________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૧૭ પ્રશ્ન-૯૧૪ – અહીં જે માટીમય કાર્યરૂપ ઘટ છે તેનું જ કારણ વિચારાય છે તે પ્રસ્તુત અને બુદ્ધિ અધ્યવસિત તો તેનાથી અન્ય જ છે. એટલે તેનું કારણાભિધાન અપ્રસ્તુતત જ છે?
ઉત્તર-૯૧૪ – સાચી વાત છે ભાવિન ભૂતવદુપચાર ન્યાયથી તે બંનેનાં એકત્વના અધ્યવસાનથી દોષ નથી. સ્થાસ-કોલકાદિ કરવાના સમયે પણ શું કરે છે એમ પૂછતાં કુંભાર ઘટ કરું છું એમ જ બોલે છે. કારણ તેમાં બુદ્ધિ અધ્યવસિતથી ઉત્પન્ન થનારના એકત્વનો અધ્યવસાય છે. તેથી બુદ્ધિમાં નિશ્ચિત ઘટને ઘટનું કારણ કહેવામાં કાંઈ દોષ નથી. અથવા ભવ્યસ્વરૂપલાભને યોગ્ય ક્રિયા, તે ક્રિયા સ્વરૂપને પ્રાપ્ત કરાવતી હોઈ કાર્યને પણ પોતાનું કારણ મનાય છે. કર્મ અવશ્ય કારણ માનવું જોઈએ કારણ કે સમસ્ત કારણ સામગ્રી સંનિધાને પણ ગમે તેમ આકાશ માટે પ્રારંભ નથી. પરંતુ વિવક્ષિત કાર્ય માટે છે, એટલે તદવિનાભાવિત્થાત્ તે ક્રિયાનું કાર્ય પણ આત્માનું પોતાનું કારણ છે.
બહારના કુંભાર-ચક્ર-ચીવરાદિ જે નિમિત્તો છે તેની અપેક્ષાએ કાર્ય કરતા સમયે અંતરંગ બુદ્ધિથી આલોચિત-વિચારેલું જે કાર્ય થાય છે તે પોતાનું કારણ થાય છે. નહિતો જો બુદ્ધિથી પૂર્વે વિચાર્યા વગર જ કરાય તો વિચાર્યા વગર શૂન્ય મનથી કરેલા આરંભમાં તો કાર્યનો વિપર્યય થાય. ઘટકાર્યના સંનિધાને પણ કોઈ શરાવાદિ કાર્ય થાય કે ન થાય. તેથી બુદ્ધિ અધ્યવસિત કાર્ય પણ પોતાનું કારણ માનવું. નહિતો કર્મની કારકત્વે ક્રોતિ કૃતિ વારમ્ એમ છએની કારકત્વની અનુપાતિ જ થાય.
ભાવકારણ - ઔદયિકાદિ ભાવરૂપ કારણ તે ભાવકારણ છે. તે ૨ પ્રકારે (૧) અપ્રશસ્ત (૨) પ્રશસ્ત.
(૧) અપ્રશસ્ત - સંસાર સંબંધી ૧-૨-૩ પ્રકારનું છે.
૧ વિધિ – અસંયમ, એ પ્રધાનતયા વિવલિત થતો એકવિધ સંસાર કારણ અજ્ઞાનાદિ તેના આધાર છે.
૨ વિધિ – અજ્ઞાન-અવિરતિતયા વિવક્ષિત થતો દ્વિવિધ સંસાર કારણ અજ્ઞાન-મિથ્યાત્વ તિમિરથી વ્યાપ્ત દૃષ્ટિવાળા જીવનો વિપરિત બોધ, અવિરત-સાવદ્યયોગથી અનિવૃત્તિ.
૩ વિધિ - મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ ત્રિવિધ સંસાર કારણ તત્ત્વાર્થાશ્રદ્ધાન રૂપ મિથ્યાત્વ કષાયાદિ યોગથી અન્ય પણ ચતુર્વિધાદિ સંસારકારણ ભેદ જાણવા.
(૨) પ્રશસ્ત - મોક્ષનું કારણ તે પણ અપ્રશસ્તસંયમાદિ ભાવકારણથી વિપરિત એક વિધ-દ્વિવિધ-ત્રિવિધ પ્રશસ્ત ભાવકારણ છે. ૧ વિધ-સંયમ, ૨ વિધ-જ્ઞાન-સંયમ, ૩ વિધ