________________
૧૫૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
થાય છે. સંવ્યવહાર બળવાન છે. શ્રુતવિધિ વડે ગ્રહણ કરેલ અશુદ્ધ આહારનો સર્વજ્ઞ પણ નિષેધ કરતા નથી. ક્યારેક તે છબસ્થને પણ વંદન કરે છે. જિનેશ્વરનું શાસન નિશ્ચયવ્યવહારનય યુક્ત છે. એટલે ક્યારેક, કાંઈક, ક્યાંક આશ્ચર્ય જેવું કાંઈ તે દેખાતા સર્વત્ર તેવા ભાવની શંકા ઘટતી નથી. તેથી વ્યવહારનય આશ્રયીને તમારે પરસ્પર વંદનાદિ યોગ્ય છે.
(૪) સમુચ્છેદ દષ્ટિ-અશ્વમિત્ર
મિથિલાનગરી-લક્ષ્મીગૃહ ચૈત્ય-મહાગિરિસૂરિશિષ્યકૌડિન્ય-તેમના શિષ્ય અશ્વમિત્ર અનુપ્રવાદપૂર્વમાં રહેલ નૈપુણ વસ્તુભણતા અશ્વમિત્રને – કુન્નિસમયેરફથી સર્વે વછિત્તિસંતિ, પર્વ નાવ માળિય ત્તિ, પર્વ વીયા સમયે, વિ વત્તત્રં છે એ એકસમયાદિ વ્યવચ્છેદસૂત્રથી નાશપ્રતિપત્તિ ઉત્પન્ન થઈ. અર્થાત ઉત્પત્તિ સાથે જ સર્વ જીવો સર્વથા વિનશ્વરરૂપ છે તો પછી તેઓને સુકૃત-દુષ્કૃત કર્મના ફળની અનુભૂતિ ક્યાંથી થાય? ન જ થાય. એવો બોધ ઉત્પન્ન થયો અને એવી પ્રરૂપણા કરવા માંડ્યો.
એના જવાબમાં ગુરુએ તેને આગળ કહેવાનારી યુક્તિઓથી સમજાવ્યો. વસ્તુઓનું પ્રતિસમય વિનાશિત્વ આ એક ક્ષણક્ષયવાદિ ઋજુસૂત્રનયનો મત છે સર્વનયમત નથી તેથી મિથ્યાત્વ જ છે.
પ્રશ્ન-૯૫૯ – એ મિથ્યાત્વ કઈ રીતે?
ઉત્તર-૯૫૯ – કાળપર્યાયમાત્રના નાશમાં સ્વ-પર પર્યાયથી અનંતધર્માત્મક વસ્તુનો સર્વથા વિનાશ ઘટતો નથી કાળ-નારકાદિની ઉત્પત્તિનો પ્રથમાદિ સમય તે જ છે પર્યાયમાત્ર તેનો નાશ. વસ્તુ-અનંત સ્વ-પરપર્યાય ધર્મક અર્થાત જે સમયે તે નારકવસ્તુ પ્રથમસમયનારક તરીકે નાશ પામે છે તે જ સમયે દ્વિતીયસમયનારક તરીકે ઉત્પન્ન થાય છે. અને જીવદ્રવ્ય તરીકે કાયમ રહે છે. એટલે કાળ-અદ્ધાપર્યાય માનવો માત્રના વિચ્છેદથી સર્વવિચ્છેદ અત્યંત વિરુદ્ધ છે.
પ્રશ્ન-૯૬૦ – પૂર્વોક્ત આલાપકથી સૂત્ર પ્રામાણ્યથી પ્રતિસમય સર્વથા વસ્તુનો ઉચ્છેદ જણાવાય છે તેનું શું?
ઉત્તર-૯૬૦ – જો સૂત્ર તારે પ્રમાણ હોય તો સૂત્રમાં દ્રવ્યાર્થતયા શાશ્વત પણ વસ્તુ અન્યત્ર કહેલી જ છે અને પર્યાયતયા જ અશાશ્વત પણ કહેલ છે. તે સૂત્ર – નેરા णं भंते ! किं सासया, असासया ? । गोयमा ! सिय सासया, सिय असासया । से केणटेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! दव्वट्ठयाए सासया, भावट्ठयाए असासय त्ति ।