________________
૧૪૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
આલોચના કર્યા વિના મરીને કિલ્બિષિક દેવ થયો. આ રીતે જમાલીની ઉત્પત્તિ તથા બહુરત મતની ઉત્પત્તિ જણાવી.
(૧) જમાલી ક્રિયમાણકૃત માનવામાં દોષો-પ્રતિવિધાનો-સિદ્ધિ. (१) कृतं क्रियमाणं न भवति, सद्भावात्-कृतस्य विद्यमानत्वात्, चिरन्तनघटवत् । | વિપર્યયમાં બાધક:- (૧) જો કરાયેલું પણ કરાય છે એમ માનીએ તો સતત-નિત્ય કરતો રહે કારણ કૃતત્વતો સામાન્ય જ છે એટલે સતત કાર્ય થતું જ રહેશે ક્યારેય પૂરુ થશે નહિ.
(૨) એમ માનવામાં તો ઘટાદિ કાર્યમાટે જે માટીનું મર્દન-ચક્રભમણાદિક્રિયા વિફળ થઈ જાય કારણ કે તે કાળે કાર્ય કરાયેલું માનેલું છે. પ્રયોગ- યd, ત્રિજ્યા વિનૈવ, યથા વિનિષ્પન્નઘટે, અને ક્રિયાકાળે કાર્ય કરેલું માનો તો ત્યાં ક્રિયા ફોગટ છે. અને ક્રિયમાણકૃતવાદિ કરેલા વિદ્યમાનની ક્રિયા છે એમ પ્રતિપાદન કરનાર થાય છે. એટલે અહી પ્રત્યક્ષ વિરોધ જ છે. કારણ કે ઉત્પત્તિકાળ પહેલાં ન થયેલું જ કાર્ય ઉત્પત્તિ કાળે થતું જણાય છે. તેથી ક્રિયમાણ અકૃત જ છે. વળી “કરાતું હોય તે કર્યું” એમ માનનારા તમારો “આરંભક્રિયાના સમયે જ કાર્ય ઉત્પન્ન થાય છે” એ મત છે. એ બરાબર નથી. કારણ કે ઉત્પન્ન થતાં ઘટાદિ કાર્યોનો નિવર્તનફલ લાંબો જ દેખાય છે.
પ્રશ્ન-૯૪૪ – ભલે દીર્ઘકાળ દેખાય પરંતુ ઘટાદિ કાર્યના આરંભના ક્રિયા સમયે જ અથવા શિવકાદિકાળે દેખાય છે એમ માનો ને?
ઉત્તર-૯૪૪– એ બરાબર નથી. કારણ કે આરંભ ક્રિયાસમયે જ ઘટાદિ કાર્ય થતું દેખાતુ નથી કે શિવકાદિકાળે પણ દેખાતું નથી. પરંતુ દીર્ઘક્રિયાકાળના અંતે ઘટાદિકાર્ય થતું જણાય છે. તેથી ક્રિયાકાળે કાર્ય માનવું ઠીક નથી. કારણ કે, ત્યારે તે દેખાતું જ નથી, પણ જે સલજનને પ્રત્યક્ષસિદ્ધ છે તે દીર્ઘક્રિયાના અંતે કાર્ય થાય છે તે બરાબર છે. જમાલીનો પૂર્વપક્ષી
સ્થવિરોનો ઉત્તરપક્ષ - નાવૃતમ્ પાર્થ વિજ્ય, સત્વ, માસુમવત્ ! જો અકૃત-અવિદ્યમાન પણ કરાય તો ખરવિષાણ પણ કેમ ન કરાય? આ પણ અકૃત છે અને ખરવિષાણ પણ અકૃત છે એટલે અકૃતત્ત્વ તો બંનેમાં સમાન જ છે ને.
અસત્-અવિદ્યમાન વસ્તુમાં કરણક્રિયા માનવામાં નિત્ય-ક્રિયાઅપરિસમાપ્તિ-ક્રિયા વિફળતા વગેરે દોષો આપણે બંને ને સરખા જ છે. જેમ કૃતપક્ષમાં તે આપ્યા એ અમૃતપક્ષમાં પણ છે. એય પાછા સમાન હોય તો ઠીક પણ અમારાથી વધુ કષ્ટતર છે. કારણ, વિદ્યમાન