________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૪૧
ગજવાદિઓ આંખવાળા છે, એકાન્ત નિશ્ચય રહિત અપર નયથી સાપેક્ષ યાત્મદથી લાંછિત એક નય પણ સમ્યગ્વાદી છે. અને જે એકાંત નિશ્ચયવાળા અન્યોન્યથી અનપેક્ષ સાત પદથી લાંછિત નથી તે ઘણા ભેગા થયેલા નયો પણ મિથ્યાષ્ટિ જ છે. એવું તાત્પર્ય છે એથી જ જે નિશ્ચયવાળા છે તે ઘણા પણ સમુદાયવ્યપદેશને પ્રાપ્ત કરતા નથી, નિશ્ચય વગરના નયો તો અલગ રહેલા પણ પરસ્પર સાપેક્ષપણાથી સમુદિત થયેલા કહેવાય છે.
જેમ જુદા-જુદા મણિઓ માળા કહેવાય નહિ તેમ જુદા-જુદા નયો પણ પરસ્પર નિરપેક્ષ હોવાથી સમસ્ત વસ્તુના જ્ઞાયક થતા નથી, પણ દોરામાં પરોવેલા મણિઓ રત્નમાળા કહેવાય છે તેમ સમુદિત નયો પણ પરસ્પર સાપેક્ષ હોવાથી સમસ્ત વસ્તુના જ્ઞાપક થાય છે. આ રીતે પરસ્પર લડતા નયોને જોઈ કોઈ કહે “આમાં તો પરસ્પર કાંઈ મેળ નથી” એમ બોલી જેઓ સિદ્ધાંતની આશાતના કરે છે તેઓ મહા અજ્ઞાની છે. કેમકે જે દ્રવ્યાસ્તિકાદિનયનો પોતાનો નિત્યત્વાદિ વિષય છે તન્માત્ર પ્રતિપાદનમાં સાચો નય અને પરનો પર્યાયાસ્તિકાયાદિનયનો જે અનિત્યત્વાદિ વિષય છે તેમાં પરાંમુખ હોવાથી તેને નિરાસ કરતો નથી. નિરવધારણત્વથી સમ્યગ્નય હોવાથી અને એકાંશગ્રાહી હોવાથી માત્ર સ્વવિષયનું જ પ્રતિપાદન કરે છે. આવા સર્વ નયોને જાણીને પરસ્પર તેમનાં સ્વવિષય પ્રતિપાદનમાં પણ નય વિધિ જાણનાર સાધુ જ્ઞેયવસ્તુઓમાં મુંઝાતો નથી, કે નિંદાદિથી શાસ્ત્રની આશાતના કરીને મિથ્યાત્વ પામતો નથી. પરંતુ કાંઈક આમ પણ છે ને કાંઈક આમ પણ ઘટે છે એ રીતે નયોને વિષય વિભાગથી સ્થાપીને વસ્તુના અર્થને જાણે છે. પ્રશ્ન-૯૪૦ – તો આ સંમોહ હેતુ નય વિચારથી મૂળથી જ શું પ્રયોજન છે?
ઉત્તર-૯૪૦ – જે મનુષ્ય નામ-સ્થાપનાદિ દ્વારે તથા નૈગમાદિનયો અને પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીને સમીક્ષા કરતો નથી. તેને અવિચારિત-રમણીયતાથી અયોગ્ય યોગ્ય અને અજ્ઞાનતાથી યોગ્ય પણ અયોગ્ય લાગે છે. એટલે વસ્તુને યથાર્થપણે જાણવા માટે નિયવિચાર કરવો. અને બૌદ્ધાદિ પરસમયનો અનિત્યવાદિ પ્રતિપાદક જે ઋજુસૂત્રાદિ નયનો મત છે, તેનું જે નથવિધિજ્ઞ સાધુ છે તે તેના પ્રતિપક્ષ નિત્યસ્વાદિ પ્રતિપાદક જે દ્રવ્યાસ્તિકાય નય છે, તેનાથી નિરાકૃત કરે અથવા સ્વસિદ્ધાંતમાં અજ્ઞાન-દ્વેષાદિ દોષથી કલુસિત પરદ્વારા જે કોઈ પણ દોષબુદ્ધિથી જીવાદિક વસ્તુ માની હોય તેને પણ નયવિધિજ્ઞ નિવારે, તેથી ન વિચાર કરવો સપ્રયોજન છે.
નયદ્વાર પૂરું થયું
(૧૧) સમવતાર દ્વાર :- મૂઢ-અવિભાગ0-મૂઢનયવાળું કાલિક સૂત્ર છે. ત્યાં નય સમવતાર નથી. પણ જ્યાં સુધી ચારે અનુયોગ (૧) ચરણકરણાનુયોગ (૨) ધર્મકથાનુયોગ