________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૩૧
પરાપગત નહિ. જે તે ગવાદિનો શ્યામલ-ધવલત્વાદિ વિસદેશ-અન્યોન્ય વિલક્ષણ પર્યાય તે વિશેષ જે સામાન્યરૂપ અને વિશેષરૂપ પર્યાય છે તે ગાય આદિ પદાર્થથી અભિન્ન છે અને પરરૂપતાદિથી કાંઈક ભિન્ન પણ છે એટલે એકાંતે ભિન્ન-કે-અભિન્ન ન જાણવો.
(૨) સંગ્રહ નય :- સંગૃહીત સર્વવિશેષ સામાન્યનો જ સર્વ પ્રકારે સંગ્રહવચનના અભિધેય તરીકે માને છે. સામાન્યાભિમુખે ગ્રહણ કરેલ હોય તે સંગૃહીત કહેવાય. એક જાતિને પમાડેલું હોય તે પિંડિત કહેવાય. આવું સંગૃહીત પિંડિત અર્થવાળું વચન સંગ્રહનયનું છે. અથવા સર્વવ્યક્તિઓમાં અનુગત સામાન્યનું પ્રતિપાદન કરવું તે સંગૃહીત અને પરપણાનો નિરાશ કરનાર વિશેષનું પ્રતિપાદન તે પિંડિત કહેવાય. અથવા સત્તારૂપ મહાસામાન્ય તે સંગૃહીત અને ગોત્વાદિ અવાંતર સામાન્ય તે પિંડિત કહેવાય.
પ્રશ્ન-૯૩૧ • સંગ્રહનય કેવા સામાન્યને માને છે ? વિશેષોને કેમ માનતો નથી ?
-
ઉત્તર-૯૩૧ – સામાન્ય એક છે એટલે સામાન્ય સર્વત્ર છે જ વિશેષોનો અભાવ છે નિત્યં सामान्यं अविनाशात्, निरवयवम्, अदेशत्वात् अक्रियम् देशान्तरगमनाभावात्, सर्वगतं अक्रियत्वात् । विशेषा न सन्ति, निःसामान्यत्वात् सामान्यव्यतिरेकाणां तेषामभावात् । इह यत्सामान्यातिरिक्तं તસ્રાપ્તિ યથા હનુમ્ । વળી તે અવિનાશી હોવાથી નિત્ય છે, દેશ રહિત હોવાથી અનવયવી છે, દેશાંતરમાં ગતિના અભાવે અક્રિય છે એટલે સર્વગત છે. તથા સામાન્ય રહિત વિશેષોનો અભાવ છે, કેમકે જે સામાન્યથી અતિરિક્ત છે તેનો ખપુષ્પની જેમ અભાવ છે. કારણ, સત્ કહેતાં સર્વત્ર ત્રિભુવનાન્તર્ગત વસ્તુમાં બુદ્ધિ દોડે છે. એવી કોઈ વસ્તુ નથી કે જેમાં સત્ કહેતાં જલ્દી બુદ્ધિમાં ન જણાય. તેથી સર્વ સત્તામાત્ર જ છે એ સિવાય કાંઈ નથી, કે જે વિશેષતરીકે વિચારાય, ઘટ, સત્તાથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો અભિન્ન માનો તો સત્તામાત્ર જ છે જો ભિન્ન માનો તો અભાવ જ છે, ભાવથી અન્ય-અભાવ હોવાથી ખવિષાણવન્ત્, એમ પટાદિમાં પણ થશે. એટલે સર્વ વસ્તુ સામાન્ય માત્ર જ છે. સામાન્યમાત્ર વિશેષે, પ્રમેયાત્, સામાન્યવત્ અથવા સન્મતેવ્યમિનારામાવાત્ । જો સામાન્યથી વિશેષ અનન્ય છે તો તે તત્ જ છે. અને અન્ય છે તો નથી, ખવિષાણવત્.
(૩) વ્યવહાર નય :- સત્ કહેતાં એ વિચારીને વિશેષોને જ માને છે, સામાન્ય નહિ યથા नास्ति सामान्यम्, उपलम्भव्यवहाराभावात् तथा निर्विशेषभावात् खपुष्पवत् । विशेषास्तु ि સ્વપ્રત્યક્ષાત્ ધટાવિવત્ । સામાન્ય માત્ર કહેવાનું છે, ક્યાંય અલગ જણાતું નથી કેમકે તેની ઉપલબ્ધિ વ્યવહાર નથી તથા વિશેષથી ભિન્ન માનેલ હોવાથી ખપુષ્પ જેમ તે નથી. અને વિશેષો તો ઘટ-પટની જેમ સ્વપ્રત્યય હોવાથી વિદ્યમાન છે. કારણ કે, પાણી લાવવું, ઘાને પાટો બાંધવો વગેરે લોકવ્યવહાર ઘટનિંબપત્રાદિ વિશેષોથી જ સાક્ષાત્ કરાતો દેખાય છે,