________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૭૩
ફૂરણાદિ તલ્લક્ષણ યુક્ત હોવાથી જેમ સકલ ગરોળી આદિ જીવની જેમ છેદાયેલા પૂછવાળો ગરોળી આદિનો જીવાવયવ પણ જીવ છે.
પ્રશ્ન-૯૯૧ – ગરોળી આદિ જીવનો પૂચ્છાદિ તેનો અવયવ દેશ જ છે એટલે જીવ ન મનાય, જે સંપૂર્ણ હોય તેને જ જીવ મનાય.
ઉત્તર-૯૯૧ – જો એમ હોય તો અજીવ ઘટાદિનો દેશ પણ અજીવ નથી સંપૂર્ણ હોય તો જ અજીવ કહેવાય. તેથી આ અજીવ દેશ પણ નોઅજીવ જ થાય. અજીવ ન થાય, એટલે ચાર રાશિનો પ્રસંગ આવે.
નીવે છે પણ તે પણ ન નીવે (અનુ. નૂ ૨૪૮) એમ અનુયોગદ્વારમાં કહેલા સૂત્રાલાપકમાં સમભિરૂઢનય પણ (ગા.૨૪૬૨) નો જીવ ઇચ્છતો નથી. જીવથી અન્ય દેશને તે નોજીવ ઇચ્છતો નથી પરંતુ, તેનાથી વ્યતિરિક્ત જ તેને માને છે.
પ્રશ્ન-૯૯૨ – એવું તમે કઈ રીતે કહી શકો?
ઉત્તર-૯૯૨ – કારણ કે દેશ-દેશીનો કર્મધારય સમાસ-સમાનાધિકરણ સમાસ સમભિરૂઢ નય માને છે. નૈગમ આદિ જેમ તપુરુષ સમાસ નહિ. અને સમાનાધિકરણ સમાસ નીલોત્પલાદિની જેમ વિશેષણ-વિશેષ્યના અભેદમાં જ થાય છે. એટલે જીવથી અનન્યઅભિન્ન રૂપ દેશને જ તે નોજીવ માને છે એમ જણાય છે. આ રીતે તૃતીય રાશિ કઈ રીતે થાય? સમભિરૂઢનય મતે સમાનાધિકરણ સમાસ-ગીવાની પ્રદેશ નીવપ્રન્ટેશઃ તે જ નોજીવ. જીવથી અવ્યતિરિક્ત નો જીવ તે માને છે નહિ કે જીવથી અલગ થયેલા તેના ટૂકડાને. જેમ તું ગરોળી આદિની પૂંછડીના ટૂકડાને નોજીવ માને છે. અને નોજીવને ઇચ્છતો પણ સમભિરૂઢ નય જેમ તું માને છે તેમ જીવ-અજીવ બે રાશિથી ભેદ ઇચ્છતો નથી, પણ જીવ-અજીવ રૂપ બે રાશિ જ માને છે. નોજીવ તેમાં જ અંતર્ભત છે. તથા અન્ય નયો પણ જીવ-અજીવથી અધિક નો જીવ વસ્તુ માનતા જ નથી એટલે આ તારો જ કોઈ નવો માર્ગ છે.
અરે ભલેને સમભિરૂઢ નય તારી જેમ નોજીવ માને તો પણ એક નયનો મત મિથ્યાત્વ છે શાક્યમત વતું. એટલે એ પ્રમાણ ન કરવો. સમ્યક્તતો સર્વનયમતના સંગ્રહથી જ થાય છે. તેથી જો સર્વનયમય જિનમતને તું પ્રમાણ ઇચ્છે છે તો જીવ-અજીવ રૂપ બે રાશિ માન. पयमक्खरं पि एवं पि जो न रोएइ सुत्तनिद्दिटुं । सेसं रोयन्तोऽवि हु मिच्छाद्दिट्टी मुणेयव्वो આશા એ પાઠથી પદની પણ વિપ્રતિપત્તિથી મિથ્યાત્વી થાય તો સકલ રાશિઓમાં વિપ્રતિપતીથી તે મિથ્યાત્વી કેમ નહિ થાય ?