________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૧૮૪
છે. એટલે એની ભાર્યા એની માતાને કહે છે હું તારા પુત્રથી વૈરાગ પામી છું. એ રાત્રે ક્યારેય સમયસ૨ આવતો નથી. એટલે હું ઉજાગરા અને ભૂખથી રોજ પીડાઉં છું. તે બોલી-પુત્રી ! તો આજે તું સુઈ જા હું જાગીશ. રાત્રે આવ્યો, બોલ્યો-દરવાજો ઉઘાડ ગુસ્સે થયેલી માતા બોલી-દુર્રયવિધિ ! અત્યારે જેના દરવાજા ઉઘાડા હોય ત્યાં જા, તારા પાછળ લાગેલું કોઈ મરશે નહિ. એટલે કોપ-અહંકારથી પ્રેરાયેલો નીકળ્યો. ઉઘાડા દ્વારવાળો સાધુનો ઉપાશ્રય જોયો. ત્યાં સાધુઓ કાલગ્રહણ કરે છે. વંદન કરીને દીક્ષા માંગી. તેઓએ રાજાનો વલ્લભ અને માતાએ કાઢી મૂકેલો છે એટલે ન આપી. એટલે ખેલના મલ્લકમાંથી રાખ લઈને સ્વયં લોચ કર્યો. સાધુઓએ લિંગ આપ્યું. વિહાર કરી ગયા. કાલાંતરે પાછા ત્યાં આવ્યા. એટલે રાજાએ શિવભૂતિને કિંમતી કાંબળી આપી. આચાર્યે શિવભૂતિને કહ્યું-તારે અને સાધુઓને માર્ગઆદિમાં અનેક અનર્થનું કારણ એના ગ્રહણથી શું ? એટલે ગુરુને બતાવ્યા વગર પણ છૂપાવીને મૂર્છાથી તે રાખી. ગોચરીથી આવીને રોજ એને સંભાળે છે ક્યારેય વાપરતો નથી. ગુરુએ એને મુચ્છિત જાણીને એક દિવસ તેને પૂછ્યા વિના જ તે બહાર ગયો એટલે કાંબળી ફાડીને સાધુઓના પગલૂંછણા વગેરે કર્યા. વાત જાણીને કષાયવાળો થયો એકવાર સૂરિ જિનકલ્પીનું વર્ણન કરે છે.
जिणकप्पिया यदुविहा पाणिपाया पडिग्गहधरा य । पाउरणमपाउरणा इक्किक्का ते भवे दुहि ॥ १ ॥ दुग तिग चक्क पणगं नव दस एक्कारसेव बारसग । एए अट्ठ विगप्पा जिणकप्पे होंति उवहिस्स ॥२॥
એ સાંભળીને શિવભૂતિ બોલ્યો-તો અત્યારે કેમ ઔધિક અને ઔપગ્રહિક એટલી ઉપધિ રખાય છે ? જિનકલ્પ કેમ નથી કરાતો ? ગુરુ-જંબુસ્વામિથી એ વ્યવચ્છિન્ન થયો છે, સંઘયણના અભાવે અત્યારે એ કરવો શક્ય નથી. શિવભૂતિ-મારા જીવતા એ કઈ રીતે વિચ્છેદ થાય ? હું એ જિનકલ્પ કરું છું. પરલોકાર્થિએ તે જ નિષ્પરિગ્રહ જિનકલ્પ કરવો જોઈએ, આ કષાય-ભય-મૂર્છાદિદોષવાળા પરિગ્રહ અનર્થથી શું કામ છે ? એટલે જ શ્રુતમાં નિષ્પરિગ્રહતા બતાવી છે અને જિનેન્દ્રો અચેલક છે એટલે અચેલતા જ સારી છે. ગુરુ-તો દેહમાં પણ કષાય-ભય-મૂર્છાદિ દોષો કોઈના પણ સંભવે છે. એટલે વ્રતગ્રહણ પછી તે પણ છોડવો. જે શ્રુતમાં નિષ્પરિગ્રહતા કરી છે. તે પણ ધર્મોપકરણોમાં મૂર્છા ન કરવી એવો મૂર્છાભાવ જ નિષ્પરિગ્રહત્વ કહ્યો છે. સર્વથા ધર્મોપકરણોનો ત્યાગ નહિ. જિનેન્દ્રો પણ સર્વથા અચેલકો નથી જ ‘“સન્થેવિ પાસેળ નિયા નિળવા ઘડવીસ' એમ એ વચનથી સર્વે ચોવીસે જિનવરો એક દેવદૃષ્ય સહિત નીકળેલા છે. એવું ગુરુ અને સ્થવિરોએ યુક્તિઓથી સમજાવવા છતાં અધિકકષાય મોહાદિ કર્મોદયથી પોતાના આગ્રહથી પાછો ન