ્રદ્ધાનજ્ઞાન-સાવદ્યનિવૃત્તિ રૂપ સ્વસ્વભાવમાં અવસ્થિત હોવાથી, શેષ સંસારી પ્રચુર ઘાતિ કર્મોદ્વારા તેના સ્વાભાવિક ગુણોનો તિરસ્કાર હોવાથી આત્મા જ નથી. એ જણાવવા માટે ફરીથી આત્માનું ગ્રહણ કર્યું છે. તે હલુ તિ ખલુ શબ્દ સામાયિકનું જીવપરિણતિત્વ જણાવવા માટે છે. તેથી તે પ્રત્યાખ્યાન જીવપરિણાતિ રૂપ હોવાથી વિષયને આશ્રયીને સર્વજીવદ્રવ્યોના આપાતમાં નિષ્પન્ન થાય છે, કારણ, સર્વ જીવદ્રવ્યો સામાયિક પ્રત્યાખ્યાનના શ્રદ્ધેયશેય-પ્રવૃત્તિ-નિવૃત્તિ ભાવથી ઉપયુક્ત છે. એટલે તેના સમવાયમાં તે ઉત્પન્ન થાય છે એમ કહેવાય છે.
પ્રશ્ન-૧૦૩૦ – સામાયિક જીવ જ કેમ હોય અજીવ કેમ નહિ?
ઉત્તર-૧૦૩૦ – કારણ કે સમ્યક્ત-શ્રુત સામાયિક દ્વારા શ્રદ્ધા કરે અને જાણે છે તે જીવ જ હોય અજીવાદિ તેમ કરતા નથી. એટલે પ્રત્યાખ્યાનન કરનાર ચારિત્રી જીવ જ હોય અજીવ કે અભાવ નહિ. શ્રદ્ધા જ્ઞાન-પ્રત્યાખ્યાન પ્રેક્ષાવાળામાં જ સંભવે અજીવ કે અભાવમાં પ્રેક્ષા નથી. તેથી જીવ જ સમાયિક છે અછવાદિ નહિ.
તે વસ્તુ પવૅવવાdf (૩૬૩૪) સામાયિક-જીવપરિણતિ સામાયિકપરિણામથી અનન્ય હોવાથી જીવ જ સામાયિક છે અને સર્વદ્રવ્યો તેનો વિષય છે. કારણ કે યથાસંખ્ય સમ્યક્તશ્રુત-ચારિત્ર સામાયિકોનો શ્રદ્ધેયત્વ, શેયત્વ અને પ્રવૃત્તિ-નિવૃત્તિ ક્રિયાથી સર્વ દ્રવ્યોનો ઉ૫યોગ્ય છે.