________________
૧૭૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૯૯૭ – એ કથન ઘટતું નથી. કારણ કે જો બહાર રહેલું વિભિન્ન દેશમાં રહેલું કર્મ અન્ય મધ્યલક્ષણ દેશાન્તરમાં વેદના કરે છે એમ માનીએ તો યજ્ઞદત્તના શરીરમાં રહેલું કર્મ દેવદત્તને વેદના કેમ નથી કરતું? દેશાંતરપણું તો બંનેમાં સમાન છે.
પ્રશ્ન-૯૯૮ – કર્મ એક દેવદત્તના શરીરની બહાર અને અંદર સંચરે છે તેથી ત્યાં બહારઅંદર વેદના થાય છે. અન્ય શરીરમાં નહિ, કેમકે કર્મ સ્વાધારશરીરમાં બહાર-અંદર સંચરે છે. અન્યશરીરમાં સંચરતું નથી. એમ એમ માનીએ છીએ. તો દોષ ક્યાં આવવાનો?
ઉત્તર-૯૯૮- તો કંચુક જેમ સર્પના બહાર રહે છે તેમ કર્મ જીવના બહાર જ નિત્ય રહે છે એવો તમારો મત ઘટતો નથી. પરંતુ ક્યારેક બહાર, ક્યારેક અંદર કર્મનું સંચરણ માનવાથી કાંચળી જેમ બહાર રહે છે એ નિયમ ઘટતો ન હોવાથી તણાઈ જાય છે. અને કર્મના સંચરણમાં બહાર અને અંદર ક્રમથી જ વેદના થાય, એવું નથી કારણ કે કોઈ લાકડી ફટકારે ત્યારે અંદર-બહાર એક સાથે જ વેદના દેખાય છે એટલે કર્મનું સંચરણ ઘટતું નથી અને બીજું પણ દુષણ આવે છે.
કર્મનું સંચરણ માનો તો મરેલાને તે ભવાંતરમાં અનુસરતું નથી કેમકે માત્ર શરીરમાંજ સંચરે છે. જેમકે પવન. જે શરીરમાં અંદર-બહાર સંચરે છે તે ભવાંતરમાં અનુસરતું નથી, જેમકે શ્વાસોશ્વાસનો પવન, તેમ કર્મ તેથી ભવાંતરમાં અનુસરતું નથી.
પ્રશ્ન-૯૯૯ – આગમમાં પણ રત્નમને વનિ (મા.૧-૧) કહેલું હોવાથી કર્મનું ચલન કહ્યું છે ચલન એટલે સંચરણ તો તેનો અહીં શા માટે નિષેધ કરો છો?
ઉત્તર-૯૯૯ – તે યોગ્ય નથી, તમે મતલબ સમજતા નથી- “વનિયમ્ કૃત્ય ને ગાવ વેણ નીવાર ત્નિ વર્મ નિત્તર ” એ વચનથી તથા “નિર્વીર્થમા વિનમ્” એ વચનથી આગમમાં ચલિત કર્મ નિર્જીર્ણ કહ્યું છે અને જે નિર્જીર્ણ તે અકર્મ જ કહ્યું છે. અને તે વચ્ચે રહેલું પણ વેદના કરવા સમર્થ નથી. જેમકે અકર્મ આકાશના પરમાણું આદિ તેના સામર્થ્યભાવથી, તેથી આ રીતે અનેક દોષથી દુષ્ટ હોવાથી કર્મનું સંચરણ અયોગ્ય એટલે ખરી રીતે અંતરવેદનાના સભાવથી મધ્યમાં પણ કર્મ છે. મધ્યેડ મસ્તિ कर्म, वेदनासद्भावात्, त्वचीव । यत्र वेदनासद्भावस्तत्रास्ति कर्म यथा त्वक्पर्यन्ते, अस्ति चान्तर्वेदना, ततः कर्मणापि तत्र भवितव्यमेव ।
અને મિથ્યાત્વાદિ પ્રત્યયોથી કર્મ બંધાય છે અને તે જીવના જેમ બાહ્ય પ્રદેશોમાં છે તેમ મધ્યપ્રદેશોમાં પણ છે, જેમ મધ્ય પ્રદેશમાં છે તેમ બાહ્ય પ્રદેશોમાં પણ સર્વત્ર છે. તે અધ્યવસાય વિશેષરૂપ છે. અને અધ્યવસાય સમસ્તજીવગત છે. તેથી કર્મબંધના કારણ