________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૦૫ (૨) પથિક દૃષ્ટાંત - ત્રણ યોજનાદિક માર્ગ સમાન હોવા છતાં જતા એવા ત્રણ પુરુષોને ૧-૨-૩ પ્રહર રૂપ ગતિ વિશેષથી ભિન્ન ગતિકાળ દેખાય છે એમ કર્મ તુલ્યસ્થિતિક છતાં તીવ્ર-મંદ-મધ્યમાધ્યવસાય વિશેષથી જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ રૂપ ત્રણ પ્રકારનો અનુભવ કાળ હોય છે.
(૩) શાસ્ત્ર :- શાસ્ત્ર તુલ્ય છતાં ભણનારની ગ્રહણ બુદ્ધિ-મતિ, ઇહાવધરાણા રૂપ-મેઘા ના ભેદથી ત્રણ પ્રકારનો ગ્રહણનો કાળ ભિન્ન-અનેકરૂપ દેખાય છે એમ આયુ.નો પણ પરિણામ વિશેષથી તુલ્યસ્થિતિવાળાનો પણ અનેકરૂપ અનુભવન કાળ છે.
દિષ્ટાંત - ૨, ૩, નો પ્રસ્તુતમાં યોજના-રિરિયાવિસાર (૨૦૬૦) પરિણામઅધ્યવસાન આદિ શબ્દથી બાહ્ય દંડ-કશા-શસ્ત્રાદિ, ક્રિયા-ચારિત્રરૂપી, પરિણામોદિક્રિયાના વિશેષથી ઘણાં તુલ્યસ્થિતિક બદ્ધ કર્મોમાં અનુભવકાળ ભિન્ન-ભિન્ન જ છે.
(૪) રજુ:- જેમ લાંબી ફેલાવેલી રજુ એક છેડાથી ક્રમસર બળતી ઘણા સમયે બળે છે અને મોટો કરેલી બળતી તો જલ્દીથી ભસ્મસાત્ થાય છે એમ કર્મ પણ દીર્ઘકાળસ્થિતિક પ્રતિસમય ક્રમથી વેદાતું લાંબા સમયે વેદાય છે અને અપવર્તન કરીને વેદાતું થોડા કાળમાં વેદાય છે.
| (૫) ભીનો પટ - પાણીથી ભીનો ડૂચો કરેલો પટ લાંબાકાળે સુકાય છે અને ફેલાવેલો થોડા સમયમાં જ સુકાઈ જાય છે. તેમ કર્મ પણ.
(૬) રાશિ - જેમ લાખાદિનો મોટો રાશિનો અપવર્તના વગરનો ભાગ ક્રમશઃ ચિરકાળે હરાય છે ત્યારે ઘણીવાર લાગે છે અને જયારે ગુણ લાખનો અને ગુણકારક દશની પાંચથી અપર્તના કરાય તો જલ્દીથી ભાગ ઓછો થાય છે. પાંચથી ભાગતાં ૨૦ હજાર અને દશને પાંચથી ભાગતા ૨ આનાથી ૨૦ હજાર ભાગતાં ૧૦ હજાર જલ્દીથી આવે છે. અને અનાવર્તિત દશ દ્વારા પવર્તિત લાખનો મોટો ભાગ અપારકાળ થાય છે એમ આયુનો પણ અનાવર્તિતનો દીર્ઘ અનુભવનકાળ અને અપવર્તિતનો લઘુકાળ થાય છે.
(૭) રોગ - સમાન કુષ્ટાદિ રોગ છતાં રોગનિગ્રહરૂપ ચિકિત્સાથી કાળભેદ થાય છે, એમ આયુષ્યનો પણ કાળભેદ થાય છે.
આ રીતે પ્રસંગ યુક્ત બંને પ્રકારના ઉપક્રમકાળનું વર્ણન પુરુ થયું. (૫) દેશ કાળઃ- શુભ કે અશુભ કાર્યનો સોપાય નિશ્ચિત જે અવસર તે દેશકાલ.