________________
૧૬૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અસમક પ્રવૃત્ત છતા સમક જણાય છે તેમ અહીં પણ મન શિર-પાદાદિ સ્પર્શનેન્દ્રિય દેશો અને અન્ય ઇન્દ્રિયો સાથે ક્રમથી જોડાતું પણ યુગપત્ જોડાતું જણાય છે. ભાવાર્થ-અહીં કોઈ લાંબી સાંગરી-સુકી ખાતો તેનું રૂપ આંખથી જોતાં રૂપજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેની ગંધ આવવાથી પ્રાણેન્દ્રિય વડે ગંધનું જ્ઞાન થાય છે. તેને ખાવાથી રસનેન્દ્રિય વડે રસનું જ્ઞાન થાય છે. તેનો સ્પર્શ થવાથી સ્પર્શેન્દ્રિય વડે તેના સ્પર્શનું જ્ઞાન થાય છે. તેને ચાવતાં શબ્દ થવાથી સાંભળવાથી શબ્દજ્ઞાન થાય છે. આ પાંચે જ્ઞાનો ક્રમથી જ થાય છે. નહિતો સાંકર્યાદિદોષની આપત્તિ થાય. અને મતિજ્ઞાનના ઉપયોગ કાળે અવધિજ્ઞાન આદિની ઉપયોગની પણ પ્રાપ્તિ થઈ જાય. અને એક ઘટાદિ અર્થને વિચારતા અનંતઘટાદિ અર્થ વિકલ્પોનો પ્રસંગ થાય. એવું નથી તેથી ક્રમથી થતા પણ આ જ્ઞાનોને પ્રાપ્ત કરનાર યુગપ ઉત્પન્ન થાય છે એવું માને છે. કારણ સમય-આવલિકાદિ કાલવિભાગ સૂક્ષ્મ છે. એટલે જ્ઞાતા એક સાથે તે ઉત્પન્ન થાય છે એમ માને છે. એમ અહીં પણ શિર-પાદાદિ દેશો અને અન્ય ઈન્દ્રિયોની સાથે ક્રમસર જોડાતું મન પણ પ્રતિપત્તા યુગપત્ જોડાતું માને છે. વાસ્તવિકતા એ મનનો સ્વભાવ જ એવો છે. એવું ન્યાય ભાષ્ય (૧-૧-૧૬) “યુગપજ્ઞાનાનુત્પત્તિની તિમ્” માં કહેલું છે.
પ્રશ્ન-૯૭૪ – જો ઉક્તન્યાયથી સક્રિયદ્વારથી ઉત્પન્ન થતાં ઉપલંભમાં ક્રમથી મનનો સંચાર દુર્લક્ષ છે તો કેમ એક જ સ્પર્શેન્દ્રિય માત્રના શીતવેદન ઉપયોગમાંથી ઉષ્ણવેદન ઉપયોગ રૂપ અન્ય ઉપોયગ જન્ય છતે તેનો સંચાર કઈ રીતે જાણી શકાય? ન જણાતા તેના ક્રમ સંચાર છતે શીત-ઉષ્ણ બે ક્રિયાના ઉપયોગ વિષય સમકાલે એકસાથે અધ્યવસાય થાય છે એનું શું? અને એક અર્થમાં ઉપયુક્ત છતાં મન અર્થાતરે ઉપયોગમાં જાય તો શું દોષ થાય?
ઉત્તર-૯૭૪ – અન્ય શીત વેદનાદિ અર્થમાં વિનિયુક્ત-અન્યવિનિયુક્ત મન અન્ય ઉષ્ણવેદનાદિ ઉપયોગ-અન્યવિનિયોગને પ્રાપ્ત કરે છે તો અન્યાર્થમાં ઉપયોગવાળો દેવદત્તાદિ હાથીને પણ આગળ ઉભેલો જોતા નથી ? તેથી એકમાં ઉપયોગવાળું મન ક્યારેય અન્ય ઉપયોગાર્થમાં જતું નથી. જો એક ઉપયોગકાળે ઉપયોગાન્તર માનો તો તો અહીં ક્રિક્રિયા ઉપયોગરૂપ નિયમનું શું પ્રયોજન ? કે જેથી પ્રત્યેક વસ્તુમાં અસંખ્યય કે અનંત વિનિયોગો એક સાથે નથી માનતા? અર્થાત જો શીતવેદના ઉપયોગ કાળે ઉષ્ણવેદના ઉપયોગ પણ માનો તો અહીં બેક્રિયા ઉપયોગની નિયતતાનો શું ફાયદો? પ્રતિવસ્તુ અસંખ્યય કે અનંત ઉપયોગો ન હોય? જેમ એક સમયે બીજો ઉપયોગ તેમ ઘણા પણ થાય અને અહીં દ્રવ્યામો મસંન્ને બંન્ને યાવિ પન્નવે નેહરુ (ગા. ૭૬૦) થી એક અર્થમાં સમકાળે અવધિજ્ઞાનિને ઉત્કૃષ્ટથી અસંખ્ય પર્યાયો પ્રાપ્ત થાય છે અને કેવલ જ્ઞાનીઓને તો અનંતા પર્યાયો પ્રાપ્ત થાય છે એવા અભિપ્રાયવાળો કહે છે. “વફવઘુમસંબ્બા” ત.