________________
૧૫૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
માનો તો જેઓ કહે છે અને સાધુઓ છીએ અને સાધુરૂપ પ્રત્યક્ષ જ દેખાય છે તેમાં સાધુત્વનો સંદેહ કેવો? જેથી તમે આપસમાં વંદન કરતા નથી અને સાધુના વચનની દેવનું વચન સાચું છે એ કહી ન શકાય. કારણ કે દેવ વચન ક્રીડા માટે અન્યથા સંભવે છે નહિ કે સાધુનું વચન. કારણ તેમને ક્રિડાઆદિની વિરતિ હોય છે. એમ કહેવા છતાં ન સમજ્યા ત્યારે ગચ્છ બહાર કર્યા. અને ભમતા-૨ રાજગૃહી ગયા ત્યાં મૌર્યવંશી બલભદ્રરાજ-શ્રાવકે અવ્યક્તવાદિ નિતવો આવેલા જાણ્યા. માણસો મોકલીને રાજકુલમાં લાવ્યા. કટકમર્દની મારવાની આજ્ઞા કરી, હાથી-સૈન્યો તેમને મસળવા લાવતાં તેઓ બોલ્યા રાજન ! અમે જાણીએ છીએ તું શ્રાવક છે તો કેમ અમને શ્રમણોને આમ મારે છે ? રાજા-તમારા સિદ્ધાંતથી જ કોણ જાણે કે હું શ્રાવક છું કે નથી? તેમ પણ ચોર, ચારિક કે મારાઓ છો? એ પણ કોણ જાણે? તે ઓ બોલ્યા અમે સાધુઓ છીએ જો એમ હોય તો અવ્યક્તવાદિતયા કેમ પરસ્પર પણ જયેષ્ઠ મુજબ વંદનાદિ કરતા નથી ? આવા નિષ્ફર-કોમળ વચનોથી રાજાએ તેમને કહ્યું એટલે સંબુદ્ધ અને લજ્જિત એવા શંકા વગરના સન્માર્ગે પડ્યા. રાજા-તમને સંબોધન કરવા માટે મેં આવું બધું કર્યું છે. ક્ષમા કરજો
અન્ય યુક્તિઓ –
જો પ્રત્યક્ષ યતિઓમાં શંકા હોય તો પરોક્ષ જીવાદિમાં સુતરાં શંકા થાય તો સમ્યક્તનો પણ અભાવ થાય. અને સૂક્ષ્મ-વ્યવણિત-વિકૃષ્ટરૂપવાળા જીવાદિ પદાર્થોમાં અને અત્યન્તપરોક્ષ જિનાદિમાં તમને શંકા કેમ નથી ? જિનવચનથી જીવાદિમાં શંકા નથી એમ કહેશો તો એતો અહીં પણ સમાન છે સુસાધુવૃતના હેતુથી આ શ્રમણ છે એ નિશ્ચયથી વંદન કરવા યોગ્ય છે તે સુસાધુતા આલય-વિહાર સ્થાનભ્રમણથી અને ભાષાવિનયથી સુવિહિત સાધુ છે એમ જાણવું.
જેમ જિનગુણ વગરની પણ જિનેન્દ્રપ્રતિમા જાણતા છતાં પરિણામ વિશુદ્ધિ માટે તમે વંદન કરો છો તો સાધુઓને કેમ નહિ ? સાધુમાં તો સાધુત્વ હોય કે ન પણ હોય, પરંતુ પ્રતિમામાં તો જિનત્વ નથી જ એવો નિશ્ચય છે તો તે શા માટે વાંદવી અને સાધુવંદન કેમ પ્રતિષેધ કરવા?
પ્રશ્ન-૫૬ – અસંયત દેવાધિષ્ઠિત યતિરૂપ વંદાતા તેમાં રહેલા અસંયમરૂપપાપની અનુમોદના થાય, પ્રતિમામાં તો એ નથી?
ઉત્તર-૫૬ – દેવતાધિષ્ઠિત પ્રતિમામાં પણ અનુમોદનારૂપ દોષ થાય જ છે. પ્રશ્ન-૯૫૭ – પ્રતિમામાં વિશુદ્ધ અધ્યયવસાયવાળાને જિનબુદ્ધિથી નમસ્કાર કરતાં અનુમોદનારૂપ દોષ નથી?