________________
૧૪૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૩) ગણિતાનુયોગ (૪) દ્રવ્યાનુયોગની અપૃથકત્વ-પ્રતિસૂત્ર અવિભાગથી-કહેવાતા વિભાગના અભાવથી પ્રરૂપણા હતી. તેમાં નયોનો વિસ્તારથી સમવતાર હતો. પણ એ ચારે
અનુયોગોના પૃથક્વમાં નયોનો સમાવતાર નથી. એક જ સૂત્રમાં ચરણકરણાદિ ચારે વિસ્તારપૂર્વક કહેવાય તે પૃથક્ત અને ન કહેવાય તે અપૃથક્ત.
પ્રશ્ન-૯૪૧ – આ અપૃથક્વ કેટલા કાળ સુધી હતું? અથવા કયા પુરુષથી માંડીને પૃથક્વ થયું?
ઉત્તર-૯૪૧ – જયાં સુધી આર્ય વૈર ગુરુ મહામતી હતા ત્યાં સુધી કાલિક શ્રુતાનુયોગનું અપૃથક્વ હતું. ત્યારે વક્તા-શ્રોતા તીક્ષ્ણપ્રજ્ઞાવાળા હતા. કાલિકગ્રહણ પ્રાધાન્ય જણાવવા માટે અન્યથા ઉત્કાલિકમાં પણ સર્વત્ર પ્રતિસૂત્ર ચારે અનુયોગો ત્યારે હતા જ, તેના પછી આર્યરક્ષિતસૂરિથી માંડીને કાલિકશ્રુત અને દૃષ્ટિવાદમાં અનુયોગો પૃથફ હતા.
આયર્વર સુધી અથર્વ છતે સૂત્રવ્યાખ્યારૂપ એક પણ અનુયોગ કરાતો પ્રતિસૂત્ર ચાર દ્વારા પ્રતિપાદન કરે છે. પૃથક્વાનુયોગ કરણમાં તે ચરણકરણાદિ અર્થો તેનાથી જ વ્યવચ્છિન્ન થયા ત્યારથી એક જ (ચારમાંથી) અર્થ પ્રતિસૂત્ર વ્યાખ્યા કરાય છે ત્યારે નહિ.
પ્રશ્ન-૯૪૨ – આયર્વર સુધી અપૃથક્વે કહ્યું, તો તે શું આર્યવરે જ કર્યું છે કે તેના પછી આર્યરક્ષિતસૂરિએ? એમ બંને રીતે યાવત્ શબ્દાર્થની ઉપપત્તિ છે.
ઉત્તર-૯૪૨ – આર્યરક્ષિતસૂરિએ અનુયોગો પૃથફ કર્યા છે કે જેમણે આયર્વરે પ્રતિપાદન કરેલો સૂત્રાર્થ સાર ગ્રહણ કર્યો છે. દેવેન્દ્રવંદિત શ્રીમાન આર્યરક્ષિતસૂરિએ પોતાના શિષ્ય દુર્બલિકાપુષ્પમિત્રને કઠિનાઈથી શ્રુતાર્ણવને ધારણ કરતા જાણીને વિનયવર્ગમાં અનુગ્રહસહિત કહેવાતા કાલિકાદિશ્રુત વિભાગથી પૃથફ ચરણકરણાદિ અનુયોગો કર્યા હતા. અને ભવિષ્યના મતિ-મેઘા-ધારણાથી પરિહણ એવા પુરુષોને ક્ષેત્ર-કાલાનુરૂપ જાણીને નૈગમાદિ નયો પણ અલગ કર્યા.
નયોના અવિભાગમાં વિશેષ કારણ - શિષ્યો ત્રણ પ્રકારના – (૧) અપરિણામી (૨) અતિપરિણામી (૩) પરિણામી. (૧) અવિપુલમતિ અગીતાર્થો અપરિણતજિનવચન રહસ્યવાળા અપરિણામી કહેવાય છે. (૨) અતિવ્યાપ્તિથી જિનવચનમાં અપવાદદષ્ટિવાળા હોય તે અતિપરિણામી. (૩) સમ્યષ્પરિણત જિનવચનવાળા, મધ્યસ્થવૃત્તિવાળા પરિણામી કહેવાય છે.