________________
૧૩૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
સામાન્યથી નહિ. તેથી તેનાથી ભિન્ન સામાન્યનો અભાવ જ છે, ભાવ નથી. વિશેષથી તમે સામાન્યને ભિન્ન માનો છો કે અભિન્ન માનો છો ? જો વિશેષથી તે અભિન્ન છે તો વિશેષમાત્ર જ છે. ભિન્ન હોય તો નથી જ. વિપક્ષ-આંબાદિથી વિરહિત-આંબાવગેરે વિશેષોથી અન્ય કઈ વનસ્પતિ છે કે જે સામાન્ય કહેવાય છે? અને જો એનાથી વિશેષ કોઈ વનસ્પતિ હોય તો ઘટાદિની જેમ ચૂતાદિ અભાવરૂપ હોવાથી તે અવનસ્પતિ જ છે.
પ્રશ્ન-૯૩૨ – આગળ કહ્યું ને કે વિચારીને વિશેષોનાં નિશ્ચય કરે છે તો કઈ રીતે વિચારીને નિશ્ચય કરે છે?
ઉત્તર-૯૩૨ – વનસ્પતિ શું છે? એ વિચારમાં આમ્ર બકુલાદિ એ હોય, નહિ કે તેનાથી અન્ય વૃક્ષત્વ સામાન્ય, તેમ સર્વે દ્રવ્યભેદોમાં વ્યવહારનય નિશ્ચય કરે છે. ગો-અશ્વ-રથાદિ વિશેષો જ છે ગોવાદિ સામાન્ય કાંઈ અન્ય નથી. એમ સર્વત્ર કહેવું અથવા અધિક ચયનિશ્ચય. જેમ અધિક દાઘ-નિદાઘ. એ નિશ્ચય અહીં સામાન્ય છે. આ સામાન્યને વ્યવહાર નય અનુસરે છે તે વિનિશ્ચયાર્થે અનુસરે છે અથવા લોકવ્યવહાર વિનિશ્ચય તેના અર્થે અનુસરે છે. અથવા નિશ્ચયનય મતે વિચારતાં ભ્રમરનાં પાંચવર્ણ-બેગંધ-
ષસ-આઠ સ્પર્શત્વ છતાં કૃષ્ણવર્ણાદિ અર્થમાં જનપદનો નિશ્ચય થાય છે તે વિનિશ્ચયાર્થ. ઘણા વર્ણ-ગંધાદિ હોવા છતાં જે જ્યાં જનપદગ્રાહ્ય છે તેને જ વ્યવહાર નય અનુસરે છે. કેમકે આ નય સંવ્યવહારમાં તત્પર હોવાથી લોકવ્યવહારને ઈચ્છે છે, તેથી વિદ્યમાન એવા પણ બીજા વર્ણાદિકને છોડી દે છે.
(૪) ઋજુસૂત્ર નય :- વર્તમાનકાલીન વસ્તુ અને આત્મીય વસ્તુ ગ્રાહી-પ્રત્યુત્પન્નગ્રાહી છે. અતીત-અનાગત ઉભયરૂપ વસ્તુ અને પરકીય વસ્તુ નથી. યુક્તિથી વ્યવહારનયને સ્વપક્ષ પકડાવે છે- હે વ્યવહારનયવાદિ ! જો તને વ્યવહારના અનુપયોગ અને અનુપલંભથી સામાન્ય ઈષ્ટ નથી. તે જ રીતે વ્યવહારાનુયોગાનુપલલ્મથી ગત અને અનાગત વસ્તુ પણ તું સ્વીકાર નહી. કેમકે બંને સ્થાને યુક્તિ તો સમાન જ છે. પારકી વસ્તુ પણ સ્વપ્રયોજન સાધક ન હોવાથી પરધનની જેમ ન માન.
તે પોતાની વસ્તુ લિંગ-વચન ભિન્ન પણ સ્વીકારે છે. જેમકે એક વસ્તુ પણ ત્રિલિંગ તટતટી-તટસ્ એકવચન-બહુવચનવાચ્ય એક જ વસ્તુને પણ જેમ ગુરુગુરુઓ આપો લમ્ દારા કલત્રમ્ વગેરે તથા નામાદિ ચાર નિક્ષેપો પણ એ માને છે. આ રીતે લિંગ-વચન ઈત્યાદિથી બે માન્યતાના ઉપન્યાસથી કહેવાનારી શબ્દનયની સાથે એનો મતભેદ બતાવ્યો. કારણ કે શબ્દનય લિંગભેદ અને વચનભેદથી વસ્તુનો ભેદ જ માને છે અને એક જ ભાવનિક્ષેપને જ. માને છે.